Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ:14 દિવસમાં ત્રણ બાળકોના મોત, એક મૃતકનો રિપોર્ટ પોઝિટિવ; હજી પણ બે સારવાર હેઠળ

    13 घंटे पहले

    સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસ દરમિયાન ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો નોંધાયો છે. 26 જૂનથી 9 જુલાઈ દરમિયાન કુલ 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં ત્રણ બાળકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે, એકનો રિપોર્ટ નેગેટિવ છે, જ્યારે ત્રીજા બાળકનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. હાલ બે બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ત્રણ બાળકોના મોત, એકનો રિપોર્ટ પોઝિટિવ મૃતકોમાં બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય પ્રિન્સ લેબાભાઈ ખરાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબારી ગામના 6 વર્ષીય રાજકુમાર મુકેશભાઈ ડામોરનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી તેનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો હતો. ત્રીજા મૃતક તરીકે પંચમહાલ જિલ્લાના વેજલપુર વ્યાસડા ગામની 11 વર્ષીય કાવ્યા મુન્નાભાઈ નાયકનું મોત થયું છે, જેના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. બે બાળકી સારવાર હેઠળ, એક બાળક સાજો થઈ ઘરે પરત હાલ રાજસ્થાનની 2 વર્ષીય પાયલ રોહિતભાઈ પારઘી અને સાબરકાંઠાના ખેડબ્રહ્માની 3 વર્ષીય જાનકીબેન લુકાભાઈ પરમાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેના રિપોર્ટ હજુ આવ્યા નથી. બીજી તરફ વિજયનગરના બિલડીયા ગામના 3 વર્ષીય બાળક મનસ્વીભાઈ અલ્પેશભાઈ બોડાતનો રિપોર્ટ નેગેટિવ આવતા તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છે. જ્યારે પોશીનાની દેમતી મેરા ગામની 3 વર્ષીય આકૃતિબેન ગોહિલભાઈ પરમાર હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરની મંજૂરી વિના જતી રહી હતી, જેના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડની વ્યવસ્થા હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં બાળ દર્દીઓને વિશેષ સારવાર આપવામાં આવે છે. તમામ શંકાસ્પદ કેસોની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલવામાં આવે છે. રિપોર્ટ મળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના રહેઠાણ અને આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ, જંતુ નિયંત્રણ અને અન્ય જરૂરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે. છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા 7 કેસોમાં ત્રણ બાળકોના મોત થયા છે, જેમાં એક પોઝિટિવ, એક નેગેટિવ અને એકનો રિપોર્ટ હજુ પેન્ડિંગ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 45મી જગન્નાથ રથયાત્રા માટે તંત્ર સજ્જ:પોલીસ કમિશનરે સુરક્ષાને લઈને ઇસ્કોન મંદિરમાં બેઠક યોજી, CPએ કહ્યું: 'સમગ્ર રથયાત્રાના માર્ગનું નિરીક્ષણ અને સ્કેનિંગ શરૂ કરાયું, અસામાજિક તત્વો પર નજર રખાઈ રહી છે'
    Next Article
    રિંગ રોડ પર સરાજાહેર જુગાર રમતા સાત ઝડપાયા:LCBની ટીમે જુગારનું સાહિત્ય-રોકડા રૂ.25,800 કબજે કરી, ઘોઘારોડ પોલીસમાં ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment