Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડજ ઇસ્કોન મંદિરમાં શ્રી નરસિંહ જયંતિ મહોત્સવ ઉજવાયો:108 કળશ અને સાત પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાયો

    10 hours ago

    ભાડજ સ્થિત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિરમાં ગત 30 એપ્રિલના રોજ શ્રી નરસિંહ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભક્તોએ દિવસભર ઉપવાસ રાખી ભગવાન શ્રી નરસિંહ દેવની ભક્તિ કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકશિપુથી બચાવવા માટે અર્ધ સિંહ-અર્ધ પુરુષ સ્વરૂપે શ્રી નરસિંહ દેવ તરીકે અવતાર લીધો હતો. આ દિવસને તેમના શુભ અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહોત્સવની શરૂઆત સવારે શ્રી નરસિંહ યજ્ઞથી થઈ હતી. ભગવાનને પ્રસન્ન કરવા માટે દિવસભર હરિનામ સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાંજે ભગવાન શ્રી શ્રી લક્ષ્મી નરસિંહ દેવનો વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેક 108 કળશમાંથી સાત પવિત્ર નદીઓના જળ, દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી અને ફળોના રસ વડે કરવામાં આવ્યો હતો. અભિષેક સમારોહમાં વિશેષ નરસિંહ આરતીનો પણ સમાવેશ થતો હતો. મહોત્સવના અંતે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહ દેવની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી, જે બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણદાસે આ મહોત્સવ વિશે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસનું 4મેએ પરિણામ:સવારે 10 વાગ્યે બોર્ડ જાહેરાત કરશે, વોટ્સએપથી પણ જાણી શકાશે
    Next Article
    હિંમતનગરમાં ₹60 કરોડના ખર્ચે 160 રૂમનું નવું કોર્ટ ભવન:150થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાર્ક કરી શકાશે, નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં, ટૂંક સમયમાં લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment