Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:બિલ્ડર વિરલ અજમેરા-પુત્ર સામે 150 કરોડની જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ નોંધવા કલેક્ટરનો હુકમ

    11 hours ago

    શહેરના મોટાગજાના બિલ્ડર પિતા-પુત્ર અને મહિલા સહિત 6 સામે આણંદ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો છે. મહીસાગર નદીના કિનારે આવેલી અંદાજે 150 કરોડની જમીનના વિવાદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ઉઠતાં કલેક્ટરે આદેશ આપ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, આ મામલામાં ફરિયાદી પણ શહેરના તરસાલીનો રહીશ છે. જેમાં મિનેશભાઈ બિપીનભાઇ પટેલ દ્વારા આણંદ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગે 8 એપ્રિલ,2025માં ઓનલાઇન અરજી કરી હતી. જેમાં આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા ગામની જમીન અંગેની ફરિયાદ હતી. જેમાં શહેરના બિલ્ડર વિરલ હસમુખરાય અજમેરા અને પુત્ર અભિષેક વિરલ અજમેરા, પેરેડાયઝ કોમ્પ્લેક્સ, સયાજીગંજ તથા આરપીએ પાર્ટનર સર્વિસના ભાગીદારોનો સમાવેશ થાય છે. મિનેશભાઈએ આણંદ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી હતી કે, આંકલાવ તાલુકાના વાંટા ગામની જમીનના એ માલિક છે, જેની પૂર્વમાં મહીસાગર નદી છે. આ માલિકીની જમીનમાં 6 ઇસમો દ્વારા 2 પાકાં મકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. કોઈ પણ જાતના પુરાવા વગર નગર નિયોજક કચેરીના નકશા પાસિંગ વગર બાંધકામ ચાલે છે. જમીનની જિલ્લા નિરીક્ષક દફતરે કચેરીની માપણી રજૂ કરી છે. આ જમીનનો કબજો અપાવી ન્યાય મળે એ માટે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ હેઠળની કાર્યવાહી કરવા માગ કરી હતી. જે અંગે સમિતિના નિર્ણય બાદ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.જેની સામે અગાઉ બોરસદ કોર્ટમાં બિલ્ડર વિરલ અજમેરા દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી, જેને જજ જે.આર.પંડિતે નામંજૂર કરી હતી. જ્યારે અન્ય સેલ્વાદાસ જ્ઞાનમણી જોય ખ્રિસ્તીયન દ્વારા બોરસદ ડે.કલેક્ટર લેન્ડ ગ્રેબિંગ અંગે કાર્યવાહી ન કરે તેવી માગ કરવામાં આવી હતી. જેને પણ હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ.પી.મેઈ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. જો કે તેમ છતાં હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ ન થતાં અનેક સવાલો ઊભા થયા છે. કમિટીએ સર્વાનુમતે નિર્ણય લઇ જિલ્લા પોલીસ વડાને મોકલ્યો કલેક્ટર આણંદની મિનેષ પટેલે કરેલી ઓનલાઇન લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ કમિટીની બેઠક મળી હતી. જેમાં પોલીસ ફરિયાદ કરવા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેની જાણ કરતો પત્ર જિલ્લા પોલીસ અધિક્ષકને મોકલાયો હતો. જેમાં આરોપી તરીકે વિરલ હસમુખરાય અજમેરા અને અભિષેક વિરલ અજમેરા હોવાનું દર્શાવ્યું છે. જ્યારે વિરલ અજમેરાએ આર.પી.એ સર્વિસીસના ડિરેક્ટર સેલ્વાદાસ જ્ઞાનમની સાથે કરેલા રજિસ્ટર વેચાણ દસ્તાવેજમાં અસ્પષ્ટ વિગતો હોવાનું જણાવ્યું છે. આ ઓર્ડર જિલ્લા પોલીસ અધિક્ષક ઉપરાંત પ્રાંત અધિકારી બોરસદ અને મામલતદાર આંકલાવને પણ મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીને ફરિયાદ નોંધાવવા બોલાવ્યા છે વાંટાની જમીન પચાવી પાડવા અંગે તરસાલીના મિનેષ પટેલે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેમાં કમિટીએ વિરલ અજમેરા અને અભિષેક અજમેરા વિરુદ્ધ નિર્ણય લેવાયો હતો. કલેક્ટરે બંનેવે લેન્ડગ્રેબિંગ કર્યું હોવાનું ઠેરવી પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. મિનેશભાઈને ફરિયાદ આપવા જાણ કરી હતી. એ બહાર હોવાથી આવી શક્યા નથી. આવ્યા બાદ નિવેદન લઈ ગુનો નોંધાશે. > પી.જે બાંટવા, પીએસઆઇ, આંકલાવ પોલીસ મથક મેં જ તેમને જમીન વેચી હતી આંકલાવના ભેટાસી વાંટા ગામની સર્વે નં. 976 વાળી જમીન મારી હતી. મેં જ આ જમીન મિનેશભાઈને વેચી હતી. બાદમાં અન્ય જમીન પર ચાલતા બાંધકામને પોતાની જમીન સમજી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ અંગે પોલીસ ફરિયાદ કરવા હુકમ કર્યો છે. જોકે ઊંચા-નીચા ટેકરાવાળી જમીન હોવાથી માપણી શક્ય નથી. > વિરલ અજમેરા, આરોપી બિલ્ડર
    Click here to Read More
    Previous Article
    સત્યજિતસિંહ ગાયકવાડની માગ:મહારાજા સયાજીરાવને તેમના કાર્યો બદલ ભારતરત્ન આપો
    Next Article
    મહારાજાને જન્મજયંતીએ સ્મરણાંજલિ:સયાજીરાવે વર્ષ 1910માં જ બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ સ્થાપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment