Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે

    4 days ago

    ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. તેમજ લારી-ગલ્લા વાળાની હાલત પણ કફોડી બની ગઈ છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી હતી. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે. આ પણ વાંચો: દેશભરમાં LPGની અછત, એજન્સીની બહાર લાંબી લાઈન:UP-બિહારમાં પોલીસ સુરક્ષામાં સિલિન્ડર વહેંચાઈ રહ્યા છે, રાજસ્થાનમાં કાળાબજારી શરૂ નાના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા બંધ થવાની શરૂઆત થઈ:હોટલ એસો.ના પ્રમુખ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય જ બંધ થઈ ગઈ છે. એટલે સૌથી મોટો પ્રશ્ન છે કે જે નાની રેસ્ટોરન્ટ જે ગેસ જે ગેસ લાઈન પર નથી ચાલતી એમના માટે મોટી મુશ્કેલી સર્જાવાની છે. ગુજરાતમાં 70 થી 80 ટકા હોટલો ગેસ લાઈન ઉપર ચાલે છે પણ 20 થી 30 ટકા જે રેસ્ટોરન્ટો છે એ ગેસ સિલેન્ડર ઉપર ચાલે છે. નાના ગલ્લા ગેસ સિલિન્ડર એના પર ચાલે છે એ અત્યારે સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. કંપનીમાં અને બે ત્રણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર વાત કરી એમણે કીધું કે કોમર્શિયલ સિલિન્ડર સસ્પેન્ડ કરી રાખવામાં આવ્યા છે. જેથી સિલિન્ડર ઉપર ચાલતા નાના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ધીરે ધીરે બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસમાં એની મોટી અસર દેખાશે. નાના રેસ્ટોરન્ટ વાળા અને લારી ગલ્લાવાળા ગુજરાતમાં બંધ થઈ જશે. સિલિન્ડર વિના ખાલી હાથે પરત ફરવું પડે છે: ગેસ ડિસ્ટ્રિબ્યૂટર સુરતના જાણીતા ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને AR કોન્ટ્રાક્ટર્સના પ્રોપરાઈટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, "યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કંપની દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અછત ક્યારે દૂર થશે તે કોઈ કહી શકતું નથી કારણ કે બધો આધાર યુદ્ધ કેટલો લાંબો સમય ચાલે છે તેના પર છે." આ વૈશ્વિક અનિશ્ચિતતાએ સ્થાનિક સ્તરે મોટા વેપાર-ધંધાને અસર પહોંચાડી છે. એક અંદાજ મુજબ, સુરત શહેરમાં દરરોજ સેંકડો કોમર્શિયલ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોય છે. અજીતભાઈ જણાવે છે કે તેમની એજન્સી પર જ દૈનિક 20 થી 50 જેટલા ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડરની માંગ સાથે આવે છે, પરંતુ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. ઘણા કિસ્સાઓમાં હતાશ થયેલા ગ્રાહકો ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ઘર્ષણમાં પણ ઉતરે છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ કંપનીના સપ્લાય પર નિર્ભર હોવાથી લાચાર છે. ઘરેલું ગેસમાં કોઈ કાપ નહીં, કોમર્શિયલનો 80% પુરવઠો જાળવવા પ્રયાસો: વાઘાણી આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય સંબંધિત પરિસ્થિતિ હોવા છતાં ગુજરાતમાં ઘરેલુ LPG ગેસના પુરવઠામાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને સામાન્ય નાગરિકોને ગેસ પુરવઠામાં કોઈ તકલીફ ન પડે તે માટે જરૂરી પગલાં લઈ રહી છે. ઘરેલું LPG સિલિન્ડર બાબતે સરકારે ખાસ ધ્યાન આપ્યું છે, જેથી ડોમેસ્ટિક વપરાશકર્તાઓને કોઈ સમસ્યા ન પડે. કોમર્શિયલ ગેસ અંગે પણ કંપનીઓ દ્વારા લગભગ 80 ટકા પુરવઠો જળવાઈ રહે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ વૈશ્વિક સ્તરે ગેસ સંબંધિત સંકટ જોવા મળી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને રાજ્ય સરકારે પણ પોતાની જરૂરિયાતો રજૂ કરી પૂરતો જથ્થો મળે તેની વ્યવસ્થા કરી છે. તેમણે રાજ્યની જનતાને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરતા જણાવ્યું કે કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરવામાં આવે. પેટ્રોલ અને ડીઝલનો પણ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે લોકો જે વપરાશ કરે છે તેમાં કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારને સહયોગ આપવો જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું. ‘જરૂર પડશે તો સરકાર ખર્ચ કરીને પણ કોમર્શિયલ ગેસ ઉપલબ્ધ કરાવશે’ વાઘાણીએ વધુમાં સ્પષ્ટતા કરી કે આ નિર્ણય ખાસ કરીને ઘરેલુ અને ડોમેસ્ટિક ગેસ પુરવઠાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પંપો અને સામાન્ય ગ્રાહકોને ગેસ મળવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. જોકે તેનો અર્થ એવો નથી કે કોમર્શિયલ ક્ષેત્રને ગેસ આપવામાં નહીં આવે. જેટલી ઉપલબ્ધતા રહેશે, તે મુજબ કોમર્શિયલ સેક્ટરને પણ પુરવઠો આપવામાં આવશે અને જરૂર પડશે તો સરકાર ખર્ચ કરીને પણ ગેસ ઉપલબ્ધ કરાવશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:હત્યા કરી લાશ ફેંકી હોવાની શંકા, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી
    Next Article
    ગેરકાયદે બાંધકામની અરજી કરી તો અધિકારીએ કહ્યું- 'પુરાવા આપો':જાગૃત નાગરિકોમાં રોષ, કમિશનરને કહ્યું- અરજદાર વારંવાર આધાર પુરાવા વગર અલગ અલગ વિસ્તારની અરજી કરે છે​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment