Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેથાપુરના તળાવનો નવો અવતાર:જંગલી ઝાડીઓ દૂર કરાતા જળસંગ્રહ ક્ષમતામાં 150 ટકાનો વધારો થયો, 5 નેસ્ટીંગ આયલેન્ડથી પક્ષીઓ માટે બન્યું આશ્રયસ્થાન

    2 days ago

    ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવને નવજીવન મળ્યું છે. ખાસ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં પર્યાવરણીય સુધારણા સાથે જળસંચયની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. વર્ષોથી જંગલી વનસ્પતિ અને કચરાથી ભરાયેલા આ જળાશયને સાફ કરી તેની ક્ષમતામાં 150 ટકાનો વધારો કરવામાં આવતા તેની જળસંગ્રહ શક્તિ 8030 ઘનમીટર થઈ ચૂકી છે. સફાઈ અભિયાનમાં અડધા ટનનો કચરો તળાવમાંથી દૂર કરાયો પેથાપુર વિસ્તારમાં આવેલા સર્વે નંબર 2709ના 1.21 એકરના તળાવના નવીનીકરણ અંતર્ગત તળાવમાંથી વર્ષો જૂની જંગલી ઝાડીઓ જેવી કે નેલ્ટુમા જુલિફ્લોરા અને અન્ય બિનજરૂરી વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. સફાઈ અભિયાન દરમિયાન અડધા ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. અગાઉ માટીના ધોવાણને કારણે આ તળાવની ક્ષમતા ઘટીને માત્ર 3200 ઘનમીટર રહી ગઈ હતી, પરંતુ 4800 ઘનમીટરથી વધુ ડિસીલ્ટીંગની કામગીરી બાદ હવે આ જળાશય 8030 ઘનમીટર પાણી સંગ્રહવા માટે સજ્જ બન્યું છે. ઉપરાંત તળાવના 230 મીટર લાંબા કાંઠાને ડબલ પાળા દ્વારા મજબૂત કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં માટીનું ધોવાણ અટકે. તળાવમાં માત્ર જળસંચય જ નહીં પરંતુ, જૈવવિવિધતાના જતન માટે પણ અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પક્ષીઓના આશ્રયસ્થાન માટે તળાવમાં 5 નેસ્ટીંગ આયલેન્ડ તૈયાર કરાયા છે જે સફેદ કાંકણસાર, બગલા, ટીટોડી અને કંસારા જેવા સ્થાનિક તેમજ પ્રવાસી પક્ષીઓ માટે આદર્શ ઇકો-સિસ્ટમ પૂરી પાડશે. જ્યારે સમગ્ર તળાવની સુરક્ષા માટે 285 મીટરની કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરી તેને સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પેથાપુરના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની સાથે સ્થાનિક પર્યાવરણમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે.
    Click here to Read More
    Previous Article
    લગ્નની લાલચ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી:રાજકોટમાં મોબાઇલની દુકાન ધરાવતાં શખ્સે સબંધીના ઘરે લઇ જઈ એક જ રાતમાં ચાર વખત દુષ્કર્મ આચરી હું પરિણીત છું કહી તરછોડી દીધી
    Next Article
    'કોંગ્રેસ પ્રમુખ ખડગેને ખબર નથી, આપણે ભણેલા-ગણેલા છીએ':ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે CM-DYCMનો કટાક્ષ સાથે આક્રમક પ્રહાર, કહ્યું- 'ગુજરાતની જનતા આનો જવાબ આપશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment