Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટથી મેટોડા વચ્ચેનો ન્યારા બ્રિજ તોડી પડાયો:ધોરાજીના સાત્વડી નદી પરના બ્રિજનો ડાયવર્ઝન ધોવાતા વાહન ચાલકો 14 કિમી ફરીને જવા મજબૂર

    2 दिन पहले

    રાજકોટના મેટોડા પાસેનો ન્યારાના જૂના બ્રિજનો એક તરફનો રસ્તો ખરાબ હોવાથી ત્યાં નવો બ્રિજ મંજૂર થયો છે જેને પગલે જૂનો બ્રિજ ગઈકાલે(2 જુલાઈ) ગુરુવારે તોડવામાં આવ્યો. જેથી આજે 3 જુલાઈ રાજકોટ શહેરથી મેટોડા જીઆઇડીસી જતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સહિતના વાહનચાલકોને વરસાદમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહન ચાલકોને 1 કિલોમીટર ડાયવર્ટ થઈને જવું પડશે. જ્યારે ધોરાજી પાસે સાતવડી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું. જેથી ડાયવર્ઝન રાખવામાં આવ્યુ હતું. જોકે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. જેને કારણે ઝાંઝમેરથી સોડવદર જવા માંગતા વાહનચાલકોને 14 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. બ્રિજના 10 મીટરના 4 ગાળામાંથી 2 ગાળા તોડવામાં આવ્યા રાજકોટથી મેટોડા જતા રસ્તા પર વાગુદડ પાસેનો ન્યારા બ્રિજ જૂનો થઈ ગયો હોવાથી તે બ્રિજને ગઈકાલે(2 જુલાઈ) ગુરુવારે તોડી પાડવામાં આવ્યો હતો. 10 મીટરના 4 ગાળામાંથી 2 ગાળા તોડવામાં આવ્યા છે. નાના વાહનો અવરજવર કરી શકે તે માટે બાજુમાં જ 10 મીટર લેન ખૂલ્લી રાખવામાં આવી છે. જ્યારે મેટોડા જીઆઇડીસીમાં જતા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ સહિતના મોટા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી તેઓને એક કિલોમીટર ફરીને જવાનું રહેશે. વરસાદ વિરામ બાદ રૂ.2.50 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. વાહન ચાલકોને 14 કિલોમીટર ફરીને જવાની નોબત આવી આ ઉપરાંત ઝાંઝમેરથી સોડવદર વચ્ચેનો બ્રીજ અન્ડર કન્સ્ટ્રક્શન છે. જેથી ગઇકાલે ગુરુવારે ભારે વરસાદના કારણે ડાયવર્ઝન ધોવાય ગયેલો છે. આ બ્રીજ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હસ્તકનો છે. આ ડાયવર્ઝન ધોવાય જતાં ઝાંઝમેરથી સોડવદર વચ્ચેનો સીધો રોડ બંધ થઈ ગયો છે. જેને કારણે વૈકલ્પિક રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. જે મૂજબ ઝાંઝમેરથી સોડવદર જવા માટે શનાળા- રોઘેલ- ખજુરડા- જામ ટીંબડી થઈને જવું પડશે. જેને કારણે વાહન ચાલકોને 14 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. વરસાદ રહી ગયા બાદ ડાયવર્ઝનનું કામ શરૂ કરી દેવામાં આવશે. ડિસેમ્બર -2026 સુધીમાં આ બ્રિજ બની જતા વાહન ચાલકોની મૂશ્કેલી દૂર થશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 'મ્યુઝિયમ ઓન વ્હીલ્સ'નું આયોજન:વિદ્યાર્થીઓએ ભારતનો પ્રાચીન ઇતિહાસ જીવંત રીતે જાણ્યો
    Next Article
    પાટણમાં સગીરાની છેડતી, છરી બતાવી ધમકી:આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ, બે વર્ષથી હેરાન કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment