Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે કાચબા પકડ્યા, એકનું શાક બનાવ્યું:ભાવનગરમાં વાઈની બીમારી કાચબો ખાવાથી મટી જશે તેવા ભ્રમથી 4 પરપ્રાતીય શ્રમિકોએ શિકાર કર્યો, કોર્ટમાં રજૂ કરાયા

    23 घंटे पहले

    ભાવનગર વન વિભાગને મળેલી બાતમીના આધારે ભાવનગર એરપોર્ટમાંથી ચાર પરપ્રાંતીય શ્રમિકોને એક કાચબા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગની તપાસમાં વાઈ (એપિલેપ્સી)ની બીમારી કાચબો ખાવાથી મટી જાય એવી ગેરમાન્યતાથી ખાવા માટે એક કાચબાનું શાક બનાવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભાવનગર એરપોર્ટમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા બાંધકામના કામોમાં બિહારના કેટલાક પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં એક શ્રમિક વાઈ (એપિલેપ્સી)ની બીમારીથી પીડાતો હોય કાચબો મારીને ખાવાથી વાઈ(એપિલેપ્સી) મટી જશે તેવી ગેરમાન્યતા સાથે બે કાચબા લાવ્યો હતો. વાઈ(એપિલેપ્સી)થી પીડિત શ્રમિક બે પૈકીના મારેલા એક કાચબાના માંસનું શાક ખાઈ તે પહેલા બાતમીના આધારે ભાવનગર વન વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. ભાવનગર વન વિભાગના અધિકારીઓ ભાવનગર એરપોર્ટમાં પહોંચી મુખ્ય આરોપી શ્રમિક સહિત મદદગારીમાં સામેલ અન્ય ત્રણ શ્રમિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભાવનગર વન વિભાગની તપાસમાં ચારેય આરોપીના તાબામાંથી એક કાચબાને છોડાવી વન વિભાગની વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે નિયમો અનુસાર કડક કાર્યવાહી શરૂ કરી છે. કાચબાનો શિકાર કરી ખાતા હોવાની બાતમી મળી હતી ​ભાવનગર વન વિભાગને બાતમી મળી હતી કે, શહેરના એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કામગીરીમાં જોડાયેલા કેટલાક મજૂરો દ્વારા વન્ય પ્રાણીનો શિકાર કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, આરોપીઓ પાસેથી એક જીવંત કાચબો અને એક રાંધેલો કાચબો મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી FSL ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર અને સરકારી પંચોની હાજરીમાં સ્થળ તપાસ કરી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 4 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા ​આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ઓળખ રવિન પાસવાન, રામ પુકાર પાસવાન, આનંદકુમાર મહંતો અને વિજયકુમાર મહંતો તરીકે થઈ છે, જેઓ મૂળ બિહારના વતની છે અને એરપોર્ટના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા હતા. વન વિભાગ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ 'વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972' (સુધારા અધિનિયમ 2022) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જે અંગેનો નિર્ણય હવે કોર્ટ કરશે. ​વન વિભાગની જનતાને અપીલ ​આ ઘટના બાદ વન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, આવી અંધશ્રદ્ધા કે ખોટી વાતોમાં દોરવાઈ જવું નહીં. વન્ય પ્રાણીઓને હેરાન કરવા કે તેમનો શિકાર કરવો એ ગંભીર ગુનો છે. જો આસપાસ કોઈ વન્ય પ્રાણી જોવા મળે, તો તેને નુકસાન પહોંચાડવાને બદલે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓનો આ અમૂલ્ય વારસો જાળવી રાખવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. સહિયારા પ્રયાસોથી જ આપણે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરી શકીશું. ‘એક જીવંત કાચબો અને એક બાફી રાંધેલો કાચબો મળ્યો’ આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી.ગલાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક બાફી રાંધેલો કાચબો મળ્યો હતો. બાદમાં ફોરેસ્ટ વેટેરનરી ઓફિસર, સરકારી પંચો દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બાદમાં 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2022ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 કાયદો શું છે ? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 એ ભારત સરકાર દ્વારા ઘડાયેલો એક મહત્વપૂર્ણ કાયદો છે, જેનો મુખ્ય હેતુ દેશના વન્યપ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપો, જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓનું સંરક્ષણ કરવો, તેમના શિકાર પર નિયંત્રણ લાવવું તથા ગેરકાયદે વેપારને રોકવાનો છે. આ કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે અને વન્યજીવોના અસ્તિત્વ તથા જૈવ વૈવિધ્ય જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતના વન્યપ્રાણીઓ અને વનસ્પતિઓને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. દરેક શ્રેણી મુજબ સંરક્ષણનું સ્તર અલગ હોય છે. જેમાં શ્રેણી-1માં વન્યપ્રાણીઓના સર્વોચ્ચ સંરક્ષણ, શ્રેણી-2માં વન્યપ્રાણીઓના ઉચ્ચ સંરક્ષણ, શ્રેણી-3 અને 4માં પ્રાણીઓની સંરક્ષિત પ્રજાતિઓ, શ્રેણી-5માં પ્રાણી-પક્ષીના સુરક્ષા નિયંત્રણની જોગવાઈ તથા શ્રેણી-6માં દુર્લભ અને લુપ્તપ્રાય છોડને સંરક્ષિત વનસ્પતિમાં સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    રોબોટ્સ 7 લાખ ડિલિવરી બોય્ઝની જગ્યા લેશે!:ચીનની ઈ-કોમર્સ કંપનીના સ્થાપકનું ચોંકાવનારું નિવેદન, હ્યુમનોઇડ રોબોટ્સ પાસે 100થી વધુ કામ કરાવાશે
    Next Article
    પાટણના ચંદ્રુમાણા ગામે બાળકોને શૈક્ષણિક પ્રવેશ અપાયો:શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વોટર ડિસ્પેન્સર ભેટ આપવાની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment