Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની 15 સમિતિઓના ચેરમેનોએ વિધિવત ચાર્જ સંભાળ્યો:હવે પ્રજાના કામો વેગવંતા બનશે, મેયરે કહ્યું-એક હાથ કરતાં અનેક હાથથી કામગીરી ઝડપી બને છે

    2 days ago

    રાજકોટ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂંકના 1 મહિના બાદ વિવિધ 15 મહત્વની સમિતિઓના ચેરમેનની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં તાકીદની અર્જન્ટ દરખાસ્ત મંજૂર થયા બાદ આજે તમામ નવનિયુક્ત સમિતિઓના વડાઓએ મહાપાલિકા કચેરી ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની હાજરીમાં મનપાની તમામ 15 સમિતિઓના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લેતા પ્રજાના કામો વેગવંતા બનશે. ‘એક હાથ કરતાં અનેક હાથથી કામગીરી ઝડપી બને’ આ અંગે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપની સૂચના મુજબ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા મનોનીત કરાયેલા નામોની જાહેરાત બાદ આજે સવારે 11:00 વાગ્યે તમામ ચેરમેનોએ પોતાના કાર્યભારનો ચાર્જ લીધો છે. ધારાસભ્ય રમેશભાઈ, કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મેયરે વધુમાં ઉમેર્યું કે, લોકશાહીમાં જવાબદારીના ભાવ સાથે સૌએ સાથે મળીને કામ કરવાનું હોય છે અને એક હાથ કામ કરે તેના કરતાં અનેક હાથ ભેગા મળે ત્યારે કામગીરી વધુ સરસ અને ઝડપી બને છે, જેથી હવે પ્રજાના વિકાસના કાર્યો વધુ વેગવંતા બનશે. આ વોર્ડમાંથી બબ્બે કોર્પોરેટરને ચેરમેન પદની લોટરી લાગી નવી સમિતિઓની સંરચનામાં રાજકીય અને ભૌગોલિક બેલેન્સ જાળવવાનો વિશેષ પ્રયાસ કરાયો છે. વોર્ડ વાઇઝ ગણતરી મુજબ મનપાના વોર્ડ નંબર 1, 5, 13 અને 17માંથી બબ્બે કોર્પોરેટરોને ચેરમેન પદ મળ્યું છે. આ વરણીમાં અનુભવ અને યુવા જોશનો સમન્વય જોવા મળ્યો છે, કારણ કે ગત ટર્મમાં સમિતિના વડા રહી ચૂકેલા 4 સીનિયર કોર્પોરેટરોને ફરીથી ચેરમેન પદ સોંપાયું છે, જો કે તેમની જૂની સમિતિઓ બદલવામાં આવી છે. જેમાં દિલીપ લુણાગરીયા, કેતન ઠુમ્મર, સોનલબેન સેલારા અને કંકુબેન ઉધરેજાનો સમાવેશ થાય છે. પ્રથમ વખત ચૂંટણી જીતેલા 8ને ચેરમેન પદ બીજી તરફ, પ્રથમ વખત ચૂંટણી જીતીને આવેલા 8 તદ્દન નવા જ નગરસેવકોને સીધા જ વિવિધ સમિતિઓના સુકાની બનાવી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ ચૂંટણીમાં જૂના 21 કોર્પોરેટરોને જ રિપીટ કરાયા હતા અને 43 જેટલા કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી હોવાથી, મેયર પદના મજબૂત દાવેદારોને અસંતોષ ન થાય તે રીતે વિવિધ સમિતિઓમાં યોગ્ય સ્થાન આપી એડજસ્ટ કરવામાં આવ્યા છે. શૈક્ષણિક લાયકાતમાં PHDથી લઈને નોન-મેટ્રિક સુધીનાં સામેલ નવા ચેરમેનોની શૈક્ષણિક પ્રોફાઇલમાં ભારે વિરોધાભાસ અને વિવિધતા જોવા મળી રહી છે. નવી ટીમમાં 1 PHD ડિગ્રીધારક, 1 પ્રોફેશનલ ડૉક્ટર અને 3 કાયદાના નિષ્ણાત એટલે કે વકીલો (LLB) સામેલ છે. બીજી તરફ 7 ચેરમેન એવા છે જેઓ નોન-મેટ્રિક છે અથવા હાઈસ્કૂલ પાસ કરી શક્યા નથી. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચેરમેન: જ્ઞાતિ સમીકરણો પર એક નજર નવી 15 સમિતિઓમાં સૌથી વધુ સિંહફાળો પાટીદાર જ્ઞાતિને મળ્યો છે, જેમાં કડવા અને લેઉવા પટેલ બંને જ્ઞાતિનું સંતુલન જાળવીને 6 સમિતિઓના વડા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 ક્ષત્રિય કોર્પોરેટરો અને બૌદ્ધિક વર્ગના પ્રતિનિધિત્વ તરીકે 2 બ્રાહ્મણ કોર્પોરેટરોને સ્થાન અપાયું છે. બાકી રહેતી સમિતિઓમાં પ્રજાપતિ, વાણંદ, કારડીયા રાજપૂત અને કોળી સમાજના એક-એક પ્રતિનિધિને ચેરમેન બનાવી જ્ઞાતિવાદનું સચોટ સંતુલન સાધવામાં આવ્યું છે. સમગ્ર ટીમમાં સૌથી યુવા ચહેરો 27 વર્ષના મોહિતસિંહ જાડેજા (BBA) છે, જેઓ માર્કેટ સમિતિનો ચાર્જ સંભાળશે. જ્યારે વહીવટી અને ઉંમરની દ્રષ્ટિએ સૌથી સિનિયર 56 વર્ષના મનીષ ભટ્ટ છે. આજથી આ તમામ ચેરમેનો સત્તાવાર રીતે આગામી અઢી વર્ષ માટે રાજકોટ શહેરના આંતરમાળખાકીય અને લોકહિતના વિકાસ કાર્યોની કમાન સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રના ALMM-II નિયમથી સોલાર સેક્ટરમાં કટોકટી:દ. ગુજરાતમાં રૂ.1500 કરોડના કોન્ટ્રાક્ટ રદ, દેશમાં 15 લાખથી વધુ લોકોની નોકરી ખતરામાં; PMને રજૂઆત કરશે
    Next Article
    ચારુસેટના વૈજ્ઞાનિકને બાયોમેડિકલ રિસર્ચ માટે ₹65 લાખથી વધુની ગ્રાન્ટ:અલ્ઝાઇમર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની સારવાર વિકસાવવા થશે ઉપયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment