Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:‘આવીને ઘરમાં ન રખાય, મારી નંખાય’ તેમ કહી સાસરીયાઓએ પરિણીતાને બેફામ માર માર્યો, લગ્નના 14 વર્ષ બાદ ત્રાસ આપ્યો

    14 hours ago

    શહેરના આનંદનગર કોલોની ક્વાર્ટરમાં રહેતી અને હાલ લોધિકાના ઢોલરા ગામે પિયરમાં આશરો લઈ રહેલી 34 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઘરકામ જેવી નાની બાબતોમાં ચડામણી કરી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હાલ લોધિકાના ઢોલરા ગામે રહેતાં તૃપ્તીબેન હિતેનભાઈ ભટ્ટી (ઉ.વ.34) એ તેના પતિ હિતેન જેન્તી ભટ્ટી, સાસુ ચંદ્રિકાબેન અને નણંદ દર્શનાબેન (રહે. ત્રણેય આનંદનગર કોલોની ક્વાર્ટર) સામે માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી તૃપ્તીબેન ભટ્ટીના લગ્ન 14 વર્ષ પહેલાં હિતેન ભટ્ટી સાથે થયા હતા. લગ્નનું એક વર્ષ સારું રહ્યા બાદ સાસરીયાઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. ઉપરના માળે રહેતી સગી નણંદ દર્શનાબેન, સાસુ ચંદ્રિકાબેન અને સસરા જેન્તીભાઇ પતિ હિતેનને સતત એવી ચડામણી કરતા હતા કે, ‘તારી પત્ની ઘરમાં કોઈ કામ સરખી રીતે કરતી નથી.’ આ બાબતે પતિ અવારનવાર ઝઘડા કરતો હતો અને ગાળો પણ આપતો હતો. આ ઉપરાંત સાસુ મેણા મારતા અને કાઢી મૂકવાની વાત પણ કરતા હતા. ગઈ તા. 06ના રોજ સવારે સાડા સાત વાગ્યે જ્યારે તૃપ્તીબેન રસોડામાં કામ કરતા હતા, ત્યારે સાસુએ પતિને ઉશ્કેરતા કહ્યું કે, ‘તારી ઘરવાળી સમયસર ઉઠતી નથી.’ આ સાંભળી પતિએ પિત્તો ગુમાવ્યો હતો અને સાસુ-સસરા સાથે મળીને તૃપ્તીબેનને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, ‘આવીને ઘરમાં ન રખાય, આને તો મારી નંખાય’ તેવી ધમકીઓ પણ આપી હતી. આ બનાવ બાદ તૃપ્તીબેને પોતાની બહેન રીંકલબેનને ફોન કરી જાણ કરી હતી, પરંતુ સાસરીયાઓએ તેમને જવા દીધા ન હતા. અંતે સસરાએ પિતા દિનેશભાઈ બગથરીયાને ફોન કરતા તેઓ પિયર પક્ષના લોકો સાથે દોડી આવ્યા હતા અને દીકરીને લઈને ઢોલરા ગયા હતા. પરિણીતાએ કહ્યું હતું કે, લગ્નના શરૂના વર્ષોમાં બધુ સારી રીતે ચાલ્યું હતું પરંતુ થોડા સમય બાદ ત્રાસ દેવાનું શરૂ કર્યું હતું. પરંતુ સંસાર ટકાવી રાખવા બધું સહન કરી હતી. હાલ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે કલમ-498(એ) સહિતની કલમો હેઠળ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિક સેન્ટરમાં લાંબી લાઇનો લાગી:અરજદારોને રજીસ્ટ્રેશન નંબરનો SMS ન મળતા જન્મના દાખલાની કામગીરી ઠપ્પ
    Next Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:રાજકોટ મહાનગરપાલિકાએ 31 વર્ષ પહેલા રૂ.13 કરોડની ખાનગી માલિકીની જમીન પર, 31 લાખનો ખર્ચ કરી બગીચો બનાવી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment