Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં બે પરિવારો વચ્ચે તલવાર-ધોકા ઉછળ્યા:રૂવાપરી રોડ પર સામસામે પથ્થરમારો થતા મહિલા સહિત 7થી વધુ ઈજાગ્રસ્ત, પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો

    19 hours ago

    શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ગત રાત્રિએ બે કૌટુંબિક પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સમાધાન કરવાના ઈરાદે એકઠા થયેલા પરિવારો વચ્ચે મામલો એટલો બિચક્યો કે જાહેર રોડ પર સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ જૂથ અથડામણમાં સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમાધાનને બદલે સંગ્રામ ખેલાયો મળતી વિગતો અનુસાર, ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા બે કૌટુંબિક પક્ષો વચ્ચે અગાઉ કોઈ બાબતે મનદુઃખ થયું હતું. આ વિવાદનો અંત લાવવા માટે ગત રાત્રિએ બંને પક્ષો ભેગા થયા હતા. જોકે, વાતચીત દરમિયાન સમાધાન થવાને બદલે બંને પક્ષના લોકો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો એટલો ગંભીર બન્યો કે બંને પક્ષો રૂવાપરી રોડ પર આવી ગયા હતા અને એકબીજાને ગાળો ભાંડી જાહેરમાં પથ્થરમારો શરૂ કર્યો હતો. જાહેરમાં ભયનું વાતાવરણ અને પોલીસ કાર્યવાહી રસ્તા પર થયેલા આ પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઈ હતી અને જાહેર જનતામાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ અથડામણમાં કુલ 7 લોકોને નાની-મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ઘોઘારોડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પરિવારો વચ્ચે સમાધાન છતાં પોલીસે ગુનો નોંધ્યો ચોંકાવનારી વાત એ છે કે, બંને પક્ષો એકબીજાના નજીકના સગા થતા હોવાથી આ લોહિયાળ અથડામણ બાદ તેમણે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ હોવાથી ઘોઘારોડ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સરકાર તરફી વાદી બની ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા બદલ બંને પક્ષના 14 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓની યાદી પોલીસે માધવીબેન બારૈયા, સુભાસ બારૈયા, ધીરા મકવાણા, શંકર મકવાણા, એવી તનસુખભાઈ મકવાણા, અનિતાબેન જાદવ, સુરેશ બારૈયા, જીતેશ બારૈયા, ગુલાબ બારૈયા, જેન્તી બારૈયા, સોનલબેન બારૈયા, સંગીતાબેન બારૈયા, અનિલ બારૈયા અને ગૌરધન વાજા વિરુદ્ધ BNS ની વિવિધ કલમો અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ:ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું- આત્મઘાતી હુમલો થઈ શકે, ભાજપ મુખ્યાલય-સરકારી ઇમારતોની સુરક્ષા વધારી
    Next Article
    Gujarat Heat Wave News | શનિવારે પણ રાજ્યમાં ગરમીનો હીટ શો | Werather | Temperature | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment