Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના રાયગઢમાં વૈજનાથ મહાદેવને 150 કિલો બરફનો શણગાર:ગર્ભગૃહ સહિત આસપાસના ભાગોમાં પણ બરફથી આકર્ષક સજાવટ

    6 days ago

    હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે શિવભક્તો દ્વારા અનોખો અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આશરે 150 કિલો બરફ વડે ભગવાન મહાદેવને વિશેષ શણગાર અર્પણ કરાતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. ઉનાળાની પ્રચંડ ગરમી વચ્ચે ભક્તોએ આ વિશેષ શણગાર દ્વારા સમાજને શીતળતા અને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. ભક્તોના મતે, ગરમીથી માનવજાત ઉપરાંત પશુ-પક્ષીઓ પણ પરેશાન છે, ત્યારે મહાદેવને બરફનો શણગાર અર્પણ કરીને સૌના જીવનમાં શાંતિ, ઠંડક અને સુખાકારીની કામના કરવામાં આવી હતી. મંદિરમાં મહાદેવના ગર્ભગૃહ સહિત આસપાસના ભાગોમાં પણ બરફથી આકર્ષક સજાવટ કરાઈ હતી. બરફના આ અનોખા શણગારને નિહાળવા રાયગઢ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે પૂજા-અર્ચના કરી અને ભગવાન વૈજનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભક્તોએ ભગવાન વૈજનાથ મહાદેવ સૌ પર કૃપાદૃષ્ટિ વરસાવે, રાજ્ય અને દેશમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેમજ સારા વરસાદથી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડાંગના જંગલોમાં આગિયાનો કુદરતી પ્રકાશ:ચોમાસા પૂર્વે હજારો આગિયાથી ઝગમગી ઉઠ્યા જંગલો
    Next Article
    Bhavnagar Somnath Highway | ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા નજીક અકસ્માત | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment