Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવાયજ્ઞ:ગાયત્રી પરિવાર 108 સગર્ભાઓને ગર્ભ સંસ્કાર આપશે, દિવ્ય પેઢીના નિર્માણનો સંકલ્પ લેવાશે

    14 hours ago

    અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 10,મે રવિવારના રોજ 108 ગર્ભવતી મહિલાઓના ગર્ભ સંસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન વડોદરા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તેમજ વરેણ્યં યુથ ગ્રૂપ દ્વારા સુભાનપુરાના ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ ખાતે સવારે 9થી 11 વાગ્યા દરમિયાન યોજાશે. મહત્વનું છે કે, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ‘આવો ઘડીએ સંસ્કારવાન પેઢી’ અભિયાન હેઠળ ગર્ભ સંસ્કારના માધ્યમથી એવી ભાવિ પેઢીનું નિર્માણ કરવાનો છે જે શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે સંતુલિત અને નૈતિક રીતે સશક્ત હોય. મહત્વનું છે કે, કોઈ પણ ગર્ભવતી મહિલાઓ આ ગર્ભ સંસ્કાર સમારોહમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ગાયત્રી પરિવારનો સંપર્ક કરી શકે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ડો.ચિન્મય પંડ્યાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરમાં એક બાળકનો જન્મ થાય છે, ત્યારે તે માત્ર માતા-પિતા માટે જ વ્યક્તિગત ખુશીનું કારણ નથી હોતો, પરંતુ તે સમગ્ર પારિવારિક સુખનું કારણ બને છે. આપણા શાસ્ત્રોમાં એક ખૂબ સુંદર વાત કહેવામાં આવી છે: ‘કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચતેન’. આનો અર્થ એ છે કે ક્યારેક પૃથ્વી પર એવી મહાન આત્માઓ આવે છે, જેના આવવાથી આખું કુળ પવિત્ર થઈ જાય છે, તેને જન્મ આપનાર માતા કૃતાર્થ થઈ જાય છે અને ખુદ વસુંધરા (ધરતી) પોતાના સદ્ભાગ્ય પર ગર્વ અનુભવે છે. ગર્ભ સંસ્કાર અભિયાનના કેટલાક મુખ્ય સ્તંભ અને સિદ્ધાંતો ગાયત્રી પરિવાર દ્વારા 20 વર્ષથી ગર્ભ સંસ્કાર સમારોહ યોજાય છે ગાયત્રી પરિવારની વડોદરામાં છેલ્લા 20 વર્ષથી ગર્ભ સંસ્કાર સમારોહનું આયોજન કરે છે. જેમાં લાખો મહિલાઓના ગર્ભ સંસ્કાર સમારોહ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ગાયત્રી પરિવારની શહેરમાં 28 શાખાઓ આવેલી છે. જેમાં દર રવિવારે મહિલાઓના ગર્ભ સંસ્કાર સમારોહ યોજાતા હોય છે. ગાયનેકોલોજિસ્ટ આહાર, વિહાર, અને વિચાર અંગે સમજ આપશે ખાનગી હોસ્પિટલના ડો. નિરજ શાહ અને ડો. રાખીબેન શાહ ગાયનેકોલોજિસ્ટ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે બહેનોએ આહાર,વિહાર અને વિચાર કેવો હોવો જોઈએ તે સમજાવશે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ આ સમયગાળા દરમિયાન શું કાળજી રાખવી જોઈએ તેની પણ માહિતી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષિકાનું ભક્તિમય સર્જન:શિક્ષિકાએ 20 માસમાં 2 હજાર પાના લખી હસ્તલિખિત રામાયણ તૈયાર કર્યું
    Next Article
    દવાઓના ગેરકાયદે વેચાણનો ગોરખધંધો ઝડપાયો:નવાયાર્ડમાં ગેરકાયદે નશાકારક દવા વેચતા શિવાની મેડિસિન સ્ટોરનું લાઇસન્સ સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment