Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ટ્રાફિકને સમસ્યા દૂર કરવા દબાણ હટાવાયા:નંદેલાવથી ચાવજ ચોકડી સુધી 15 મીટરની હદમાં શેડ, ઓટલા અને લારી-ગલ્લા દૂર કરાયા; રોડ પહોળાયા કરાશે

    13 hours ago

    ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માર્ગ અને મકાન વિભાગે નંદેલાવ ચોકડીથી ચાવજ ચોકડી સુધી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત માર્ગની બંને બાજુ મધ્યરેખાથી ૧૫ મીટરની હદમાં આવેલા દબાણો દૂર કરાયા હતા. વિભાગ દ્વારા અગાઉ નોટિસ અપાયેલા દબાણકારો સામે શુક્રવારે જેસીબી સહિતના સાધનોની મદદથી કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન રસ્તાની હદમાં આવતા શેડ, ઓટલા, લારી-ગલ્લા અને અન્ય બાંધકામો હટાવવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગની નિર્ધારિત પહોળાઈ જાળવવા અને વાહનવ્યવહારને સરળ બનાવવા આ અભિયાન હાથ ધરાયું છે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ માર્ગની હદમાં આવતા દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં યુવકના શિકાર બાદ ચોથા દિવસે પગ મળ્યો:કૂતરું મોઢામાં દબોચી કંપની તરફ લઈ ગયો, CCTV સામે આવ્યા; સિંહે માથું ધડથી અલગ કર્યું હતું, સેમ્પલ બાદ માનવભક્ષીની ઓળખ થશે
    Next Article
    NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:હિંમતનગર પોલીસે છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment