Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્ફોર્મિંગ આર્ટ્સમાં કલા ઉત્સવ:ઉસ્તાદોથી ઊભરાતું મ્યુઝિક કોલેજનું ઓપન એર થિયેટર ફાયર સેફ્ટિની ગૂંચમાં 15 વર્ષે કલાથી ખીલ્યું

    12 hours ago

    મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા લગભગ 60 વર્ષ જૂના ઐતિહાસિક ઓપન એર થિયેટરમાં 15 વર્ષ બાદ ફરી વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. ઉસ્તાદોથી ઊભરાતું મ્યુઝિક કોલેજનું ઓપન એર થિયેટર ફાયર સેફ્ટિની ગૂંચમાં 15 વર્ષે કલાથી ખીલ્યું. લાંબા સમય બાદ આ મંચ પર સંગીત, નૃત્ય અને નાટ્યકલાના કાર્યક્રમો યોજાતા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કલારસિકો માટે આ વિશેષ પ્રસંગ બન્યો હતો. કાર્યક્રમમાં સંગીત, નૃત્યના સમન્વય દ્વારા શાસ્ત્રીય સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી. પ્રથમ દિવસના કાર્યક્રમો પ્રખ્યાત નાટ્યકાર અને શિક્ષણવિદ્ પદ્મશ્રી ચંદ્રવદન મહેતાની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ સ્તુતિથી કરવામાં આવી, જેના દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક અને કલાત્મક માહોલ પ્રાપ્ત થયો. ત્યારબાદ ‘રાગ-રંગ’ કાર્યક્રમ હેઠળ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ રજૂઆતો કરવામાં આવી. તેમજ ‘ગ્લોરી ઑફ તીનતાલ’ કાર્યક્રમ દ્વારા ભારતીય લયપરંપરાની વિશિષ્ટતા અને તબલા વાદનની કલાત્મકતા રજૂ કરવામાં આવી. આ સાથે કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ તરાના તથા કથક નૃત્યની રચનાઓએ ભારતીય શાસ્ત્રીય કલાની સૌંદર્યપરંપરાને ઉજાગર કરી હતી. 60 વર્ષ જૂના ઓપન એર થિયેટરમાં ફરી કલાનો ગુંજારો પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રેએ જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાતો આ વાર્ષિકોત્સવ સમગ્ર સંકુલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે સંગીત, નૃત્ય અને નાટ્યકલા ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ સ્તંભો છે અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની અમૂલ્ય તક મળે છે.
    Click here to Read More
    Previous Article
    અર્થરંગના ચોથા દિવસે વિદ્યાર્થીઓએ રજૂ કરી કળા:કોમર્સ ફેકલ્ટીના યૂથ ફેસ્ટમાં કલા, અભિનય અને નૃત્યના સંગમથી સ્ટુડન્ટ્સનો સ્ટેજનો ડર દૂર થયો
    Next Article
    સમૂહ લગ્નોત્સવ ‎યોજાયો:રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલે પ્રભુતામાં પાડ્યાં, છૂટાછેડા નહીં લેવા વચનબદ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment