Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇકબાલગઢમાં દુકાનમાં મોડી રાત્રે આગ:શોર્ટસર્કિટથી લાગી હોવાની આશંકા, 15 લાખનું નુકસાન

    9 hours ago

    અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ગત મોડી રાત્રે જયભારત ટ્રેડિંગ નામની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ઇકબાલગઢ હાઇવે વિસ્તારમાં આવેલી આ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને દુકાનમાં રહેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. પાલનપુરથી ફાયર ફાયટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમે બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ દુકાનમાં રહેલા મોટાભાગના માલસામાનને નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં દુકાન માલિકને અંદાજે રૂ. 10 થી 15 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અભિનેત્રી ચાર્લી ચૌહાણે ક્રિકેટર રમણદીપ સિંહ સાથે લગ્ન કર્યા:ગુરુદ્વારામાં ફેરા લીધા, 8 વર્ષ સુધી સિક્રેટ રાખી રિલેશનશિપ, અર્શદીપ સિંહ સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા
    Next Article
    અમરેલીથી સોમનાથ નવી ST બસ સેવા શરૂ:સાંસદ ભરત સુતરિયાએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment