Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ બાદ યાદીમાં નામ સામેલ થતાં પૂર્વ મેયર કાર્યક્રમમાં ગેરહાજર:વડાપ્રધાનના રેકોર્ડના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં વોર્ડ 15માં પૂર્વ ચેરમેને વૃક્ષારોપણ કર્યું

    11 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવો કીર્તિમાન સ્થાપિત કરાતા તેની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોના નામ સાથેની યાદી હોદ્દેદારોને મોકલવામાં આવી હતી. જો કે આ યાદીમાં તત્કાલીન મેયર અને ચેરમેનના નામ સમાવિષ્ટ કરવામાં આવ્યા ન હતા જેના કારણે વિવાદ ઉભો થયો હતો. આ અંગેનો વિવાદ સામે આવતા પુનઃ યાદી બનાવવામાં આવી હતી અને છેલ્લી અઢી વર્ષના મેયર અને ચેરમેનના નામ ઉમેરવામાં આવ્યા હતા. જે બાદ યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન તો સામેલ થયા હતા, પરંતુ પૂર્વ મેયર દેખાયા ન હતા. વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની વિવિધ સ્થળોએ ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે ઉપરાંત તેઓએ દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકેનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે જેની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. વિવાદ બાદ પૂર્વ ચેરમેન અને પૂર્વ મેયરનું નામ ઉમેરાયું શહેરમાં ભાજપ સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના આગેવાનોને વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી જો કે આ યાદીમાં તત્કાલીન ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી અને તત્કાલીન મેયર પિંકી સોનીના નામની બાદબાકી થઇ હતી. જે વિવાદ બાદ બંનેના નામ સમાવી નવી યાદી જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિવાદ સમી ગયો હતો. પૂર્વ ચેરમેને વોર્ડ 15માં હાજરી આપી, પૂર્વ મેયર વોર્ડ 5માં હાજર ન રહ્યા નવી યાદી પ્રમાણે ગુરુવારે યોજાનાર કાર્યક્રમમાં વોર્ડ 15માં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાઈને પાંચ પિલર પર ભાર મુક્યો હતો. રાષ્ટ્રનિર્માણ, ગરીબ કલ્યાણ, વિરાસત ભી વિકાસ ભી, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્ર પ્રથમ મુદ્દાઓ ઉપર ભાર મુક્યો હતો. જો એક અન્ય કાર્યક્રમ વોર્ડ 5માં યોજવામાં આવ્યો હતો જેમાં મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પૂર્વ મેયર પિંકી સોનીનું નામ પણ હતું પરંતુ તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    પુણા લેક ગાર્ડનના ગેટ પાસે યુવકની હત્યા:પ્રેમ પ્રકરણમાં હત્યા થયાની આશંકા, શહેરમાં 5 મહિનામાં 50થી વધુ હત્યાના બનાવ
    Next Article
    હત્યા કેસના બે આરોપીઓને ફાંસીની સજા, એકને સાત વર્ષની કેદ:હિંમતનગર સેશન્સ કોર્ટનો ચુકાદો; પૈસાની લેતીદેતીમાં સલૂન સંચાલકની હત્યા કરી લાશને ડોલમાં ભરી ફેંકી દીધી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment