Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના અડધોઅડધ નાગરિકો પર માસિક રૂ. 150નો બોજ વધશે‎:સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાશન દુકાનોથી ખાંડ નહીં મળે

    9 hours ago

    ખાંડની અછત સર્જાયાની બૂમ પડવાની સાથે જ ખાંડના ભાવ 70 પાર કરી ગયા બાદ હવે સરકારી રાશનમાંથી સપ્ટેમ્બર માસથી ખાંડ ગાયબ થઈ ગઈ છે. જો કે, તહેવારો માટે ખાંડ તેલ વગેરેનો જથ્થો ગત ઓગસ્ટ માસમાં જ આપી દેવાયો હતો. પરંતુ 25 ઓગસ્ટથી ઈશ્યુ થયેલ ચલણોમાં ખાંડની બાદબાકી કરી દેવાઈ છે. જેને પગલે સાબરકાંઠાના અડધો અડધ નાગરિકો પર પ્રતિમાસ સરેરાશ રૂ.150 નો આર્થિક બોજ વધી જનાર છે. સાબરકાંઠામાં 517 જેટલા એફ.પી.એસ આઉટલેટ છે છેલ્લા બે મહિનાથી નવા સુધારા પ્રમાણે પરિવારમાં એક થી ચાર સદસ્ય હોય તો એક કિલો, 5 થી 8 સદસ્ય હોય તો 2 કિલો અને 8 થી વધુ સદસ્ય હોય તો 3 કિલો . ખાંડ આપવામાં આવતી હતી. પરંતુ ગત 25 ઓગસ્ટથી ઈશ્યુ થયેલ ચલણોમાં ખાંડની બાદબાકી કરી દેવાઈ છે. રાશનની દુકાનોમાં આપવા માટે સરકાર પાસે ખાંડનો જથ્થો ખૂટી પડ્યો છે જેની સીધી અસર જિલ્લાની અડધો અડધ વસ્તી પર થવાની છે. ખાંડ ખુટી હોય અને એફ પી એસ આઉટલેટ પરથી વિતરણ બંધ કરાયુ હોય તેવું આજદિન સુધી થયું ન હોવાનુ સંચાલકો કહી રહ્યા છે. એસો. પ્રમુખ મનદીપભાઈએ જણાવ્યું કે મહિનાના પ્રથમ સપ્તાહમાં વિતરણ થતું નથી અને સાતમ આઠમના તહેવારો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવતા હોવાથી ખાંડ, તેલ સહિતનો જથ્થો ઓગસ્ટ માસમાં જ આવી ગયો હતો અને એડવાન્સમાં વિતરણ કરાઈ રહ્યું છે. 25 ઓગસ્ટ બાદ ઈશ્યૂ થયેલા ચલણોમાં ખાંડ નથી તેથી સપ્ટેમ્બરમાં વિતરણની શરૂઆતમાં ખાંડ નહીં મળે તેવું જણાય છે.
    Click here to Read More
    Previous Article
    જુગાર રમતા તત્વો સામે પોલીસની લાલ આંખ:પાટણ જિલ્લામાં પોલીસે નવ સ્થળે રેડ કરી 45 જુગારી ઝડપ્યા,91 હજારની મત્તા જપ્ત
    Next Article
    ગત વર્ષે દોડાવેલ 464 ટ્રીપ સામે આ વર્ષે 725 દોડાવી‎:રક્ષાબંધને હિંમતનગર એસટી ડિવિઝને 35 લાખ આવક કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment