Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    108ની ટીમે દર્દીનો કિંમતી સામાન પરત કર્યો:અમરેલીમાં યુવકના અકસ્માત બાદ રૂ. 3080 રોકડ, કાર્ડ, મોબાઈલ સહિતનો સામાન સ્વજનોને સોંપ્યા

    2 days ago

    અમરેલી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ટીમે અકસ્માતમાં ઘાયલ દર્દીનો કિંમતી સામાન પ્રામાણિકતાથી પરત કર્યો છે. ખાંભા-ઉના રોડ પર ચકરાવા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ઉનાના સોહિલ ઈકબાલ શેખ (ઉંમર 32) ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ, જેમાં ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ જયદીપ રેણુકાનો સમાવેશ થાય છે, તે ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી હતી. ટીમે તાત્કાલિક સારવાર આપી ઘાયલ સોહિલને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દી સાથે કોઈ સગા હાજર ન હોવાથી, 108 ટીમે તેમની પાસે રહેલો કિંમતી સામાન સુરક્ષિત રીતે જાળવી રાખ્યો હતો. બાદમાં દર્દીના પરિવારજનોને જાણ કરી હોસ્પિટલ ખાતે અંદાજિત રૂ. 3080 રોકડ, વિવિધ બેંકના ATM અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ બે કિંમતી મોબાઇલ ફોન (આઇફોન અને એન્ડ્રોઇડ) સુરક્ષિત રીતે પરત સોંપ્યા હતા. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ આ ફરજનિષ્ઠા અને પ્રામાણિકતાના કાર્ય બદલ ટીમને બિરદાવી હતી. ઘાયલના પરિવારજનોએ પણ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો, જેનાથી સેવા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સિવિલમાં ડૉક્ટર્સની મનમાનીનો ખુલ્લો ખેલ:આયુષ્યમાન કાર્ડ વગર ઓપરેશનની ના પાડતા ગરીબ મહિલા પાંચ દિવસ રઝળી, સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં રફુચક્કર
    Next Article
    જૂનાગઢ સિવિલમાં 'આયુષ્માન કાર્ડ નહીં તો ઓપરેશન નહીં'નો ઘરેલુ નિયમ:ફ્રેક્ચર સાથે પાંચ દિવસ સુધી શાંતિબેન ધક્કા ખાધા છતાં તંત્ર બેધ્યાન, વિપક્ષના હસ્તક્ષેપ બાદ હરકતમાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment