Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજના સ્મૃતિવનમાં મચ્છર નિયંત્રણ માટે મેગા ઝુંબેશ:50 ચેકડેમમાં પોરા ભક્ષક માછલીઓ છોડાઈ, આરોગ્ય વિભાગની પહેલ

    1 day ago

    ભુજના સ્મૃતિવન ખાતે મચ્છરજન્ય રોગોના નિયંત્રણને વધુ અસરકારક બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પોરા નાશક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધતું હોવાથી, આરોગ્ય વિભાગે પૂર્વ સાવચેતીના ભાગરૂપે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કેશવકુમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવીના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાની આરોગ્ય ટીમોએ સ્મૃતિવનના વિવિધ વિસ્તારોમાં વ્યાપક નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને, પરિસરમાં આવેલા નાના અને મોટા મળી અંદાજે 50 જેટલા ચેકડેમોમાં મચ્છરના પોરાના જૈવિક નિયંત્રણ માટે પોરા ભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી. આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને મચ્છરની ઉત્પત્તિને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ ઝુંબેશ દરમિયાન સ્મૃતિવનના યોજના વ્યવસ્થાપકો અને વહીવટી તંત્ર સાથે સંકલન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પાણી ભરાયેલા વિસ્તારોની નિયમિત દેખરેખ, સમયાંતરે નિરીક્ષણ, પોરાનાશક કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ આરોગ્ય વિભાગ અને સ્મૃતિવન તંત્ર વચ્ચે સતત સંકલન જાળવી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ ભવિષ્યમાં પણ આવી કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સમગ્ર કામગીરી જિલ્લા દેખરેખ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના મેદાની કર્મચારીઓની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સ્મૃતિવનના વહીવટી તંત્ર દ્વારા પણ આરોગ્ય વિભાગને જરૂરી સહયોગ મળતા ઝુંબેશ આયોજનબદ્ધ અને અસરકારક રીતે સંપન્ન થઈ હતી. આરોગ્ય વિભાગે નાગરિકોને પણ ખાસ અપીલ કરી છે કે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે, પાણી સંગ્રહના તમામ પાત્રોને દર અઠવાડિયે ખાલી કરીને સ્વચ્છ રાખે તેમજ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની કામગીરીમાં સક્રિય સહભાગી બને. વિભાગનું માનવું છે કે સરકારી પ્રયાસો સાથે જનસહભાગિતા જોડાશે તો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સામે વધુ અસરકારક રીતે લડી શકાશે અને જિલ્લામાં સ્વસ્થ તથા સુરક્ષિત વાતાવરણ જાળવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ ફાયર સ્ટેશનની 150 વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત:આગ કે અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં શું કરવું? બાળકોને ફાયરબ્રિગેડે ટીમે માહિતગાર કર્યા
    Next Article
    શહેરમાં રાધનપુર રોડ પર હોટલ, ડેરીઓમાં ચેકિંગ:અખાદ્ય પનીર-ચીઝના જથ્થાનો નાશ કરાયો, એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment