Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ગાદીજી મંદિરમાં બે દિવસીય પ્રેરણા પર્વ:151 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન, વિકી બાવાએ છપ્પન ભોગ અને અન્નકૂટનું દિવ્ય મહત્વ સમજાવ્યું

    1 सप्ताह पहले

    મોટી મહેતવાડ સ્થિત 151 વર્ષ જૂના પ્રાચીન ગાદીજી મંદિરમાં ઇતિહાસમાં પ્રથમ વખત બે દિવસીય 'ગાદીજી પ્રેરણા પર્વ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે વૈષ્ણવોને સંબોધિત કરતા પંચમ પીઠાધીશ્વર વલ્લભલાલજી (વિકી બાવા) એ ઠાકોરજી સન્મુખ ધરાવવામાં આવેલા છપ્પન ભોગ અને અન્નકૂટના દિવ્ય મહત્વ અંગે શાસ્ત્રોક્ત વિગતો આપી હતી. 56 વાનગીઓ નહીં, પરંતુ બહુવિધ સામગ્રીઓનો સમૂહ વલ્લભલાલજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઠાકોરજીના વિવાહ પ્રસંગે વૃષભાન અને નંદબાબા દ્વારા જે મહાભોજનું આયોજન કરવામાં આવ્યું હતું, તે 'છપ્પન ભોગ' છે. પ્રચલિત ભાષામાં છપ્પન ભોગ એટલે માત્ર 56 આઈટમ નહીં, પરંતુ 56 પ્રકારના મુખ્ય વ્યંજનો અંતર્ગત આવતી સામગ્રીઓની અગણિત વેરાયટીઓ થાય છે. વાસ્તવમાં અહીં ઠાકોરજી સન્મુખ 200 થી 300 પ્રકારની સામગ્રીઓ આરોગાવવામાં આવતી હોય છે. પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર, જ્યારે અનસખડી, દૂધઘર, નાગરી તેમજ સખડી સહિતના પાંચેય ઘરની સામગ્રીઓ પ્રભુ આરોગે છે, ત્યારે જ સાચા અર્થમાં છપ્પન ભોગ સિદ્ધ થાય છે. આ સિવાય પુષ્ટિમાર્ગમાં એવી પણ માન્યતા છે કે સાત બાળકોએ આઠ નિધિ સ્વરૂપોને જે ભોગ અર્પણ કર્યો, તે 7 × 8 = 56 ની ગણતરી મુજબ પણ છપ્પન ભોગ કહેવાય છે. પ્રભુ વૈષ્ણવોના એક-એક ચાવલનો મનોરથ સ્વીકારે છે મહાભારતના દ્રૌપદી અક્ષયપાત્રના પ્રસંગનો સંદર્ભ આપતા વલ્લભલાલજીએ સમજાવ્યું કે, જ્યારે દુર્વાસા ઋષિ પોતાના હજારો શિષ્યો સાથે પાંડવોની કુટિરે આવ્યા ત્યારે દ્રૌપદી પાસે અન્નનો એક પણ દાણો બચ્યો નહોતો. તે સમયે કૃષ્ણએ પાત્રમાં રહેલો માત્ર એક જ ચાવલ (ચોખાનો દાણો) આરોગીને દુર્વાસા ઋષિ અને તેમના હજારો શિષ્યોને સંપૂર્ણ તૃપ્ત કર્યા હતા. એવી જ રીતે, આ અન્નકૂટ મનોરથમાં પણ પ્રભુએ તમામ વૈષ્ણવોના એક-એક ચાવલ સમાન પવિત્ર મનોરથોને એકસાથે અંગીકાર કર્યા છે. લૌકિક જગતમાં ભલે અન્નની કિંમત ઓછી આંકવામાં આવતી હોય, પરંતુ પ્રભુ માટે વૈષ્ણવો દ્વારા પ્રેમ અને શ્રદ્ધાથી ધરાવાયેલા એક-એક દાણાનું પણ અનંત મૂલ્ય હોય છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતવાસમાં ગાળો બોલવા મુદ્દે બે ભાઈઓ પર ચાર શખ્સનો હુમલો:ઇજાગ્રસ્ત બંને ભાઈને સર ટી હોસ્પિટલમાં ખસેડ્યા, ઘોઘારોડ પોલીસ મથકમાં 4 સામે ફરિયાદ
    Next Article
    ભાવનગરમાં મોંઘવારીનો ડામ:માત્ર 11 દિવસમાં જ પેટ્રોલે ફટકારી 'સદી', ડીઝલ પણ રૂ. 100ની નજીક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment