Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના દાવાઓ 8 કલાકમાં ધોવાયા:સામાન્ય વરસાદી ઝાપટામાં ઉધનાનું ભીમનગર ગરનાળું પાણીમાં ગરકાવ, કરોડોના બજેટ સામે જનતામાં ઉગ્ર રોષ

    2 weeks ago

    દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ચોમાસા પૂર્વેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાના મસમોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે, કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન બજેટ અને કાગળ પર ચાલતી સમીક્ષા બેઠકોની અસલી ગ્રાઉન્ડ રિયાલિટી ગઈકાલે મોડી રાત્રે પડેલા એક સામાન્ય વરસાદી ઝાપટાએ ઉજાગર કરી દીધી છે. સુરતના ટેક્સટાઇલ અને ઔદ્યોગિક હબ ગણાતા ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ગરનાળા (અંડરપાસ)માં સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં પાલિકાના વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. બેઠક પૂરી થઈ અને ગણતરીના કલાકોમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક હાઈ-લેવલ પ્રી-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારીઓએ ખૂબ જ ગર્વભેર જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મોટાભાગની પ્રી-મોન્સૂન કામગીરી જેવી કે ખાડી સફાઈ, ડ્રેનેજ લાઈનોનું ડી-સિલ્ટિંગ (કાદવ હટાવવો) અને ફ્લડ કંટ્રોલની તમામ તૈયારીઓ સમયસર પૂરી કરી દેવામાં આવી છે અને શહેરીજનોને ચોમાસામાં કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ, હજુ તો આ સમીક્ષા બેઠક પૂરી થયાને માંડ 8 કલાક પણ નહોતા થયા, ત્યાં જ મધ્યરાત્રે પડેલું એક સામાન્ય વરસાદી ઝાપટું મનપાના કાગળ પરના અહેવાલો માટે શ્રાપ સાબિત થયું હતું અને આખો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો હતો. વાહનચાલકો અટવાયા, ધોધમાર પાણી વચ્ચે વાહનો ઊંધા કરવા પડ્યા વરસાદી પાણીના ભરાવાને કારણે સવારના સમયે કામ-ધંધે અને મિલોમાં જતા શ્રમિકો, નોકરિયાતો તેમજ વાહનચાલકો અધવચ્ચે જ ફસાઈ ગયા હતા. ગરનાળામાં પાણીનું સ્તર એટલું વધારે હતું કે ત્યાંથી પસાર થતી અનેક ઓટો રિક્ષાઓ, મોટરસાયકલો અને સ્કૂટરો ચાલુ ચાલુમાં જ બંધ થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે લાચાર બની ગઈ હતી કે, લોકોએ રસ્તા પર ઊભા રહીને પોતાના વાહનોને ઊંધા કરવા પડ્યા હતા, જેથી સાઈલેન્સર અને એન્જિનની અંદર ઘૂસી ગયેલું પાણી બહાર કાઢી શકાય. ડેપ્યુટી મેયરની ઓફિસ નજીક જ ગંદકીનું સામ્રાજ્ય: વિરલભાઈ સ્થાનિક રહીશ વિરલભાઈએ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવતા જણાવ્યું કે, આ પાણી ભરાવાની તો કાયમી સમસ્યા છે. નેતાઓ બસ પોતાના ઉત્સવો અને કાર્યક્રમોમાં જ મશગૂલ રહે છે અને સામાન્ય જનતા પરેશાન થાય છે. આ ગરનાળા સિવાય સમગ્ર વિસ્તારના રસ્તાઓ પર અડધો કલાકમાં ખાબોચિયા ભરાઈ જાય છે. આ વિસ્તારમાં આવેલો પબ્લિક ગાર્ડન ડેપ્યુટી મેયરની કાર્યાલયથી માંડ 500થી 700 મીટરના અંતરે છે, છતાં ત્યાં અતિશય ગંદકી ફેલાયેલી છે. બાળકોને રમવા માટેના કોઈ સાધનો પણ ત્યાં વ્યવસ્થિત નથી. મોંઘવારી વચ્ચે રિક્ષાચાલકોની આર્થિક કમર ભાંગી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે રોજગારી ગુમાવનારા રિક્ષાચાલક ચંદ્રિકા પ્રસાદ સાહુએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આ તો હજુ સીઝનનો પહેલો વરસાદ છે, ત્યાં જ આટલું પાણી ભરાઈ ગયું છે. હવે પછી જ્યારે ભારે વરસાદ આવશે, ત્યારે અમારી કેવી હાલત થશે? પહેલા જ વરસાદમાં રિક્ષાઓ બંધ થઈ જાય છે. સરકાર પાસે અમારી કોઈ મોટી માંગણીઓ નથી, બસ રસ્તાઓ સરખા થઈ જાય અને વરસાદમાં પાણી ભરાયા વિના તુરંત ઉતરી જાય એટલી જ વિનંતી છે. કરોડો રૂપિયાનું પ્રી-મોન્સૂન બજેટ જાય છે ક્યાં? સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, મનપાના અધિકારીઓ અને એન્જિનિયરો આ ભીમનગર ગરનાળાની ક્રોનિક સમસ્યાથી સારી રીતે વાકેફ હોવા છતાં, અહીં પાણીના નિકાલ માટે કોઈ કાયમી પમ્પિંગ સ્ટેશન કે અદ્યતન ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી તે એક મોટો સવાલ છે. હજુ તો જૂન મહિનો શરૂ થયો છે અને ચોમાસાની સત્તાવાર શરૂઆત બાકી છે. માત્ર એક સામાન્ય ઝાપટામાં જો આર્થિક પાટનગર ગણાતા સુરતના મુખ્ય અંડરપાસની આવી દશા થતી હોય, તો આગામી દિવસોમાં જ્યારે અતિભારે વરસાદ પડશે ત્યારે શહેરની સ્થિતિ કેટલી બદતર થશે, તે કલ્પના કરવી પણ ધ્રુજાવી દે તેવી છે. સુરત મનપાના શાસકો અને મ્યુનિસિપલ કમિશનરે હવે માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર સમીક્ષા કરવાને બદલે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો પડશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન:હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, 8 ટર્મ અને 36 વર્ષ MLA પદે રહ્યા, ગુજરાત વિધાનસભા ફરી ખંડિત
    Next Article
    પંજાબ શિક્ષણમાં નંબર-1 બનતા ગુજરાત સરકારને AAPનો સવાલ:મનોજ સોરઠીયાએ કહ્યું- 'જો પંજાબ કરી શકે તો ગુજરાત કેમ નહીં?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment