Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ:વડગામ- પાલનપુરના 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે

    8 hours ago

    ઘણા મહિનાઓની વ્યાપક રજૂઆતોના અંતે વડગામ- પાલનપુરના 126 તળાવો હવે મહેસુલી રેકોર્ડમાં સમાવાયા છે.જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કર્યા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. જેમાં વડગામના 73 અને પાલનપુરના 53 તળાવોનો સમાવેશ કરાયો છે. સરપંચ એસો.ના કામરાજભાઈ ચૌધરીએ જણાવ્યું કે " વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તંગી છે. અહીં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત ઉદ્ધવ સિંચાઈ યોજના અંતર્ગત વિવિધ પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના મુજબ વિસ્તારમાં આવેલા તળાવો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું, પરંતુ તેના માટે જરૂરી હતું કે ગામના મહેસુલી રેકોર્ડ એટલે કે 7/12માં તે તળાવો કુદરતી તળાવ તરીકે નોંધાયેલા હોવા જોઈએ. જો આ નોંધ ન કરવામાં આવે તો બંને તાલુકાના અનેક ગામોના તળાવો નર્મદાના પાણીનો લાભ લઈ શક્યા હોત નહીં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા તા. 24/12/2025ના રોજ મહેસુલી પરિપત્ર બહાર પાડી મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવો નોંધવાની સત્તા સ્થાનિક પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને વડગામ અને પાલનપુર તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સરપંચ મંડળ સાથે બેઠક યોજી તમામ ગામોના તળાવોની માપણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે વડગામ તાલુકાના 73 અને પાલનપુર તાલુકાના 53 મળી કુલ 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે. અગાઉ વિરોધ સાથે રજૂઆત થઈ હતી સિધ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપ લાઈન નાખવાની પૂરી થઈ છે જોકે નજીકના ગામોના કેટલાક તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠ્યો હતો. કેટલાક ખેડૂતોએ કલેક્ટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Bharat Taxi to be expanded to all big cities in 2-3 years: Govt
    Next Article
    પાટણ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલનો ચુકાદો‎:મૃતકના વારસદારને 1.05 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment