Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જયંતીની ઠેરઠેર ભવ્ય ઉજવણી:શહેરના ગોળીબાર હનુમાનજી મંદિર તથા ઝાંઝરીયા હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ, સાંજે 150થી વધુ વાનર સેનાની શોભાયાત્રા નીકળશે

    2 days ago

    આજરોજ સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠેરઠેર હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર તથા અધેવાડા પાસે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી, તેમજ બજરંગ દળ દ્વારા સાંજે રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે, તેમજ 150થી વધુ વાનર સેના નગરચર્યાએ નીકળશે, ચૈત્ર સુદ પૂનમના દિવસે રામભક્ત હનુમાનજીના જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર અને જિલ્લાભરના હનુમાનજી મંદિરમાં આજે સવારથી જ દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા છે. શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરે બપોરે 12 વાગે મહાઆરતી કરવામાં આવી હતી. ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ મદનમોહનદાસ બાપાના આશીર્વાદથી હનુમાન જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે ગોળીબાર મંદિરના ખાતે ભક્તો પૂજા અર્ચના કરી સવારથી જ દર્શન કરવા મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી, શહેરના અધેવાડા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ ઝાંઝરીયા હનુમાનજી મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બપોર સુધીમાં હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સવારે અને બપોરના સમયે મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો, અંબિકા માતાજીના મંદિરેથી વાનર સેનાનું તથા દેવી દેવતાઓના વેશ ભૂષા સાથેના ફલોટનું નગરચર્યાએ સાંજે 5 વાગે નિકળવાનું આયોજન કરેલ છે તેમાં વિશેષ ઉપસ્થિતિ સહ આર્શિવચન મહંત ઘનશ્યામ મહારાજ, મહારાજ લોકુરામશર્મા, દુઃખભંજની દેવુમાં, ઉપસ્થિત રહેશે, જેમાં દેવી દેવતાઓ તથા 151 વાનર નગરચર્યાએ હનુમાન જન્મોત્સવ નીમીતે સિંધુનગર વિસ્તારમાં ફરી નગરજનોને દર્શન આપશે.. વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા આગામી 'બલોપાસના દિવસ' અને હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રખંડ કુંભારવાડા તલાવડી પ્રેરિત આ શોભાયાત્રા સતત પાંચમા વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળશે. જેમાં બાલા હનુમાન દાદા મંદિર, માઢીયા રોડ, ધનાભાઈની હોટલ પાસે આ શોભાયાત્રામાં શહેરના આદરણીય સાધુ-સંતો, મહંતો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ શોભાયાત્રા ડીજેના તાલે શ્રી બાલા હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી માઢીયા રોડ, રામદેવજી મહારાજ મંદિર, બાથાભાઈનો ચોક, મેલડી માતા મંદિર, શીતળા માતા ડેરી અને નારી રોડ થઈને પરત ડૉ.બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે નિજ મંદિર પહોંચશે.
    Click here to Read More
    Previous Article
    મોદીની સભામાં પબ્લિક વીફરી, VIDEO:મફતનાં ફૂડ પેકેટ માટે કાંઠલા પકડ્યા, CMએ જૂના કૉંગ્રેસીને જાહેરમાં વખાણ્યા, ઇસુદાન ગઢવીએ પોલીસ સ્ટેશન માથે લીધું
    Next Article
    વલસાડના હિંગરાજમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment