Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વણકર મહાજન સમાજ દ્વારા 15મો પ્રતિભા સન્માન સમારોહ:નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ અને કમિશનર તુષાર સુમેરાનું વિશેષ બહુમાન કરાયું

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજ દ્વારા ૧૫મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ મેડિકલ હોલ, જી.આઈ.ડી.સી. ખાતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર જે.કે. જાદવ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં ડીવાયએસપી પાર્થ પરમાર અને બનાસકાંઠાના અનુસૂચિત જાતિના નાયબ નિયામક મનીષ સોલંકીએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર રાકેશકુમાર કે. રાઠોડનું પાઘડી પહેરાવીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કમિશનર તુષાર સુમેરાને કલેક્ટર તરીકેની શ્રેષ્ઠ સેવા બદલ મળેલા એવોર્ડ બદલ તેમનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજના પ્રમુખ બિપિનચંદ્ર કે. ચાવડા, મંત્રી ચંદ્રવદન ટી. ચાવડા, કે.જી. મકવાણા, ખુશાલભાઈ વાઘેલા, કલ્યાણભાઈ લકુમ, મનસુખભાઈ સોલંકી, ચતુરભાઈ દુલેરા રાજેશભાઈ સોલંકી અને અન્ય તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં એદ્રુશપીર સરકારનો પવિત્ર ઉર્ષ મુબારક:તા. 21 જુલાઈએ આસ્થા અને એકતાનાં સંદેશ સાથે ઉજવણી
    Next Article
    Opinion: Opinion | The '5-Piece' Set: China's Naval Air Power Is Growing Faster Than India Can Ignore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment