Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઉ ગામની જમીનના નામે ઇન્દ્રાડના ખેડૂત સાથે 1.44 કરોડની ઠગાઈ:ખોટા ખેડૂત ઉભા કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા, ગોજારીયાના સોની સામે ફરિયાદ

    4 days ago

    મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે રહેતા ખેડૂત કુંવરજીભાઈ ઠાકોર સાથે જમીન અપાવવાના બહાને રૂ.1.44 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગોજારીયાના એક સોની વેપારીએ ખોટા ખેડૂત ઉભા કરી અને બોગસ દસ્તાવેજો બનાવી ખેડૂત પાસેથી કરોડોની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ લાઘણજ પોલીસ મથકે નોંધાઈ છે. 14 વીઘા જમીન સસ્તા ભાવે અપાવાની લાલચ આપી ફરિયાદી કુંવરજીભાઈએ અગાઉ જમીન વેચાણ કરતા થયેલા નફામાંથી નવી જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમના ભાણા મારફતે ગોજારીયાના સોની અજયકુમાર નરેન્દ્રભાઇ સાથે મુલાકાત થઈ હતી. અજય સોનીએ પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું જણાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. તેણે મેઉ ગામની સીમમાં આશરે 14 વીઘા જમીન સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી કુલ 1,48,24,207 માં સોદો નક્કી કર્યો હતો. પહેલા 81 લાખ અને ત્યારબાદ 63 લાખ પડાવ્યા આ સોદાના પેટે સોની અજયભાઈ કુંવરજીભાઈ પાસેથી ટુકડે-ટુકડે કુલ 81 લાખ રૂપિયા લઈ ગયો હતો. ખેડૂતે લખાણ માંગતા સોનીએ મેઉ ગામના જમીન માલિક તરીકે જીલુજી રામાજી નામના વ્યક્તિને રજૂ કર્યા હતા અને નોટરી રૂબરૂ કબજા સાથેનું બાનાખત કરી આપ્યું હતું. ત્યારબાદ ખેડૂત પાસેથી વધુ 63 લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ, કુલ 1 કરોડ 44 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. મૂળ જમીન માલિકને મળતા સૌનીનો ભાંડો ફૂટ્યો રૂપિયા આપ્યા બાદ જ્યારે ખેડૂતે જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કર્યું. ત્યારે અજય સોનીએ ગલ્લાતલ્લા કરવાનું શરૂ કર્યું હતું. શંકા જતાં ખેડૂતે મેઉ ગામે જઈ મૂળ જમીન માલિક રામાજી જીલુજી ચાવડાની મુલાકાત લીધી હતી. ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી કે જમીન માલિકે કોઈ જમીન વેચી જ નથી કે કોઈ બાનાખત પર અંગૂઠો કર્યો નથી. બાનાખતમાં જે વ્યક્તિનો ફોટો હતો તે પણ અસલી માલિકનો ન હતો. આમ સોનીએ અજાણ્યા શખ્સને અસલી માલિક તરીકે ઉભો કરી ખેડૂત સાથે ઠગાઈ કરી હતી. સોની અને અજાણ્યા બોગસ ખેડૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છેતરપિંડી પકડાઈ જતાં સોનીએ સમાધાનના ભાગરૂપે 52 લાખના બે ચેક આપ્યા હતા પરંતુ બેંકમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે તે ખાતું વર્ષોથી બંધ હતું. અંતે ખેડૂતે પોતાની સાથે થયેલી વિશ્વાસઘાત અંગે અજયકુમાર નરેન્દ્રભાઇ સોની અને અજાણ્યા બોગસ ખેડૂત વિરુદ્ધ લાઘણજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ IPS રમેશ સવાણીને હાઈકોર્ટથી રાહત:એટ્રોસિટી એક્ટ અને IPCના ગુનામાં નડિયાદ કોર્ટે આરોપી તરીકે જોડવા હુકમ કર્યો હતો, હાઇકોર્ટે હુકમ રદ્દ કર્યો
    Next Article
    કાળઝાળ ગરમીથી રાહત મેળવવા SSGમાં 50 કૂલર ભાડેથી લવાયા:દર્દીઓને રાહત મળી, ભાડુ ખરીદ કિંમતથી વધારે થતું હોવાની ચર્ચા; દર વર્ષે જરૂર પડે તો ખરીદતા નથી?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment