Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતરના મેળાની તૈયારીઓ શરૂ:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી; વિભાગોને નિર્દેશ આપ્યા;14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 14 થી 16 સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ લોકમેળા અંગે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ તે ગુજરાતની લોકસંસ્કૃતિનું વૈશ્વિક આકર્ષણ છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવી પડશે. બેઠકમાં મેળા દરમિયાન રસ્તા, પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, એમ્બ્યુલન્સ, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા અને અવિરત વીજ પુરવઠા જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં કલેક્ટરે તરણેતરના કુંડ અને તળાવ પાસે કુશળ તરવૈયાઓની તૈનાતી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ એમ્યુઝમેન્ટ રાઈડ્સની તકનીકી ચકાસણી અને મંજૂરી પૂર્ણ કરવા તેમજ અકસ્માત નિવારણ માટે જરૂરી તમામ પગલાં લેવા પણ નિર્દેશ અપાયા હતા. આયોજનમાં તળાવ અને મેળા મેદાનની સફાઈ, સ્ટેજનું રીનોવેશન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આગંતુકોના સ્વાગત માટે યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. વધારામાં, આપત્તિ વ્યવસ્થાપન, હંગામી મોબાઈલ ટાવરની સુવિધા, માર્ગદર્શક સાઈનેજ બોર્ડ, એસ.ટી. બસોની વધારાની વ્યવસ્થા, ટેન્ટ સિટી તેમજ મેળા દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલને ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિયામક ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર LCBએ પવનચક્કી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો:કાલાવડ-લાલપુરમાંથી ચાર આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    ઔરંગા,ખાંજણતટના ભાગડાવડામાં લાખોની‎સામગ્રી તબાહ:ઔરંગા,ખાંજણતટના ભાગડાવડામાં લાખોની સામગ્રી તબાહ,સરપંચ ટીમ 4 દિવસથી રસ્તા પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment