Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરના કુંડા ગામની પ્રસૂતાને ઝોળીમાં ઊંચકવી પડી:ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં હોસ્પિટલ ખસેડાઈ

    1 day ago

    છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. પરિણામે, પરિવારજનોએ મજબૂરીમાં કાપડની ઝોળી બનાવી મહિલાને 1 કિમી દૂર કાચા રસ્તા સુધી ઊંચકીને લઈ ગયા હતા. ત્યાંથી ખાનગી વાહન દ્વારા પાકા રસ્તા સુધી પહોંચ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને દુગ્ધા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સાંજે 4:00 વાગ્યાના અરસામાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. અગાઉની ઘટનામાં હાઈકોર્ટનો હસ્તક્ષેપ છોટા ઉદેપુર જિલ્લો ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. આ પૂર્વે 1 ઓક્ટોબર, 2022ના રોજ તુરખેડામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક મહિલાનું રસ્તામાં જ પ્રસૂતિ બાદ મોત નીપજ્યું હતું. સુઓમોટો સંજ્ઞાન: આ ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓમોટો) લઈ તંત્ર પાસે જવાબ માંગ્યો હતો. કાગળ પર મંજૂરી: હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ રસ્તો તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ સુધી ત્યાં રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. સ્થાનિકોની માગ વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં વહેલી તકે પાકા રસ્તા બનાવવામાં આવે જેથી ઈમરજન્સી સમયે દર્દીઓ અને પ્રસૂતાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય અને જીવનું જોખમ ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    'ડરપોક છો ડરપોક, ભાગેડુ છો ભાગેડુ!:સામાન્યસભા બાદ ભાજપ-આપ વચ્ચે બથંબથી ને ખેંચાખેંચીથી મનપા ઓફિસ સમરાંગણ બની, મેયર માવાણીએ મૂઠીઓ વાળી
    Next Article
    ટંકારામાં 26.04 લાખનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકને પરત:કલ્યાણપર ગામેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુપ્રત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment