Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી:મહિલાઓએ વડલા નીચે પૂજન કરી 108 પ્રદક્ષિણા કરી

    17 hours ago

    જેષ્ઠ મહિનાની વ્રતની પૂનમ એટલે વડ સાવિત્રીનું વ્રત આજે હિંમતનગરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. શહેરના વિવિધ મંદિર પરિસરોમાં મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. હિંમતનગરમાં ભોલેશ્વર, ઝરણેશ્વર, મહાવીરનગર પંચદેવ મંદિર અને મહાકાલી માતાજીના મંદિર સહિતના સ્થળોએ સોમવારે સવારથી મહિલાઓ શણગાર સજીને પૂજા સામગ્રી અને સુતર લઈને વડલા નીચે એકત્ર થઈ હતી. બ્રહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિવિધ પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓએ સુતર વડે વડલાની 108 વાર પ્રદક્ષિણા કરી હતી. આ અંગે શાસ્ત્રી પાર્થ ભટ્ટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનું અનેરું ધાર્મિક મહત્વ છે. આ પવિત્ર દિવસે સુહાગિની સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, અખંડ સૌભાગ્ય, કુટુંબની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે ભક્તિભાવપૂર્વક 'વટસાવિત્રી પૂર્ણિમા'નું વ્રત રાખે છે. મહાભારતના વનપર્વમાં વર્ણવ્યા અનુસાર, સતી સાવિત્રીએ પોતાના પતિવ્રતા ધર્મ અને તપના પ્રભાવથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. ધર્મસિંધુ, સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં પણ આ વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે. આ વર્ષે સોમવાર અને મૂળ નક્ષત્રનો અત્યંત દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યો છે, જે આ વ્રતને અનેકગણું ફળદાયી બનાવે છે. સોમવાર એ ભગવાન શિવનો અતિપ્રિય દિવસ છે. માતા પાર્વતીએ પણ શિવજીને પામવા કઠોર તપ કર્યું હતું, તેથી આ દિવસે શિવ-પાર્વતીની ઉપાસના સાથે વ્રત કરવાથી વિવાહની અડચણો દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મૂળ નક્ષત્રમાં કરેલા જપ, તપ અને દાનથી પૂર્વ કર્મોના દોષોનું શમન થાય છે, જીવનના અવરોધો દૂર થાય છે અને આધ્યાત્મિક આત્મબળ પ્રાપ્ત થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલીમાં લાંબા વિરામ બાદ વરસાદ:થાલા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, બફારાથી રાહત; નવસારી શહેર સૂકું
    Next Article
    કુકરમુંડા પોલીસે પરિવારથી વિખૂટી બાળકીને શોધી:સુરતથી આવેલી 10 વર્ષીય બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment