Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી સરકારના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી:ભાવનગરમાં વિકાસ અને સેવાના અનેકવિધ પ્રકલ્પોનો શુભારંભ થશે, કોર્પોરેશનમાં સમીક્ષા બેઠક યોજાઈ

    1 week ago

    દેશના PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ શાસન અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ થયેલા વિકાસલક્ષી કાર્યોની ઉજવણી ભાવનગર ખાતે આગામી એક મહિના દરમિયાન વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે કરવામાં આવશે. આ અંગેની સમીક્ષા બેઠક ભાવનગર કોર્પોરેશન ખાતે યોજાઈ હતી. જેમાં મેયર, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 12 વર્ષમાં ભારતની પ્રગતિ અને વિકાસયાત્રાને દર્શાવતું વિશેષ સંમેલન યોજાશે આ અંગે કૃષિ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી​એ માહિતી આપતા જણાવ્યું હતું કે, જનકલ્યાણ શિબિરો અને જાગૃતિ અભિયાનમાં વિવિધ ઝોન સેન્ટરો પર રાજ્ય અને કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ભાવનગરમાં થયેલા વિકાસકામોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં આમ જનતા અને NGOને પણ જોડાશે, છેલ્લા 12 વર્ષમાં ભારતની પ્રગતિ અને વિકાસયાત્રાને દર્શાવતું વિશેષ સંમેલન યોજાશે. તેને વધુમાં કહ્યું કે, 21મી જૂનના રોજ ભાવનગરના ઐતિહાસિક અને વિવિધ સ્થળોએ વિશિષ્ટ રીતે યોગ દિવસની ઉજવણી થશે. સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે શહેરના સ્લમ વિસ્તારો સહિત વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. આ માટે શાળા-કોલેજો અને NGOને જોડીને જનઆંદોલન ઊભું કરવાનો લક્ષ્યાંક છે. 100 એકર જમીન પર 'નમો વડ' અને વન કવચ બનાવવાનું આયોજન ​વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રાજ્યવ્યાપી 6 કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંક અંતર્ગત ભાવનગરમાં પણ સદભાવના ટ્રસ્ટના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણ થશે. 100 એકરથી વધુ જમીન પર 'નમો વડ' અને 'મિયાવાકી' પદ્ધતિથી વન કવચ બનાવવાનું આયોજન છે. જેની 10 વર્ષ સુધી જાળવણીની જવાબદારી સદભાવના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવશે, રસ્તા પર રખડતા નંદીઓની સેવા અને જાળવણી માટે રાજ્ય સરકાર અને સદભાવના ટ્રસ્ટ દ્વારા ભાવનગર અને રાજકોટમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ 'નંદી શાળા' શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત અંદાજે 25 હજાર નંદીઓને આશ્રય અને સેવા પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ​આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વિશિષ્ટ ઉજવણી કરવાને બદલે જનકલ્યાણ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો હોવાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ડેસર નજીકથી ગુમ થયેલા યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો:શરીર પર ઈજાના નિશાન, હત્યા કે અન્ય કારણ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે
    Next Article
    મૂળ હરિયાણાના જી.એસ.મલિક રાજ્યના નવા DGP:રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત; અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment