Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિંતા:જામનગર શહેરના લાખોટા તળાવમાં 14 કાચબા તેમજ માછલાના મોત થયા

    18 hours ago

    શહેરના લાખોટા તળાવમાં અચાનક 14 જેટલા કાચબા અને માછલાં મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. તળાવમાં એકસાથે મોટી સંખ્યામાં જળચર જીવોના મોત થતાં પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. લાખોટા તળાવમાં કાચબા તથા માછલાંના મોતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. જોકે, તળાવના પાણીમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ કે અન્ય હાનિકારક તત્ત્વ ભળ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તળાવના પાણીના નમૂના લઈ તાત્કાલિક લેબોરેટરીમાં તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે એકસાથે આટલી સંખ્યામાં જળચર જીવોના મોત સામાન્ય બાબત નથી. પાણીની ગુણવત્તા, ઓક્સિજનનું પ્રમાણ તેમજ પાણીમાં કોઈ ઝેરી કે રાસાયણિક તત્ત્વની હાજરી સહિતના તમામ પાસાંની તપાસ કરવામાં આવે તો મોતનું સાચું કારણ બહાર આવી શકે છે. લાખોટા તળાવ જામનગર શહેરનું મહત્વનું જળાશય હોવાની સાથે વિવિધ જળચર જીવોનું રહેઠાણ પણ છે. ત્યારે કાચબા અને માછલાંના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને પાણીની ગુણવત્તા અંગે રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    શહેર અને જિલ્લામાં 10‎પીઆઈની આંતરિક બદલી‎:સિટી બી, સી-સાયબર ક્રાઈમમાં નવા PI ને મુકાયા
    Next Article
    ફ્લાયઓવર, બ્રિજ અને પાણીની યોજનાઓથી રોકાણ અને વિકાસ વધશે:શહેરમાં આવાસના 1600 નવા મકાનોનું આયોજન શહેરીજનોને પોતાના ઘરનું સપનું પૂરૂ કરવાની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment