Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ:ધો.12 પછી નેચરોપેથી, યોગ ક્ષેત્રે રોજગારીની તક; બિદડાના પ્રભાવ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નેચરોપેથી અને યોગ કોર્સ જાહેર

    17 hours ago

    આજના આધુનિક યુગમાં વધતા તણાવ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ સામે સમગ્ર વિશ્વ હવે સ્વસ્થ જીવનશૈલી તરફ વળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ, યોગ અને કુદરતી ઉપચારને અપાતા પ્રોત્સાહનને પગલે ભારત આજે વૈશ્વિક સ્તરે હોલિસ્ટિક હેલ્થનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉગતી વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં કુશળ યુવાનોની માંગને પહોંચી વળવા માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે. એમ. પટેલ આરોગ્યધામ અંતર્ગત પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રોજગારલક્ષી વિવિધ વ્યાવસાયિક કોર્ષની જાહેરાત કરાઈ છે. વેલનેસ ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ ડિપ્લોમા કોર્ષ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ કરીને ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે 3 મુખ્ય કોર્ષ ઓફર કરાયા છે. ડિપ્લોમા ઇન નેચરોપેથ ન્યુટ્રિશન : આ કોર્ષમાં કુદરતી આહાર, ડાયેટ પ્લાનિંગ અને ડિટોક્સ જેવી બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે. હોસ્પિટલો, જીમ અને ફિટનેસ સેન્ટરોમાં ન્યુટ્રિશનિસ્ટની ભારે માંગ છે. ડિપ્લોમા ઇન નેચરોપેથ થેરાપિસ્ટ : હાઈડ્રોથેરાપી, મડ થેરાપી અને મસાજ જેવી નેચરલ થેરાપીની પ્રેક્ટિકલ તાલીમ આપીને વેલનેસ રિસોર્ટ અને હોલિસ્ટિક ક્લિનિક્સ માટે પ્રોફેશનલ્સ તૈયાર કરાય છે. ડિપ્લોમા ઇન યોગ વિથ વેલનેસ એપ્લિકેશન્સ : સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મેન્ટલ વેલબીંગ પર આધારિત આ કોર્ષ દ્વારા કોર્પોરેટ કંપનીઓ અને શાળાઓ માટે યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવે છે. આકર્ષક પગાર, સ્વરોજગાર વેલનેસ ક્ષેત્રે પ્રશિક્ષિત યુવાનોને શરૂઆતમાં ₹15,000 થી ₹35,000 સુધીનો માસિક પગાર મળી શકે છે, જે અનુભવ વધતા ₹50,000 થી ₹1 લાખ સુધી પહોંચી શકે છે. નોકરી ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનું યોગ સેન્ટર કે ન્યુટ્રિશન ક્લિનિક શરૂ કરીને આત્મનિર્ભર પણ બની શકે છે. ચાલુ અભ્યાસે કૌશલ્ય વર્ધન આ કોર્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે ધોરણ 12 પછી કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાના નિયમિત કોલેજ અભ્યાસની સાથે આ કોર્ષ કરી શકે છે. જેનાથી તેઓ સામાન્ય ગ્રેજ્યુએટ કરતા વધુ ઝડપથી રોજગારી મેળવવા સક્ષમ બને છે. વધુ માહિતી અને પ્રવેશ માટે પ્રિયેન રાજગોર (મો. 97275 51554 / 99742 14446) પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના:ગ્રીડ ઓવરબ્રિજ સર્વિસ રોડ પર પાર્ક સીએનજી ઇકો કારમાં આગ
    Next Article
    સ્થાનિકોમાં રોષ:વલસાડમાં નાળા પર સ્લેબ બાંધવાના કામથી વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment