Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજીડેમમાં ચાર વ્યક્તિ ડૂબવાનો મામલો:રાજકોટ ફાયરની 15 લોકોની ટીમ 20 કલાકની જહેમત છતાં રોહિતનો કોઈ પતો નહીં, હજુ શોધખોળ ચાલુ

    9 hours ago

    રાજકોટ શહેરના નવા ઘાંચી વાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉં.વ.42) અને તેમના બે પુત્ર ધવલ, રોહિત તેમજ ભરતભાઇના સાળીના પુત્ર ધ્રુવ મકવાણા ગઈકાલે સાંજના 4 વાગ્યા આસપાસ ભરતભાઇની રિક્ષામાં આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ડેમના પાણીથી રીક્ષા ધોવામાં આવી હતી. આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા માટે ડેમના કાંઠે ગયો હતો, જ્યાં તેનો પગ લપસી જતા તેને બચાવવા તેનો ભાઈ ધવલ ગયો હતો. જેનો પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો. જેને બચાવવા તેનો માસિયાર ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કુદયા પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતાં. રોહિત જાદવનો મૃતદેહ હજુ સુધી નહીં મળ્યો નથી સાંજે 4 વાગ્યા આસપાસ ફાયર કંટ્રોલ રૂમ તરફથી બેડીપરા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ વાહન સાથે સ્થળ પર પહોંચી કામડી, મિંદળી અને બે માણસો બીએ સેટ પહેરીને (ફાયર જવાનને પાણીમાં ઓક્સિજન મળે તે માટેનું સાધન)લઇ મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. જેમાં બે કલાકના અંતે 3 મૃતદેહ મળી આવ્યા હતા જયારે રોહિત જાદવનો મૃતદેહ હજુ સુધી નહીં મળતા તેમની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઘટનાને 20 કલાક જેવો સમય થઈ ચૂક્યો છતાં એકનો મૃતદેહ ના મળ્યો ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર મુબારકભાઈએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે , ગઈકાલે સાંજે 4 વાગ્યે આ ઘટના બની હતી. ત્યારથી જ અમારી મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશનની મળી 2 ટીમનાં 12-15 લોકો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલ બનાવને 20 કલાક જેવો સમય થઈ ચૂક્યો છે છતાં રોહિત જાદવનો કોઈ પતો લાગ્યો નથી. હજુપણ અમારી ટીમો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આજી ડેમમાં ચાર ડૂબ્યા, પિતા-પુત્ર સહિત ત્રણની લાશ મળી ગઈકાલે 2 મે, 2026ના રાજકોટના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા-પુત્રો સહિત ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા હતાં. જ્યારે એક ગુમ વ્યક્તિની ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા ચારેય લોકો દર્શન કરી રિક્ષા ધોઈ રહ્યા હતા. આ સમયે રોહિત નામનો યુવાન મોઢુ ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો હતો. બૂમાબૂમ થતા અન્ય ત્રણ લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા. ફાયરબ્રિગેડે ત્રણ લાશ બહાર કાઢી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ:તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના, ગઈકાલે 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું
    Next Article
    હિંમતનગરમાં સ્વ. નીલ પટેલની શ્રદ્ધાંજલિએ રક્તદાન શિબિર:અંગદાન વીરની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિએ 150 બોટલ રક્ત એકત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment