Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1000 કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરાશે:રખડતા કૂતરાઓ માટે શેલ્ટર હોમ ઊભું કરવા માલવણીમાં જમીન

    5 days ago

    રખડતા કૂતરાઓના પ્રશ્ન પરથી સુપ્રીમ કોર્ટે કાન આમળ્યા પછી હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ એના પર ઉપાયયોજના શરૂ કરી છે. એ અનુસાર સૌથી શ્રીમંત મહાપાલિકા ગણાતી મુંબઈ મહાપાલિકાએ શહેરના રખડતા કૂતરાઓની વધતી સંખ્યા પર નિયંત્રણ રાખવા અને તેમને સુરક્ષિત નિવાસ ઉપલબ્ધ કરવા માલવણી પરિસરમાં નવું એનિમલ શેલ્ટર હોમ ઊભું કરવાની તૈયારી કરી છે. આ કેન્દ્ર માટે રાજ્ય સરકાર તરફથી લગભગ 5 એકર જમીન ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ બાબતની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાની માહિતી મહાપાલિકા પ્રશાસને આપી છે. અત્યારે મહાપાલિકા પાસે શહેરમાં 8 શેલ્ટર હોમ કાર્યરત છે. જો કે રખડતા કૂતરાઓની સંખ્યાની સરખામણીએ એ ઓછા પડે છે. તેથી માલવણીમાં ઊભા થનારા નવા કેન્દ્રમાં એક હજારથી વધુ રખડતા કૂતરાઓ રાખવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવી માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી. મહાપાલિકાએ રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે વિવિધ ઉપાયયોજના શરૂ કરી છે. એમાં નવા શેલ્ટર હોમ ઊભા કરવા, હાલના કેન્દ્રોની ક્ષમતા વધારવી, વેટરનરી મેડિકલ સેવાનું વિસ્તરણ કરવાનો સમાવેશ છે. માલવણીમાં જગ્યા મળ્યા પછી પશ્ચિમ ઉપનગરોમાં એનિમલ શેલ્ટર હોમની સંખ્યા વધતા રખડતા કૂતરાઓના વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે એવો વિશ્વાસ પ્રશાસને વ્યક્ત કર્યો છે. મહાપાલિકાનું નિયોજન મહાપાલિકાના નિયોજન અનુસાર શહેરમાં પકડેલા રખડતા કૂતરાઓની પહેલાં નસબંધી અને રસીકરણ કરીને એ પછી તેમને સંબંધિત પરિસરમાં છોડવાની પદ્ધતિ છે. જો કે ગંભીર જખમી, બીમાર કે આક્રમક કૂતરાઓને હંગામી નિવાસ આપવા અતિરિક્ત જગ્યાની જરૂર પડતી હતી. એના માટે મહાપાલિકા તરફથી જગ્યાની શોધ ચાલુ હતી. હવે માલવણીમાં 5 એકર જમીન અંતિમ કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત કેન્દ્રના લીધે રખડતા કૂતરાઓના શેલ્ટર હોમની સમસ્યા થોડા પ્રમાણમાં ઓછી થવામાં મદદ થશે.
    Click here to Read More
    Previous Article
    પ્રવાસ થશે વધુ આરામદાયક:એપ્રિલથી CSMTથી ગોરેગાવ હાર્બર રૂટ પર પણ AC લોકલ
    Next Article
    ગામ ગામની વાત:નવાબી કાળના રંગપુર ગામમાં હાઈસ્કૂલ અને ગટર વ્યવસ્થાનો અભાવ, સરકારી હાઈસ્કૂલ બંધ થઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment