Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલમમાં ભાવનગરના 13 વોર્ડના ઉમેદવારોનું મંથન, પણ મેયર જ 'આઉટ'!:ભાજપમાં ચૂંટણી પહેલા ગરમાવો, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી પૂર્વ મેયર બારડની બાદબાકી, નારાજગી વ્યક્ત કરી!

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ દ્વારા 13 વોર્ડ માં મુરતિયા ગોતી રહી છે ત્યારે ગુજરાત ભાજપ કમલમ ખાતે પાલમેન્ટરી બોર્ડ ની બેઠક યોજાઇ રહી છે, જેમાં શહેર પ્રમુખ સહિત સંગઠનના કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાજપ ના મેયર ભરત બારડ ની બાદબાકી કરતા નારાજગી વ્યક્ત કરી હતી, ​રાજ્યમાં હાલ આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભાવનગરના રાજકારણમાં એક નવો વિવાદ છેડાયો છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠકમાં ભાવનગરના મેયરને આમંત્રણ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે મેયરે પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય અને થોડી નારાજગી વ્યક્ત કરી હતી. ​મેયરએ કહ્યું "હું અવઢવમાં છું" દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મેયરે જણાવ્યું હતું કે, "મેં સામેથી શહેર પ્રમુખને પૂછ્યું હતું, પરંતુ તેમણે કહ્યું કે પ્રદેશમાંથી કોઈ આદેશ નથી, હું પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું અને સામાન્ય રીતે દરેક વખતે મેયરને સાથે રાખીને જ ચર્ચા થતી હોય છે. ભાવનગરના મેયરની ક્રેડિટ હોય છે, ત્યારે આ વખતે મને જાણ ન કરાતા હું અવઢવમાં છું કે ક્યાંક મિસ્ટેક થઈ રહી છે." જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ પાછળ કોઈનો બદ ઈરાદો નહીં હોય તેવી તેમને ખાતરી છે. ​નિર્ણય પ્રક્રિયામાં મેયરનું મહત્વ ​પાર્લામેન્ટરી બોર્ડની પદ્ધતિ અંગે સ્પષ્ટતા કરતા મેયરે જણાવ્યું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયર આખા શહેરમાં ફર્યા હોય છે, કયા નગરસેવકે કેવું કામ કર્યું છે, ક્યાં સફળતા મળી છે અને ક્યાં ઉણપ રહી છે, તેનો સચોટ ખ્યાલ મેયરને જ હોય છે તેથી ટિકિટ વિતરણ કે અન્ય મહત્વના નિર્ણયોમાં મેયરનો અભિપ્રાય લેવો જોઈએ તેવું તેમનું અંગત માનવું છે. ​નવા ચહેરા અને વરિષ્ઠોનું મિશ્રણ ​આ ભારતીય જનતા પાર્ટી છે, અહીં કોની પસંદગી થશે તે અગાઉથી કહી શકાય નહીં, મને પણ ખબર નહોતી કે હું મેયર બનીશ, જે પણ આવશે તે શ્રેષ્ઠ ઉમેદવાર હશે, મેયરે યુવાનોને તક આપવાની સાથે વરિષ્ઠોના અનુભવને પણ પ્રાધાન્ય આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, “યુવાનોની સાથે બે-ચાર વરિષ્ઠો પણ હોવા જોઈએ જે યોગ્ય માર્ગદર્શન આપી શકે. આ મારો વ્યક્તિગત વિચાર છે.”
    Click here to Read More
    Previous Article
    મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે:જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ, ફાર્મહાઉસમાં ટિકિટ આપવાનો નિર્ણય, ત્યાં રાદડિયા હાજર હતા; પૂર્વ કોર્પોરેટર
    Next Article
    ભાવનગર મનપા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ:કોંગ્રેસમાં 'કોકડું' ગૂંચવાયું, AAP ને 4 વોર્ડમાં ઉમેદવારોની તંગી, ભાજપ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment