Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બતાવે છે પ્રદીપ ગુરૂનો 'રહસ્ય લોક':સુરતના આશ્રમમાં જમીન નીચે બંકર જેવા રૂમ; 15 ફૂટ ઊંચી દીવાલ પર કાંટાળી તાર, નકલી નોટનું મહાનેટવર્ક અહીં જ બનાવ્યું

    17 hours ago

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે(18 માર્ચ) એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ તમામ નોટો 500 રૂપિયાના દરની હતી. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી હતી. આ મામલે સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દિવ્ય ભાસ્કર પણ પ્રદીપ ગુરુજીના ‘રહસ્યલોક’માં પહોંચ્યું હતું. કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ સુરત કામરેજના ધોરણ પારડી ગામની સીમમાં લગભગ એક વીઘા જમીનમાં ફેલાયેલા આ 'સત્યમ યોગ ફાઉન્ડેશન'ની સૌથી પહેલી ઓળખ તેની રહસ્યમય ઊંચી દીવાલો છે. સામાન્ય રીતે કોઈ પણ આધ્યાત્મિક આશ્રમ ખુલ્લો અને ભવ્ય હોય છે, પરંતુ યોગગુરુ પ્રદીપે તેના આશ્રમની ચારે બાજુ 15 ફૂટ ઊંચી દીવાલો ચણી લીધી હતી. આ દીવાલો પર લોખંડના તારની ફેન્સીંગ કરવામાં આવી હતી, જેથી બહારથી કોઈ વ્યક્તિ અંદર ડોકિયું પણ ન કરી શકે. સુરતની કોઈ મોટી સ્કૂલમાં પણ ન હોય તેવી આ કિલ્લેબંધી પાછળ પાપ છુપાયેલું હતું. ગેટ ખોલતાં જ આલિશાન લાઈફસ્ટાઈલ, ગૌશાળા અને અશ્વશાળા મુખ્ય ગેટથી અંદર પ્રવેશતાં જ આ આશ્રમ કોઈ સાત્વિક કેન્દ્ર ઓછું અને કોઈ રાજા-રજવાડાંનો આલિશાન મહેલ વધુ હોય તેવું દ્રશ્ય દેખાય છે. આશ્રમમાં પ્રવેશતાં જ એક બાજુ ગૌશાળા બનાવવામાં આવી છે, જ્યાં ગાયો રાખવામાં આવતી હતી. નવાઈની વાત એ છે કે યોગગુરુ પ્રદીપને ઘોડા પાળવાનો ભારે શોખ હતો, જેના માટે તેણે ખાસ અશ્વશાળા બનાવી હતી. લક્ઝરી ગાડીઓ અને મોંઘાદાટ અશ્વ આ કહેવાતા યોગ ગુરુની લક્ઝરી લાઈફની સાક્ષી પૂરે છે, જે સામાન્ય યોગીને ક્યારેય પરવડે નહીં. ખાસ ઓફિસના સોફા પર બેસીને રચાતું 'ફેક કરન્સી'નું ષડયંત્ર આશ્રમની અંદર પ્રદીપની એક અત્યંત આધુનિક ઓફિસ આવેલી છે, જે મોંઘા ફર્નિચરથી સજ્જ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ એ જ ઓફિસ છે, જ્યાં પ્રદીપ તેના ખાસ સોફા પર બેસીને આખા રાજ્યમાં ફેક કરન્સી સપ્લાય કરવાનું નેટવર્ક ઓપરેટ કરતો હતો. અહીંથી જ નકલી નોટો છાપવાથી લઈને તેના વિતરણ અને બજારમાં ઘુસાડવા સુધીના તમામ પ્લાન તૈયાર કરવામાં આવતા હતા. યોગના બહાને આવતા લોકોની નજરથી બચીને અહીં કરોડો રૂપિયાની નકલી નોટોનું કાળું બજાર ધમધમતું રાખવામાં આવતું હતું. આ પણ વાંચો: સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી, પ્રદીપ ગુરુજીની ધરપકડ યોગાશ્રમમાં રહસ્યમય બેઝમેન્ટ દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આશ્રમની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે પ્રદીપે આખા બિલ્ડિંગમાં મોટા બેઝમેન્ટ બનાવી રાખ્યા હતા. આ બેઝમેન્ટમાં જ નકલી નોટો છાપવાનું મશીન કે અન્ય ગેરકાયદે સામગ્રી છુપાવવામાં આવતી હોવાની પૂરેપૂરી શંકા સેવાઈ રહી છે. હથિયાર અને સંગીતનો અનોખો સંગમ, એક બાજુ સિતાર, બીજી બાજુ તલવાર પ્રદીપની ઓફિસમાં અને તેના રહેવાના રૂમમાં તપાસ કરતા કેટલીક અત્યંત ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. તેના ખાસ સોફાની એક બાજુ સંગીતનું સાધન સિતાર પડ્યું હતું, તો બરાબર તેની બીજી બાજુ એક તીક્ષ્ણ અને મોટી તલવાર રાખવામાં આવી હતી. યોગગુરુની પવિત્ર છબી ધરાવતો આ શખ્સ હથિયાર અને સંગીત બંને પોતાની પાસે રાખતો હતો. આ દ્રશ્ય તેની બેવડી માનસિકતા દર્શાવે છે કે તે બહારથી સંગીતપ્રેમી યોગી દેખાતો હતો, પરંતુ અંદરથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો ખતરનાક વ્યક્તિ હતો. રાત્રે યુવતીઓની રહસ્યમય અવરજવર સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ આશ્રમમાં રાતના સમયે અસામાન્ય ગતિવિધિઓ વધી જતી હતી. રાત્રે 12 વાગ્યા પછી અંધારામાં લક્ઝરી ગાડીઓમાં બહારના ગામની અજાણી યુવતીઓ આશ્રમમાં આવતી હતી અને વહેલી સવારે 4 વાગ્યે પરત જતી રહેતી હતી. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર શંકા વ્યક્ત કરી હતી કે યોગ અને આયુર્વેદિક સારવારના નામે અહીં કંઈક ગંભીર અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ રાત્રિના વ્યવહારને કારણે આખા ગામના વાતાવરણ પર અને યુવા પેઢી પર અત્યંત ખરાબ અસર પડી રહી હતી. આયુર્વેદિક સારવારના નામે નકલી નોટો છાપવાની મોડસ ઓપરેન્ડી લોકોની નજરમાં અને પોલીસની નજરમાં સારો દેખાવા માટે પ્રદીપ અહીં આયુર્વેદિક સારવારના કેમ્પ અને યોગ શિબિરોનું આયોજન કરતો હતો. પંચકર્મ અને યોગના આસનો શીખવવાના બહાને તે મોટા ઘરના પ્રતિષ્ઠિત લોકોને આશ્રમમાં આમંત્રિત કરતો હતો. આ આધુનિક કોમ્પ્યુટર સિસ્ટમ અને મેડિકલ સાધનોની આડમાં તે પોતાનું નકલી નોટોનું મસમોટું નેટવર્ક સુરક્ષિત રીતે ચલાવી રહ્યો હતો. આ તેની એક એવી સ્કીમ હતી જેમાં કોઈને શંકા ન જાય કે આટલો મોટો યોગગુરુ આવું નીચું કામ કરી શકે છે. સાત વર્ષમાં ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય ધોરણ પારડી ગામના લોકોના જણાવ્યા મુજબ, આ જમીન પહેલા ગામના મૂળ નિવાસીઓની જ હતી. લગભગ 10 વર્ષ પહેલા આ જમીન રીસેલ થઈ અને 7 વર્ષ પહેલા પ્રદીપ નામના આ શખ્સે અહીં પગ પેસારો કર્યો હતો. આવતાની સાથે જ તેણે મોટા પાયે પુરાણકામ અને આલિશાન બાંધકામ શરૂ કર્યું હતું. જ્યારે તેણે 15 ફૂટની દીવાલો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે ગામના લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ તેણે આ બધું અંગત સુરક્ષા અને યોગની એકાગ્રતા માટે હોવાનું બહાનું કાઢ્યું હતું. ખોટા કામોને કારણે પત્નીએ લીધા છૂટાછેડા પ્રદીપના અંગત જીવનની વાત કરીએ તો, આશ્રમમાં હાલમાં તેના વૃદ્ધ પિતા અને માતા તેની સાથે રહે છે, પરંતુ તેની પત્ની છેલ્લા પાંચ વર્ષથી તેની સાથે રહેતી નથી. ગ્રામજનોમાં ચર્ચાતી વાતો મુજબ, પ્રદીપના આશ્રમમાં ચાલતા ખોટા કામો અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે જ તેની પત્નીએ તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો અને કંટાળીને ડિવોર્સ લઈને પિયર ચાલી ગઈ હતી. એક પત્ની પોતાના પતિના કાળા કારનામા સહન ન કરી શકી અને આખરે તેનો સંસાર પણ વેરવિખેર થઈ ગયો હતો. ‘સત્યમ’ હેર સલૂનથી 'સત્યમ યોગ ફાઉન્ડેશન' સુધીની સફર પ્રદીપ સૌથી પહેલા રાજકોટમાં 'સત્યમ' નામથી હેર સલૂન ચલાવતો હતો. ત્યાં ક્રિષ્ના નામની યુવતી સાથે લગ્ન કર્યા બાદ તે સુરત આવી ગયો હતો. ધીમે ધીમે તેણે YouTube અને સોશિયલ મીડિયા પર યોગના અલગ-અલગ આસનોના વીડિયો મૂકવાની શરૂઆત કરી હતી અને એક અનુયાયી વર્ગ ઊભો કર્યો હતો. ત્યારબાદ તેણે 'સત્યમ યોગ ફાઉન્ડેશન' નામની સંસ્થા ઊભી કરી હતી. ગામના લોકોના જણાવ્યા મુજબ, તેણે લોકો પાસેથી પૈસા એકઠા કરી પોતાના નામે આ જમીન ખરીદી હતી. આ પણ વાંચો…નકલી નોટો પકડવા PIએ 24 પોલીસકર્મી સાથે સવારથી વોચ ગોઠવી, બપોરે 3 વાગ્યે ફોર્ચ્યુનર દેખાતા ઓપરેશન પાર પાડ્યું પોલીસ તપાસમાં હજુ મોટા ખુલાસાની શક્યતા હાલમાં નકલી નોટોના આ માસ્ટરમાઇન્ડ પ્રદીપને પોલીસે સકંજામાં લીધો છે અને આશ્રમના ખૂણેખૂણામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આશ્રમમાં માત્ર 2 કરોડની નકલી નોટો જ છપાતી હતી, કે પછી અહીં કોઈ મોટા દેહવિક્રયના રેકેટ કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી? તાપી કિનારે આવેલો આ આલિશાન આશ્રમ હવે ગુનાખોરીના એક એવા મધ્યબિંદુ તરીકે ઉભરી રહ્યો છે, જેણે સમગ્ર દક્ષિણ ગુજરાતને હચમચાવી દીધું છે. આ પણ વાંચો: 100, 200, 500… માગો એટલી નકલી નોટ
    Click here to Read More
    Previous Article
    આરજી-કર રેપ પીડિતાની માતાને ભાજપ ટિકિટ આપશે:આસામ CM હિમંતા કામરૂપમાં આજે ઉમેદવારી નોંધાવશે; કોંગ્રેસ અને રાયજોર વચ્ચે ગઠબંધન ફાઇનલ
    Next Article
    સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત:મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા 50થી 60 ફૂટ ઢસડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment