Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત વેરામાં ઐતિહાસિક વસૂલાત:એપ્રિલમાં જ મહાપાલિકાની તિજોરીમાં108 કરોડ છલકાયાં

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2026-27 માટે અમલમાં મૂકવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાને શહેરના કરદાતાઓએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. માત્ર એપ્રિલ માસના ગાળામાં જ મહાનગરપાલિકાએ મિલકત વેરા પેટે કુલ રૂ.108.64 કરોડની ઐતિહાસિક વસુલાત કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરદાતાઓની સંખ્યા અને આવક બંનેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલકત વેલો છે. મિલકત વેરાની સંપૂર્ણ વસુલાતમાં કોર્પોરેશનને સફળતા મળી નથી. દર વર્ષે કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષના અંતમાં તમામ વિભાગના અધિકારી કર્મચારીઓને રિકવરી માટે દોડાવે છે. ખરેખર વર્ષની શરૂઆતથી જ વેરા વસુલાતનું આયોજન કરવામાં આવે તો અંત સમયે દોડધામ ઓછી રહે અને ટાર્ગેટ પણ પૂરો થઈ શકે. પરંતુ આ વર્ષે માસ જપ્તી દરમિયાન પણ સીલીંગ અને વસુલાતની કામગીરી આવકારદાયક રહી હતી. જેને કારણે જ આ વર્ષે એપ્રિલ મહિનામાં મિલકત વેરાની આવક 108.64 કરોડે પહોંચી છે. જે નાગરિકો એપ્રિલ માસમાં વેરો ભરી શક્યા નથી, તેમના માટે મે માસમાં પણ રિબેટ યોજના ચાલુ રહેશે. મે મહિનામાં કેશ બારી પર વેરો ભરનારને 5% વળતર અને ઓનલાઇન વેરો ભરનારને વધારાના 2% મળી કુલ 7% રિબેટ આપવામાં આવશે. આજથી મિલકત વેરામાં એક મહિના માટે 5% તેમજ 2% ઓનલાઈન વેરો ભરનારને રિબેટ મળવાપાત્ર રહેશે. ગત વર્ષ અને ચાલુ વર્ષની તુલનાત્મક વસૂલાત એક જ મહિનામાં વાર્ષિક ડિમાન્ડની 58% રકમ વસૂલ મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગનશહેરમાં કુલ 3.11 લાખ નોંધાયેલા કરદાતાઓ છે, જેમાંથી 1.56 લાખ કરદાતાઓએ એપ્રિલ માસમાં જ પોતાનો વેરો ભરપાઈ કરી દીધો છે. આ આંકડો કુલ વાર્ષિક ડિમાન્ડના 58% જેટલો થાય છે. એટલે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની આખા વર્ષની કુલ આવકનો અડધાથી વધુ હિસ્સો માત્ર એક જ મહિનામાં જમા થઈ ગયો છે. ઓનલાઇન પેમેન્ટ પ્રત્યે કરદાતાઓ જાગૃત થયા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના જમાનામાં ભાવનગરના નાગરિકો પણ ટેક-સેવી બન્યા છે. એપ્રિલમાં વેરો ભરનારા 1,56,040 કરદાતામાંથી 1,06,665 લોકોએ ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કર્યો હતો, જ્યારે 49,375 લોકોએ ઓફલાઇન વેરો ભર્યો હતો. કરદાતાઓ મહાનગર પાલિકાની વેબસાઇટ પર અથવા મોબાઈલ એપ દ્વારા વેરો ભરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બ્લોકનો ઘા મારી યુવકને કર્યો ઈજાગ્રસ્ત:નિર્મળનગરમાં ઇલેક્ટ્રિશિયન યુવાન પર બે શખ્સનો હુમલો, બાઈકમાં તોડફોડ
    Next Article
    વીજ કાપ જાહેર:સોમવારે ઇસ્કોન ફીડરમાં 6 કલાકનો વીજ કાપ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment