Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમાં શ્રાવણના પ્રારંભે ડમરુ યાત્રા:હર્ષ સંઘવીએ યાત્રાનો પ્રારંભ કરાવી ડમરું વગાડ્યું, 108 નિષ્ણાત કલાકારના વાદનથી નગરી શિવમય બની

    3 days ago

    ઐતિહાસિક અને પ્રાચીનનગરી વડનગરમાં શ્રાવણ માસના પાવન પર્વે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વડનગર શ્રાવણોત્સવ'નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થયો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરી તેના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ યાત્રા'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં હર્ષ સંઘવીએ પણ ડમરૂં વગાડ્યું હતું. ડમરુ વાદનથી વડનગર શિવમય બન્યું આ ડમરુ યાત્રામાં 108 નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે કરવામાં આવેલા ડમરુ વાદનથી સમગ્ર નગર શિવમય બન્યું હતું. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ ભક્તિમય પદયાત્રા અર્જુન બારી, ભગતના ગલ્લા, જૂના ચાચર તેમજ સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર જેવા ધાર્મિક સ્થળો પરથી પસાર થઈને હાટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી સંપન્ન થઈ હતી. હાટકેશ્વર મંદિરે હર્ષ સંઘવીએ દર્શન કર્યાં હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં બાદ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી. ત્યારબાદ વડનગરની હેરિટેજ રીક્ષામાં બેસી વડનગરના રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સ્ટેશનની સમીક્ષા કરી હતી. ત્યારબાદ રીક્ષામાં સવાર થઈને તોરણ હોટેલ પહોંચ્યા હતા. વડનગર મુલાકાત લેવા લોકોને આમંત્રણ હર્ષ સઘવીએ જણાવ્યું હતું કે, જય હાટકેશ્વરના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળી દરરોજ સવારે પ્રભાતફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરું યાત્રામાં પરિવર્તિત થયું હોય. આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ-અલગ સ્થળથી આ ડમરું યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ શીવ ભક્તિની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર આવવા આમંત્રણ આપું છું. હાટકેશ્વર મહાદેવજીનું આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશતાં જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. હર્ષ સંઘવી રિક્ષામાં સવારી કરી રેલવે સ્ટેશન પહોંચ્યા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આ સામાન્ય રીતે વડનગરની સ્વચ્છતા, વડનગરના ડેવલોપમેન્ટના પ્રોજેક્ટો, વડનગરના લોકો માટેની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, હું જ્યાં પણ જતો હોવ ત્યાં રેગ્યુલર આ પ્રકારની રિવ્યુ બેઠક લેતો હોવ છું અને આજે પણ એ જ પ્રકારે એક રિવ્યુ બેઠક હતી. ગાડીમાં જે આનંદ ન આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષામાં સવારીનો આનંદ અદ્ભુત હતો. વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો. ખૂબ મોટા પ્રમાણમાં ટૂરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ પણ થશે. અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાળાએ કહ્યું કે રિક્ષા સાથે ફોટો પડાવવા માટે પણ પડાપડી છે લોકોની એટલે ભવિષ્યની અંદર ટૂરિસ્ટ માટે પણ આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત:સંસદ પરિસરમાં સત્તા પક્ષ-વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું
    Next Article
    ટંકારાના છતર ગામમાં જુગાર પર પોલીસની રેડ:સ્ટ્રીટ લાઇટના અજવાળે 8 શખ્સો જુગાર રમતા ઝડપાયા, ₹24,800 રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment