Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર પર અંબાજી મંદિરની પવિત્રતાને ખંડિત કરનારાઓ સામે ફરિયાદ:દારૂ-નોનવેજની પાર્ટી અને દાનચોરી મામલે 11 સામે અંતે ગુનો નોંધાયો, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશે

    1 week ago

    ગિરનાર પર્વત પર બિરાજમાન આદ્યશક્તિ મા અંબાના પવિત્ર ધામમાં દારૂ-નોનવેજની મેહેફિલ અને દાન ચોરી મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની મહેફિલના વીડિયો વાઈરલ થતા બાજ લાખો ભક્તોની લાગણીને ઠેંસ પહોંચી હતી. આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમમાં પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને હાલ મહંતની નિમણૂકની ચાલી રહેલી પ્રક્રિયા રદ કરી નવેસરથી કડક માપદંડો સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. ​પવિત્ર પરિસરમાં દારૂ-નોનવેજની મહેફિલ ​તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ગત 22 ઓક્ટોબર 2025ના રોજ મંદિરના મુખ્ય પૂજારી કિશોરસિંહ ચૌહાણના પુત્ર અભિષેક ચૌહાણે પોતાના મિત્રો સાથે મળીને મંદિર પરિસરમાં અનધિકૃત પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ગિરનારની સીડીઓ વાટે ઉપર પહોંચી, મંદિરના ગોખના આગળના ભાગમાં દારૂનું સેવન કર્યું હતું. એટલું જ નહીં, ત્યારબાદ અભિષેક ચૌહાણ આ શખ્સોને મંદિરના ભંડારાના રસોઈઘરમાં લઈ ગયો હતો, જ્યાં તેઓએ મટન (નોનવેજ)ની મિજબાની માણી હતી. ​આ ઘટનામાં અભિષેક ચૌહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને બે સગીર સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. તપાસમાં ખૂલ્યું છે કે છગન ડાભી શહેર વિસ્તારમાંથી દારૂ અને નોનવેજ ઉપર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. આ તત્વોએ માત્ર દારૂ-માંસનું સેવન જ નથી કર્યું, પરંતુ અભદ્ર ગાળો બોલીને વિડિયો બનાવી ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય પણ કર્યું છે. દાનપેટીની રકમમાં કરોડો શ્રદ્ધાળુઓ સાથે વિશ્વાસઘાત ​બીજી ફરિયાદ પૂજારીઓ દ્વારા આચરવામાં આવેલી નાણાકીય અનિયમિતતા અંગે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક પૂજારીઓ દાનપેટીના છિદ્ર પર કપડું કે અન્ય વાસણ રાખી દેતા હતા, જેથી શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન સીધું દાનપેટીમાં જવાને બદલે બહાર રહે. આ રકમ પૂજારીઓ પોતાના ખિસ્સામાં સેરવી લેતા હતા. આ ઉપરાંત, ગર્ભગૃહમાં દર્શનાર્થીઓને અનધિકૃત રીતે પ્રવેશ આપી તેમની પાસેથી રોકડા રૂપિયા વસૂલવાની પ્રવૃત્તિ પણ સામે આવી છે. ​આ આર્થિક છેતરપિંડીમાં સામેલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ એમ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પૈકી માત્ર એક જ વ્યક્તિ અધિકૃત પૂજારી હતો, બાકીના તમામ અનધિકૃત રીતે પૂજાના બહાને નાણાં ઉઘરાવતા હતા. ​વહીવટી તંત્રની કડક કાર્યવાહી અને નવા આદેશો ​જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આ ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. 29 નવેમ્બર 2024થી મંદિરનો વહીવટ સરકાર હસ્તક હોવા છતાં, ત્યાં ફરજ પરના કર્મચારીઓની બેદરકારી બદલ 12 કર્મચારીઓની મંદિર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે વહીવટદારની તપાસ કરવામાં આવશે અને જો તેમની નિષ્કાળજી જણાશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. ​ભવિષ્ય માટે લેવાયેલા મહત્વના નિર્ણયો: * ​મહંત નિમણૂક રદ: અંબાજી મંદિરના મહંતની નિમણૂકની ચાલી રહેલી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને હવે નવેસરથી કડક માપદંડો સાથે પ્રક્રિયા થશે. * ​સીસીટીવી અને સુરક્ષા: સમગ્ર મંદિર પરિસરને અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે અને 24 કલાક સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. * ​રજિસ્ટર વ્યવસ્થા: મંદિરમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું હાજરી રજિસ્ટર રાખવામાં આવશે. * ​રાત્રિ રોકાણ પર પ્રતિબંધ: કોઈપણ વ્યક્તિને પરવાનગી વગર રાત્રે રોકાવા દેવામાં આવશે નહીં. * ​નિયમિત મુલાકાત: વહીવટદાર અને મામલતદારે દર અઠવાડિયે મંદિરની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરવાની રહેશે. ​કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર દત્ત શિખર અને અંબાજી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રશાસન હવે આરપારના મૂડમાં છે. ભવનાથ પોલીસ હાલ આ તમામ 11 આરોપીઓ વિરુદ્ધ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ ગિરનાર અંબાજી મંદિર માંસ-મટન પ્રકરણમાં નવો વળાંક, પૂજારી પ્રિન્સ ઠાકોરનો પ્રાંત અધિકારી પર માર માર્યાનો આક્ષેપ ​જૂનાગઢના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના પ્રથમ દિવસે જ રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે પૂજારી, રસોયા અને PRO સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવી તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આ તપાસ દરમિયાન આજે એક નવો વળાંક આવ્યો છે, જેમાં પૂજારી પ્રિન્સ ઠાકોરે પ્રાંત અધિકારી પર માર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    1961ના સરકારી રેકર્ડમાં છેડછાડ કરનાર 2.5 વર્ષે ઝડપાયો:વારસાઈના બહાને પેરોલ મેળવી લાંબા સમયથી પોલીસને થાપ આપતો હતો, દમણના આલીશાન દેવકા બીચ વિસ્તારમાંથી દબોચ્યો
    Next Article
    કુમકુમ મંદિરે નિઃશુલ્ક દિવ્યાંગ સહાય કેમ્પ યોજાયો:સાધન સહાય સાથે પરામર્શન કરી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment