Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વેરાવળ પહોંચ્યા:સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વિશેષ ટ્રેન દ્વારા આગમન

    8 hours ago

    સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. તેમનું ઢોલ-નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ યુવક-યુવતીઓએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર થયેલા આક્રમણોને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આસ્થાનું પ્રતીક એવું આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે. લખનઉથી આવેલા આ યાત્રિકો ૨૧મી એપ્રિલે વહેલી સવારે વેરાવળ પહોંચ્યા હતા અને ત્યાંથી સોમનાથ જવા રવાના થયા હતા. આગામી ત્રણ દિવસ સુધી તેઓ સોમનાથ મંદિર, તેની આસપાસના મંદિરો અને આપણી સાંસ્કૃતિક ધરોહર વિશેની વિસ્તૃત માહિતી મેળવશે. આ ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે, દિલ્હીથી પણ એક વિશેષ ટ્રેન 30 એપ્રિલે સોમનાથ આવવા નીકળશે. ત્યારબાદ મે મહિનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી, જ્યારે જૂન મહિનામાં હરિયાણાથી ટ્રેનો આવશે. આ યાત્રિકો સોમનાથ મહાદેવના દર્શન કરી, પ્રાચીન સ્થળો, ગુફાઓ અને ગીર સોમનાથ-વેરાવળના વિવિધ મંદિરોની મુલાકાત લઈ ધન્યતા અનુભવશે.
    Click here to Read More
    Previous Article
    Meta to start capturing employee mouse movements, keystrokes for AI training data
    Next Article
    કિશનવાડીમાં પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ યુવક સાથે ઝપાઝપી કરી:'એ શાંતિ રાખજે' કહીને ધક્કો માર્યો, સ્થાનિકે કહ્યું, 'બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment