Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાજીની ભક્તિમાં ભેળવો સ્વાદનો રસ!:ઉપવાસમાં એકનો એક ફરાળ કરવાની જરૂર નથી, ઘરે જ બનાવો 12 ખાસ વાનગી; શરીરની તાકાત સાથે સ્વાસ્થની સુંગધ મેળવો

    1 week ago

    ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ વખતે નવરાત્રિ 27 માર્ચ 2026 સુધી છે. આ દરમિયાન ઘણા લોકો પૂરા નવ દિવસનો ઉપવાસ રાખે છે. ઉપવાસમાં ખાવા-પીવા બાબતે સંયમ રાખવો પડે છે. ઉપવાસમાં ખાવાના વિકલ્પો ઓછા હોવાથી સામાન્ય રીતે લોકો કાં તો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અથવા તો તળેલી-શેકેલી વસ્તુઓ વધુ ખાય છે. આનાથી થાક, નબળાઈ અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જરૂરી છે કે ઉપવાસ દરમિયાન એવી વાનગીઓ પસંદ કરવામાં આવે, જે સ્વાદની સાથે શરીરને પૂરતી ઊર્જા અને પોષણ પણ આપે. મગફળી, મખાણા, કુટ્ટુ, શિંગોડા, દહીં અને ફળોમાંથી ઉપવાસ માટે ઘણી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ સરળતાથી તૈયાર કરી શકાય છે. તેથી કામના સમાચારમાં આજે વાત સરળ અને પૌષ્ટિક ઉપવાસ રેસિપીની. સાથે જ જાણીશું કે- નિષ્ણાત: ડૉ. પૂનમ તિવારી, સીનિયર ડાયટિશિયન, ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, લખનઉ પ્રશ્ન- વ્રત માટે એવી કઈ વાનગીઓ છે, જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષણથી ભરપૂર પણ હોય? જવાબ- ફરાળમાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેમ કે મગફળી, મખાણા, કુટ્ટુ, શિંગોડા, સાબુદાણા અને રાજગરો. આનાથી ઘણી હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, રોસ્ટેડ મખાણા, કુટ્ટુના પૂડલા અને રાજગરાના પરાઠા જેવી વાનગીઓ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પૌષ્ટિક પણ હોય છે. નીચે આપેલા ગ્રાફિકમાં વ્રત માટે કેટલીક હેલ્ધી વાનગીઓની યાદી જોઈએ- ચાલો, હવે આ વાનગીઓની રેસિપીને એક પછી એક વિગતવાર સમજીએ- 1. સાબુદાણાની ખીચડી સામગ્રી સાબુદાણા ખીચડીની રેસીપી 2. રોસ્ટેડ મખાણા સામગ્રી રોસ્ટેડ મખાણાની રેસીપી 3. રાજગરા બટાકાની પૂરી સામગ્રી રાજગરા આલુ પૂરી-પરાઠાની રેસીપી 4. કુટ્ટુ બટાકા પરાઠા સામગ્રી કુટ્ટુ બટાકા પરાઠાની રેસીપી 5. શિંગોડાના લોટની બેક્ડ પૂરી સામગ્રી બેક્ડ પૂરીની રેસીપી 6. ફળ અને દહીંની સ્મૂધી સામગ્રી ફળ અને દહીંની સ્મૂધીની રેસીપી 7. કુટ્ટુના પૂડલા સામગ્રી કુટ્ટુના પૂડલાની રેસીપી 8. દૂધીનું રાયતું સામગ્રી દૂધીના રાયતાની રેસીપી 9. શક્કરિયાની ચાટ સામગ્રી શક્કરિયા ચાટની રેસીપી 10. મખાણાની ખીર (લો-શુગર) સામગ્રી મખાણાની ખીરની રેસીપી 11. ફ્રૂટ સલાડ સામગ્રી ફ્રૂટ સલાડની રેસીપી 12. કુટ્ટુની ઇડલી સામગ્રી કુટ્ટુની ઇડલીની રેસીપી પ્રશ્ન- ઉપવાસના ભોજનને હેલ્ધી કેવી રીતે બનાવી શકાય? જવાબ- વ્રત દરમિયાન લોકો ઘણીવાર તળેલી-શેકેલી અને વધુ કેલરીવાળી વસ્તુઓ ખાઈ લે છે. આનાથી વ્રતનું ભોજન હેલ્ધી થવાને બદલે હેવી થઈ જાય છે. જોકે, કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખીને વ્રતના ભોજનને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે. તેને નીચે આપેલા ગ્રાફિકથી સમજીએ- પ્રશ્ન- વ્રતનું ભોજન બનાવતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ? જવાબ- વ્રત દરમિયાન લોકો ભોજનની શુદ્ધતા અને સ્વાદ પર તો ધ્યાન આપે છે, પરંતુ કેટલીક એવી ભૂલો કરે છે, જેનાથી ફરાળ હેવી થઈ જાય છે અને તેના પોષક તત્વો ઓછા થઈ જાય છે. તેથી વ્રતનું ભોજન બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ નાની-નાની સાવચેતીઓ અપનાવીને ઉપવાસનું ભોજન વધુ હેલ્ધી અને સંતુલિત બનાવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    'મારી 10 વર્ષની દીકરી આખાબોલી છે':'વિચારે એ તરત બોલી દે છે, કુટેવ સમજવી કે બાળક બુદ્ધિ?'; સાઇકોલોજિસ્ટ પાસેથી જાણો ઉપાય
    Next Article
    જ્યારે રસ્તો ભૂલો તો ત્યારે કહાનીઓ વાંચો!:માટીમાંથી જન્મી છે ગોરખનાથની સ્ટોરી, જે પ્રકાશ અને જીવનનો વળાંક બતાવે છે

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment