Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ વિભાગના દ્રારા જપ્ત એનાલોગ પનીર મામલે અધિકારીની મેલી નીતિ?:જૂનાગઢમાં રૂ. 2 લાખ થી વધુનું પ્રતિબંધિત પનીર જપ્ત, પુડ વિભાગ અધિકારીએ કહ્યું પનીર જપ્ત કરાયેલી પેઢીઓના નામ ન આપવાનું ગાંધીનગરથી કહેવાયું છે.

    1 day ago

    ​સમગ્ર ગુજરાતમાં હાલ એનાલોગ પનીર અને ચીઝ એનાલોગના ગેરકાયદેસર વેચાણ સામે સરકાર દ્વારા કડક વલણ અપનાવીને તંત્રને ત્વરિત કાર્યવાહી કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. સરકારના ગેઝેટ નોટિફિકેશન અનુસાર એનાલોગ પનીર તથા ચીઝ એનાલોગના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કડક નિયમોના અમલીકરણ અર્થે અનેક મહિનાઓ બાદ જૂનાગઢ જિલ્લા ફૂડ વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા આખરે ઊંઘમાંથી જાગીને ધંધે લાગી હોય તેમ સંયુક્ત કામગીરી શરૂ કરી છે. અગાઉ જૂનાગઢ કલેક્ટર દ્વારા પણ લોકોને અપાતા ખાદ્ય પદાર્થોમાં થતા સ્વાસ્થ્ય સાથેના ચેડાં અંગે ભારે નારાજગી વ્યક્ત કરી કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. ​જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની સંયુક્ત ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ડ્રાઇવ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી કુલ 14 જેટલી વેપારી પેઢીઓની આકસ્મિક સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ટીમોને શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 584.5 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત એનાલોગ પનીર તેમજ ચીઝ એનાલોગનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે આ જથ્થાની ગંભીરતા ધ્યાને લઈ સ્થળ પર જ તેનો વિનંતી સાથે નાશ કર્યો હતો, જે જપ્ત કરાયેલા અને નાશ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2,04,575 જેટલી થવા જાય છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે. ​જોકે, આ સમગ્ર સઘન કામગીરી બાદ એક નવો વિવાદ અને મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. જ્યારે આ સમગ્ર મામલે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી એચ. એમ. દવે પાસેથી દરોડા અને જપ્તી અંગેની વિગતવાર માહિતી માંગવામાં આવી, ત્યારે તેમણે 14 પેઢીઓમાં તપાસ કરી જથ્થો પકડાયો હોવાની વાત સ્વીકારી હતી. પરંતુ, જ્યારે કઈ પેઢીમાંથી કેટલા પ્રમાણમાં ભેળસેળયુક્ત કે પ્રતિબંધિત જથ્થો મળ્યો અને તે પેઢીઓના નામો શું છે તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટપણે નામો જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે એવું આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું કે ગાંધીનગરથી જ તેમને તપાસ કરાયેલી પેઢીઓ કે વેપારીઓના નામ જાહેર ન કરવાની મનાઈ કરવામાં આવી છે. ​તંત્ર દ્વારા રૂ. ૨ લાખથી વધુની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હોવા છતાં અને લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતી પેઢીઓના નામ છુપાવવામાં આવતા ફૂડ વિભાગની તટસ્થતા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. દરોડા પાડ્યા પછી પેઢીઓના નામો જાહેર ન કરીને અધિકારીઓ કોને અને શા માટે છાવરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગરના આદેશનું બહાનુ બતાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા તત્વોના નામ ગુપ્ત રાખવાની આ નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ફૂડ વિભાગની આખી કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઈડર તાલુકા પંચાયત ક્લાર્ક 15 હજારની લાંચ સાથે રંગેહાથ પકડાયો:આવાસ યોજના હેઠળ મકાન સહાયનો પ્રથમ હપ્તો મંજૂર થતાં લાંચ માંગી
    Next Article
    બોટાદ ફાયર સ્ટેશનની 150 વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત:આગ કે અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં શું કરવું? બાળકોને ફાયરબ્રિગેડે ટીમે માહિતગાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment