Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમવાર કેસુડા મહોત્સવ યોજાઈ:પીપળાવાળી‎વાવ ખાતે 15મી માર્ચે ઉજવણી કરાશે‎

    1 day ago

    બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમન સાથે પ્રથમ વખત કેસુડા મહોત્સવ-2026 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 15 માર્ચે સાંજે 04:00 વાગ્યે દાંતા તાલુકાના દાંતા–અંબાજી રોડ પર આવેલી પીપળાવાળી વાવ ખાતે યોજાશે. વસંત ઋતુ દરમિયાન ખીલી ઉઠતા કેસુડા (પલાશ)ના અગ્નિરંગી ફૂલોથી સજ્જ થતી પ્રકૃતિના અનોખા સૌંદર્યને લોકો નજીકથી નિહાળી શકે અને તેના પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે.લોકો કેસુડાનું મહત્વ સમજે તે માટે આ આયોજન કરવામાં આવે છે. મહોત્સવ દરમિયાન પલાશ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે, જેમાં કેસુડા વૃક્ષ અને તેની આસપાસના કુદરતી દૃશ્યોના આકર્ષક ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાશે. સાથે સાથે વસંત ઋતુ અને લોક સંસ્કૃતિને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત કેસુડાના ફૂલમાંથી બનતા કુદરતી રંગો, ઔષધીય ઉપયોગી વસ્તુઓ અને પરંપરાગત ઉત્પાદનોના સ્ટોલ મુકવામાં આવશે, જેથી લોકોને કેસુડા વૃક્ષના વિવિધ ઉપયોગો વિશે માહિતી મળી શકે. કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ યોજાશે. વન્યજીવ વિભાગના જણાવ્યા મુજબ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને કેસુડા (પલાશ) વૃક્ષનું પર્યાવરણમાં મહત્વ, તેના પરંપરાગત ઉપયોગો અને વન્યજીવન સાથેના સંબંધ વિશે માહિતગાર કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પરીક્ષાર્થીઓને ફેરો પડ્યો‎:રેલવે નર્સિંગની ભરતી પરીક્ષામાં કેપિટલમાં ટૂંકી સહી‎ માન્ય નહીં રાખતા પ્રવેશ ન મળતા ઉમેદવારો રઝડ્યા‎
    Next Article
    કોર્ટે ફટકારી સજા:મારામારી કેસમાં ચાર આરોપીને કોર્ટે બે વર્ષ કેદની સજા ફરમાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment