Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર્ટસ કોલેજ કરતાં મેળાનું મેદાન અડધું:14 હજાર‎સ્ક્વેર ફૂટના મેદાનમાં માત્ર 13 રાઇડ્સ લાગી શકશે‎

    1 day ago

    સુરેન્દ્રનગર મનપાએ આ વર્ષ જન્માષ્ટમીનો લોકમેળો જૂના સ્થળે એટલે કે, મેળાના મેદાનમાં યોજાવાનો નિર્ણય લીધો છે. શહેરની વસ્તી, મેળામાં આવતાં લોકોને ધ્યાને લઇ માત્ર 14 હજાર સ્ક્વેર ફૂટનું મેદાન નાનુ પડતાં ગત વર્ષે એમ.પી.શાહ આર્ટસ કોલેજના 30 હજાર સ્ક્વેરફૂટના મેદાનમાં મેળો ખસેડાયો હતો. સુરેન્દ્રનગર મનપાના કમિશનર દ્વારા ગત વર્ષે એમ.પી.શાહ આર્ટસ કોલેજમાં મેળો યોજાયો હતો. આ વખતે વિરોધ સામે ઝૂકી મેળો ફરી જૂની જગ્યા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ મેદાનના એક ખૂણામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ થયું હોવાથી મેદાન અગાઉ કરતાં પણ નાનું થઈ ગયું છે. શહેરની મધ્યમાં આ સ્થળ હોવાથી ટ્રાફિકજામ થાય છે. અતિશય ગીચતાથી મેળો માણવા લાયક રહેતો નથી. આસપાસમાં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે. સૌથી મહત્વનું મેદાનમાં લોકમેળો યોજવાથી મનપાની આવકમાં 50 ટકાનું નુકસાન થશે. 22 ખાણી-પીણીના સ્ટોલ ઓછા બનાવી શકાશે‎ આર્ટસ કોલેજનું મેદાન કેટલું મોટું હતું? ગત વર્ષે વિરાસત નામથી ઓળખાતો સુરેન્દ્રનગરનો મેળો 30 હજાર સ્ક્વેરફૂટ એરિયામાં યોજાયો હતો. મેળા મેદાન નાનું હોવાથી શું મુશ્કેલી પડશે? 14 હજાર સ્ક્વેર ફૂટના મેદાન, સ્પોર્ટસ કોમ્પલેક્ષને લઇ મેળામાં ગીચતા રહેશે.10 રાઇડ્સ ઓછી મળશે. 22 ખાણી-પીણીના સ્ટોલ ઓછા બનાવી શકાશે. રમકડાંના સ્ટોલ પણ 9થી ઘટીને 6 થઇ જશે. પાર્કિંગની શું વ્યવસ્થા હશે? આર્ટસ કોલેજના એનસીસીના ફાયરીંગ બટ, રીવરફ્રન્ટ પાસે પાર્કિંગની વ્યવસ્થા હતી.મેળાના મેદાનમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષનું બાંધકામ હોવાથી પાર્કિંગની મુશ્કેલી સર્જાશે. બેઝ પ્રાઇઝમાં 20 લાખનો ઘટાડો જન્માષ્ટમીનો લોકમેળો મેળાના મેદાનમાં યોજવાના તંત્ર નિર્ણયથી આવકમાં જંગી ઘટાડો થશે. ગત વર્ષે આર્ટસ કોલેજના મેદાનમાં મેળો યોજવાની અપસેટ પ્રાઈઝ 61 લાખ હતી. તેની સામે મનપાને 1,00,51,000 રૂપિયાની આવક થઈ હતી. આ વખતે બેઝ પ્રાઈઝ ઘટાડીને રૂ. 41 લાખ કરી છે. તેથી આવકમાં 50 ટકા જેટલું જંગી નુકસાન થવાની જાણકારોમાં વ્યક્ત થાય છે.
    Click here to Read More
    Previous Article
    વહેલી તકે આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માગ‎:ગીદવાની માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય વરસાદી પાણી ભરાતાં ગંદકીમાં વધારો
    Next Article
    દર વર્ષે 10000 મૂર્તિના વેચાણથી 25 લાખ સુધીની આવક:થાનગઢના કારીગરોએ તૈયાર કરેલી દશામાની મૂર્તિ જિલ્લાભરમાં પૂજનમાં ઉપયોગમાં લેવાય છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment