Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધાપરમાં 102 યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ:યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ બનશે 'ફર્સ્ટ રિસ્પોન્ડર'

    1 day ago

    કચ્છ જેવા આપત્તિ સંવેદનશીલ જિલ્લામાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે "યુવા આપદામિત્ર સ્કીમ" (YAMS) હેઠળ સાત દિવસીય વિશેષ તાલીમ શિબિરનો પ્રારંભ માધાપર સ્થિત યક્ષ મંદિર ખાતે થયો છે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને SPIPA, રાજકોટના સંયુક્ત આયોજનથી યોજાયેલી આ તાલીમમાં વિવિધ કોલેજોના NSSના 102 યુવાનો ભાગ લઈ રહ્યા છે. SDRFના અનુભવી અધિકારીઓ અને જવાનો દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે બેઝિકથી એડવાન્સ લેવલનું સઘન પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તાલીમમાં આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનું સઘન પ્રશિક્ષણ અપાશે. તેમાં બચાવ અને રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, જોખમી વિસ્તારોમાં સુરક્ષિત કામગીરી, શોધખોળ, સ્થળાંતર અને સંકલિત રેસ્ક્યૂ ઓપરેશનનો સમાવેશ થાય છે. આ તાલીમ માત્ર સિદ્ધાંત પૂરતી મર્યાદિત નથી. પ્રેક્ટિકલ સેશન, લાઈવ ડેમો અને ફિલ્ડ એક્સરસાઈઝ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તેની સમજ પણ આપવામાં આવશે. આપત્તિ સમયે ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા, વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની પદ્ધતિ તેમજ સ્થાનિક સ્તરે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાં અને શહેરોમાં એવા પ્રશિક્ષિત યુવાનોનું નેટવર્ક ઉભું કરવાનો છે, જે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન વહીવટી તંત્રને તાત્કાલિક સહયોગ આપી શકે. તાલીમ પૂર્ણ થયા બાદ આ યુવાનો પોતાના વિસ્તારમાં આપત્તિ અંગે જાગૃતિ ફેલાવવા ઉપરાંત પ્રથમ પ્રતિસાદ આપનારા સ્વયંસેવક તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રેક્ટિકલ તાલીમ અને મુખ્ય ઉદ્દેશ્ય તાલીમમાં રાહત કામગીરી, પ્રાથમિક સારવાર, શોધખોળ અને સ્થળાંતર જેવા વિષયો પર લાઈવ ડેમો અને ફિલ્ડ એક્સરસાઈઝ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની સમજ અપાશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાં અને શહેરોમાં એવા પ્રશિક્ષિત યુવાનોનું નેટવર્ક ઊભું કરવાનો છે, જે વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને આપત્તિ સમયે 'ફર્સ્ટ રિસ્પોન્ડર' તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે. તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર પી.કે. ચૌધરી, SPIPAના નાયબ સેક્શન અધિકારી હીનલબેન કુવાડિયા, ડીપીઓ નિરવસિંહ નાડોડા, NDRFના ઇન્સ્પેક્ટર એસ.એન. પરીખ અને યક્ષ મંદિરના મેનેજર હિતેશ ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ ભવિષ્યમાં વધુ સજ્જ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    કુબેરભંડારી મંદિરે અષાઢી બીજ-અમાસ નિમિત્તે વિશેષ આયોજન:ભગવાન જગન્નાથજી સ્વરૂપ દર્શનનો હજારો ભક્તોએ લાભ લીધો
    Next Article
    ૐ પ્લે હાઉસમાં અષાઢી બીજની ભક્તિમય ઉજવણી:નાનાં ભૂલકાઓએ ભક્તિગીતો, વાર્તા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment