Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ ચેસ ચેમ્પિયન દ્વારા સ્વખર્ચે ચેસ શીખવવાનું અભિયાન:વીરેન્દ્રસિંહ ઝાલાએ પાટડીમાં 150 વર્કશોપ પૂરા કરી ઇતિહાસ રચ્યો

    11 hours ago

    વીરેન્દ્રસિંહ ઝાલા, જેઓ BSNL ચેસ માસ્ટર અને નેશનલ ચેસ ચેમ્પિયન છે, તેમણે નિવૃત્તિ પછી ગુજરાતભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે ચેસ શીખવવાનું અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં, તેમણે પાટડીમાં "વિદ્યાર્થી સુધરશે વિશ્વ સુધરશે" અભિયાન હેઠળ 150 ચેસ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. પાટડીની ચાર શાળાઓમાં આ વર્કશોપ યોજાયા હતા. જેમાં શ્રી નાનુબાપા કન્યા શાળામાં આચાર્ય ત્રિકમભાઈ અને રોહિતભાઈના સહયોગથી 147મો, નૂતન વિદ્યાલયમાં આચાર્ય ચાવડા મુળજીભાઈ અને જયભાઈ રાવલના સહયોગથી 148મો, સ્કૂલ ઓફ ડિવોશનમાં લાલજી પટેલની હાજરીમાં 149મો અને માતૃસંસ્થા કલાડા દરવાજા ખાતે 150મો વર્કશોપ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં કુલ 1000 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વીરેન્દ્રસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને ચેસના નિયમો, એલિમેન્ટરી મેટ, પોન પ્રમોશન, મૂવ કેપ્ચર જેવી મૂળભૂત બાબતોની ઝીણવટભરી સમજૂતી આપી હતી. તેમનો ઉદ્દેશ્ય ગુજરાતની 200 શાળાઓમાં મફત વર્કશોપ યોજીને વિદ્યાર્થીઓમાં ચેસ પ્રત્યે રુચિ જગાવવાનો છે. અત્યાર સુધીમાં તેમણે 150 વર્કશોપ પૂર્ણ કર્યા છે અને દરેક શાળાને પાંચ ચેસ સેટ પણ ભેટ આપીને વિદ્યાર્થીઓને ચેસ રમવા પ્રેરણા આપી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વતની વીરેન્દ્રસિંહ ઝાલાએ 1980માં થાનગઢથી ટેલિફોનની નોકરી દરમિયાન 25 વર્ષની ઉંમરે ચેસ શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે નેશનલ લેવલે અનેક ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશિપ જીતી છે. 1990માં તેમણે રશિયન ગ્રાન્ડ માસ્ટર ઓલે ડીઝુબીનને અમદાવાદમાં અને 1998માં વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયન વિરામ અવારીને હરાવ્યા હતા. વર્ષ 2008માં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ જિલ્લાના 1100 શિક્ષકોને 12 મેથી 27 જૂન સુધી ચેસ પ્રશિક્ષણ આપવાનો આદેશ કર્યો હતો, જેમાં વીરેન્દ્રસિંહ ઝાલા, મયુર પટેલ, ધર્મેન્દ્ર પંડ્યા અને સ્વ. રાજેન્દ્ર સ્વામિનારાયણ જેવા ગુજરાતના ચાર નિષ્ણાત પ્રશિક્ષકોનો સમાવેશ થતો હતો. નરેન્દ્ર મોદીનું મિશન હતું કે ચેસ ગુજરાતના ખૂણેખૂણે પહોંચે. વીરેન્દ્રસિંહ ઝાલાનું પણ 1985થી એક સ્વપ્ન હતું કે ચેસ શાળાઓમાં દાખલ થવી જોઈએ, જે તેમણે ટેલિફોન વિભાગની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ સાકાર કરવાનું શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વનવિભાગની કાર્યવાહી:લીલીયા રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન દરમિયાન માનવ મૃત્યુ, બે આરોપીની ધરપકડ
    Next Article
    હિટ એન્ડ રન, ડમ્પરે મહિલાને કચડી:યુવક પીછો કરી ડમ્પર પરત લાવ્યો'ને ઘટનાસ્થળે જોયું તો માતાનો મૃતદેહ હતો; નશામાં ધૂત કાર ચાલકે 3ને ઉડાવ્યા, વડોદરામાં બે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment