Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ગોધરામાં રોજ 1500 ગરીબજનોની આંતરડી ઠારતું પ્રભાબા રસોડું, ગેસના બોટલની અછતના પગલે ચાર દિવસથી બંધ

    1 week ago

    ગોધરામાં શ્રી મહાપ્રભુજી બેઠકમાં ગેસના બોટલની અછતથી મનોરથ સહિતનો પ્રસાદ બંધ કર્યા બાદ ગરીબો માટે બનતા ભોજનનુ પ્રભાબા રસોડુ પણ ગેસ બોટલ ના હોવાથી બંધ કરવાની નોબત આવી છે. રોજના 1500 લોકો માટે બનતુ રસોડું બંધ થતા ટ્રસ્ટી દ્વારા સરકાર પાસે ગેસના બોટલ વ્યવસ્થા કરવા અરજ કરી છે. રશિયા - યુક્રેન કે ઈઝરાયેલ - હમાસ જેવા વૈશ્વિક યુદ્ધોથી ગેસના બોટલની અસર પંચમહાલ જિલ્લામાં પણ વર્તાઇ રહી છે.ગોધરામાં જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ્ર છેલ્લા ચાર વર્ષથી પ્રભાબા રસોડું ચલાવી રહ્યા છે. રસોડામાં બનતા ભોજનથી ગરીબ, અશ્કત દર્દી તથા અપંગ લોકો લાભ લે છે. રસોડામાં રોજ 4 થી 5 ગેસના બોટલથી રસોઇ બનાવે છે. હાલ ગેસના બોટલની અછતના લીધે ગોધરામાં શ્રી જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત "પ્રભાબાનું રસોડું" બંધ કરવાની ફરજ પડી છે. રસોડામાં છેલ્લા ચાર દિવસથી ભોજન બનતુ નથી. જેના કારણે ગરીબ લોકો ભોજન વગર ભુખ્યા રહ્યા છે. રસોડામાં રોજના વપરાતા બોટલ મળતા બંધ થતા રસોડું બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા ગેસ લાઇનની મંજુરી માટે કાર્યવાહી કરી હતી. ગેસ લાઇન મંજૂર પણ થઇ ગઇ છે. પાંજરાપોળ પાસે હાઇવે આવતો હોવાથી હાઇવે ઓથોરીટીની પણ મંજૂરી મળી ગઇ છે. પરંતુ ગેસની લાઇન નંખાઇ નથી. પાંજરાપોળના ટ્રસ્ટી દ્વારા સરકાર અને કલેકટરને રસોડામાં રોજના બોટલની વ્યવસ્થા કરી આપવાની અરજ કરી છે. ગેસના બોટલ આપવાની અરજ કરી છે પ્રભાબા રસોડામાં રોજ 1500 લોકો માટે ભોજન બનાવવામાં આવે છે. રોજ 4 થી 5 બોટલનો વપરાશ થાય છે. હાઇ ગેસના બોટલની તંગીના લીધે ચાર દિવસથી બોટલના અભાવે રસોડું બંધ કરી દેવામાં આવ્યું છે. અમે સરકાર અને કલેકટરને ગેસના બોટલની વ્યવસ્થા કરી આપવાની અરજ કરી છે. જેથી ગરીબ લોકો માટે ભોજન બનાવી શકાય. - જયંતિભાઇ શેઠ, ટ્રસ્ટી, જીવકલ્યાણ પાંજરાપોળ.
    Click here to Read More
    Previous Article
    ચૈત્રમાં અષાઢનો માહોલ:વાવાઝોડા સાથે પંચમહાલમાં ધુળની ‎ડમરીઓ ઉડી , ગોધરા અને બાલાસિનોરમાં વરસાદ પડયો‎
    Next Article
    માઇ ભક્તો ભક્તિમાં લીન:નવચંડીયજ્ઞ, લક્ષ્મી હોમ, જપ-તપ અને મંત્રોચ્ચાર દ્વારા શક્તિની થશે આરાધના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment