Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં નવા નીરના વધામણાં, વૃક્ષારોપણની જાહેરાત:મંત્રી કૌશિક વેકરિયાએ 13,000 વૃક્ષ વાવવાની જાહેરાત કરી

    2 days ago

    અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે નવા નીરના વધામણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ઉનાળા દરમિયાન રાજ્ય સરકારના પ્રયાસોથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી વિધાનસભા વિસ્તારમાં હીટાચી મશીનો દ્વારા તળાવો અને ચેકડેમો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પરિણામે અને ત્યારબાદ થયેલા ધોધમાર વરસાદને કારણે તળાવો, નદીઓ અને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે. વરસાદી પાણીના આ સંગ્રહથી ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો થશે, જે સ્થાનિક ખેડૂતો અને નાગરિકોને લાંબા ગાળે લાભ આપશે. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા જણાવ્યું કે, આગામી સમયમાં અમરેલી શહેરમાં 13 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત, અમરેલી વિધાનસભા વિસ્તારમાં સદભાવના ટ્રસ્ટના સહયોગથી કુલ 51 હજાર વૃક્ષોનું વાવેતર ચાલી રહ્યું છે. તેમણે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી. મંત્રી વેકરિયાએ વધુમાં જાહેરાત કરી કે, રાજ્ય કક્ષાના 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મુખ્યમંત્રીના હસ્તે અમરેલી શહેરમાં યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જે અમરેલી માટે ગૌરવની ક્ષણ છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં નારી વંદન ઉત્સવ: 181 અભયમનો સંદેશ:મહિલા સુરક્ષા, કાનૂની અધિકારો અને સેવાઓ પર માહિતી અપાઈ
    Next Article
    ચંડીસર પંચાયતમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો:મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ પર સેમિનાર યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment