Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના રસ્તાઓ બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી:ડ્રેનેજ અને રોડ વાઈડનીંગના કામમાં ઢીલાશથી સ્થાનિકોમાં રોષ, કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થવાની ડેડલાઈન આપી

    1 week ago

    નવસારી શહેરમાં ડ્રેનેજ લાઇન અને રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને આંતરિક રસ્તાઓની હાલત બિસ્માર બની છે. આ કામગીરીમાં ઢીલાશને કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધતા રોષ વચ્ચે નવસારી મહાનગરપાલિકાના કમિશનરે 15 એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. વિરાવળથી ટાટા સ્કૂલ, ગ્રીડથી જુનાથાણા, છાપરા રોડ અને મોટા બજાર જેવા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. ગટર અને પાણીની લાઇન નાખ્યા બાદ તંત્ર દ્વારા રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ ન થતા આખું શહેર ધૂળની ડમરીઓમાં ગરકાવ થઈ રહ્યું છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રિક્ષાચાલક હબીબ ખાને પોતાની સમસ્યા વર્ણવતા જણાવ્યું કે, રસ્તાઓ ખોદ્યા પછી સમયસર પુરાતા નથી. હોળી પહેલાથી કામ બંધ જેવું જ છે. રસ્તાની વચ્ચે ખાડા હોવાથી રિક્ષાના જમ્પર તૂટી જાય છે અને કમરના દુખાવા થાય છે. રસ્તો એટલો સાંકડો થઈ ગયો છે કે બે વાહનો સામસામે પસાર થઈ શકતા નથી. તેમણે સ્મશાનથી મચ્છી માર્કેટ સુધીનો રસ્તો વહેલી તકે બનાવવાની વિનંતી કરી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખ દીપક બારોટે વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, નવસારી મનપા બન્યા પછી વિકાસના નામે માત્ર ખોદકામ જ જોવા મળે છે. સુરત પ્રવેશદ્વાર (ટાટા સ્કૂલથી વેરાવળ), ઈટાળવાથી લુન્સીકુઈ અને એરુથી સ્ટેશન સુધીના તમામ રસ્તાઓ બિસ્માર છે. તેમણે પાંચ વર્ષથી ચાલી રહેલા ઓવરબ્રિજના કામમાં વિલંબ અને ગત વર્ષે ખાડીમાં પડીને એક યુવાનના મોતનો પણ ઉલ્લેખ કર્યો. આ ઘટનાઓ કમિશનરના વહીવટની નિષ્ફળતા દર્શાવે છે તેમ બારોટે ઉમેર્યું હતું. વધતા રોષને પગલે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ ગ્રીડ ફ્લાયઓવર અને વેરાવળથી ટાટા સ્કૂલ સુધીના રોડની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ગ્રીડ ફ્લાયઓવર નીચે પ્લેસ મેકિંગ અને ગ્રીડથી સેવા સદન સુધી રોડ વાઈડનીંગની કામગીરી ચાલી રહી છે. કમિશનરે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપી હતી અને આશા વ્યક્ત કરી કે, 15 એપ્રિલ સુધીમાં બંને મુખ્ય રસ્તાઓ અને અંડરબ્રીજનું કામ પૂર્ણ થઈ જશે. આનાથી લોકોને ટ્રાફિક અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    ધૂળ પર ડામર પાથરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ:​માણાવદરમાં સફાઈ વગર જ પેચવર્ક શરૂ કરાતા વેપારીઓનો હલ્લાબોલ; ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્થળ પર પહોંચી એન્જિનિયરનો ઉધડો લીધો
    Next Article
    આંગણવાડી બહેનોની સજ્જડ હડતાલ:'શોષણ બંધ કરો'ના નારા સાથે રણચંડી બની મેદાનમાં ઉતરી કાર્યકર બહેનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment