Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જુલાઈથી અષાઢી ગુપ્ત નવરાત્રિનો પાવન પ્રારંભ:કચ્છમાં માતાજીના મંદિરોમાં ગુંજશે જયઘોષ, પૂજા-અર્ચના, આરતી, શક્તિ ઉપાસના સહિતના ધાર્મિક આયોજન

    6 days ago

    કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ મંદિર તરફથી અષાઢી ગુપ્ત નવરાત્રી-2026ની તિથિઓ જાહેર કરવામાં આવી છે. અષાઢ સુદ એકમથી શરૂ થતી નવરાત્રીનો પ્રારંભ 15 જુલાઈ, બુધવારથી થશે. શક્તિની આરાધના માટે અત્યંત પવિત્ર ગણાતી આ ગુપ્ત નવરાત્રી દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લો ભક્તિમય માહોલમાં રંગાઈ જશે. અષાઢી ગુપ્ત નવરાત્રીનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ છે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગા, મા આશાપુરા સહિત શક્તિ સ્વરૂપા માતાજીની ઉપાસના, જપ, તપ, ધ્યાન, પાઠ અને હવન કરવામાં આવે છે. તંત્ર-મંત્ર અને શક્તિ સાધના માટે પણ આ સમયને શુભ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસોમાં માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તિનો સંગમ : સમગ્ર કચ્છના આદ્યશક્તિના મંદિરોમાં થશે વિશેષ આયોજન અષાઢી ગુપ્ત નવરાત્રીને લઈને કચ્છના માતાના મઢ સહિત આશાપુરા, ચામુંડા, મોમાઈ, રવેચી, રુદ્રમાતા, ખોડિયાર, મહાકાળી અને અન્ય શક્તિપીઠો તેમજ ગામેગામ આવેલા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શૃંગાર, મહાઆરતી, દુર્ગા સપ્તશતીના પાઠ, યજ્ઞ-હવન અને ભજન-કીર્તનનું આયોજન કરાશે. સવારે અને સાંજે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે અને મંદિરોમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાશે. ઘરે-ઘરે પણ થશે માતાજીની આરાધના માત્ર મંદિરોમાં જ નહીં, પરંતુ અનેક પરિવારો પોતાના ઘરે પણ માતાજીની સ્થાપના કરીને અખંડ દીવો પ્રગટાવશે, ઉપવાસ રાખશે, ચંડીપાઠ, દુર્ગા સપ્તશતીના પાઠ, આરતી અને પૂજન કરશે. શ્રદ્ધાળુઓ નવ દિવસ સુધી સાત્વિક જીવનશૈલી અપનાવી માતાજીની ભક્તિમાં લીન રહેશે. ધાર્મિક તહેવારોની હારમાળાનો થશે પ્રારંભ અષાઢી ગુપ્ત નવરાત્રી સાથે આગામી ધાર્મિક તહેવારોની હારમાળાનો પણ પ્રારંભ થશે. શ્રાવણ માસ, વિવિધ વ્રત-ઉત્સવો અને ધાર્મિક પર્વોની શરૂઆત પહેલાં ગુપ્ત નવરાત્રીને ભક્તિ અને સાધનાનો મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે. તેથી ભક્તોમાં આ નવરાત્રીને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અષાઢી ગુપ્ત નવરાત્રિ-2026ની તિથિઓ ગુપ્ત નવરાત્રીનો પ્રથમ નોરતું અષાઢ સુદ એકમના 15/7, બીજું નોરતું / અષાઢી બીજ: 16/7, ત્રીજું નોરતું 17/7, અષાઢ સુદ ચોથ ક્ષય તિથિ હોવાથી ચોથનું નોરતું નહીં રહે, પાંચમું નોરતું 18/7, છઠ્ઠું નોરતું 19/7, સાતમું નોરતું 20/7, આઠમું નોરતું 21/7, નવમું નોરતું 22/7 અને વિશેષ નવમી 23/7 (વૃદ્ધિ તિથિ હોવાથી નવમીનો વિશેષ યોગ.)
    Click here to Read More
    Previous Article
    યંગ જાયન્ટસ ઓફ ભુજ સાહેલી મલયસ્મૃતિનો શપથવિધિ સમારોહ:તમામ સભ્યોને મોમેન્ટો અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા
    Next Article
    ક્રિષ્ના પાર્ક સોસા.માં શેડ, ગ્રીલ સહિત દૂર કરાયા‎:હિંમતનગરમાં બેરણા રોડ પર રહીશોએ જાતે દબાણ હટાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment