Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના નાસિર નગરમાં મેગા ડિમોલિશન, વગર નોટિસે બુલડોઝરની એન્ટ્રી:100થી વધુ પરિવારો ઘરવિહોણા, રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું- રોડ અને નળ આપ્યા ત્યારે ગેરકાયદે નહોતું?

    12 hours ago

    સુરત સ્માર્ટ સિટીના વિકાસની ઝાકઝમાળ પાછળ ગરીબો અને શ્રમિકોની પીડા દર્શાવતો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC)ના કતારગામ ઝોન દ્વારા શનિવારે વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝરો ઉતારી દેવામાં આવ્યા હતા, જેને કારણે સ્લમ વસાહતના 100થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ છે. ઘરવખરી સામાન કાઢવાનો પણ મોકો ન મળ્યો નાસિર નગર વિસ્તારમાં વસતા સ્થાનિક શ્રમિકો અને મહિલાઓએ રડતી આંખે જણાવ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા 40થી 50 વર્ષથી વસવાટ કરે છે અને તેમની પાસે રહેઠાણના કાયદેસરના પુરાવા પણ છે. શનિવારે સવારે કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મોટો પોલીસ કાફલો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જેસીબી મશીનો સાથે ત્રાટક્યા હતા. તંત્ર દ્વારા ઘર ખાલી કરવા માટે સમય ન અપાતા રહીશોને પોતાની ઘરવખરીનો સામાન સરખો બહાર કાઢવાનો પણ મોકો મળ્યો ન હતો. કાળઝાળ ગરમીમાં પોતાની નજર સામે આજીવિકાના આશરા સમાન ઘરોને તૂટતા જોઈને નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ આક્રંદ કરી ઉઠ્યા હતા. વૈકલ્પિક આવાસ વગરની કામગીરી સામે સામાજિક અગ્રણીઓ નારાજ સામાજિક અગ્રણી અસલમ સાયકલવાલાએ તંત્રની આ નીતિની આકરા શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, "ચુસ્ત પોલીસ બંદોબસ્તનો દુરુપયોગ કરીને, કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કતારગામ ઝોન દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે તદ્દન અમાનવીય છે. આ વસાહતમાં વર્ષોથી રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમિકો વસે છે. આ ગરીબ પરિવારોને કોઈ વૈકલ્પિક આવાસની ફાળવણી કર્યા વગર રસ્તા પર રઝળતા મૂકી દેવા તે પાલિકાની ક્રૂરતા દર્શાવે છે." 4 મહિના પહેલા આપેલું આવેદનપત્ર તંત્રએ કચરાપેટીમાં નાખ્યું નાસિર નગરના રહીશોને અગાઉથી જ આ પ્રકારના ડિમોલિશનની આશંકા હોવાને કારણે, તેઓએ કાયદેસરનો માર્ગ અપનાવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા અગાઉ 1 જાન્યુઆરી, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કતારગામ ઝોનની કચેરી ખાતે રૂબરૂ જઈને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ લેખિત રજૂઆતમાં વિનંતી કરવામાં આવી હતી કે, જો આ જમીન સરકારી હોય કે પાલિકાને વિકાસ માટે જોઈતી હોય તો નિયમ મુજબ ગરીબોને પહેલા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે અને ત્યાર બાદ જ કોઈ કદમ ઉઠાવવામાં આવે પરંતુ, તંત્રએ આ રજૂઆત પર ધ્યાન આપ્યા વગર જ બુલડોઝરની ફોજ ઉતારી દીધી હતી. "જો જમીન ગેરકાયદે હતી તો 50 વર્ષથી ટેક્સ, રોડ અને નળ કેમ આપ્યા?" સ્થાનિક યુવક પઠાન શોએબ અને નસીમ ખાને વહીવટી તંત્રની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, "જો અમારું વસવાટ ઈલ્લીગલ જ હતું તો મ્યુનિસિપાલિટીએ કેમ અમને અહીંયા આટલા વર્ષોથી રહેવા દીધું? પાલિકાએ જ અમને રસ્તો બનાવી આપ્યો, નળ કનેક્શન આપ્યા અને 40-50 વર્ષથી અમારી પાસેથી નિયમિત ઘરવેરો પણ વસૂલવામાં આવ્યો છે. અમારી એક-એક દીવાલ અમે મહેનતથી બનાવી છે. તંત્રના અધિકારીઓ આવીને કહે છે કે સાહેબ રજા પર છે અને કોઈ રજૂઆત સાંભળવા તૈયાર નથી. ગરીબો અને મુસલમાનો સાથે થઈ રહેલો આ અન્યાય આખી દુનિયા જોઈ રહી છે." "ઘરના બદલામાં ઘર આપો, નહીંતર આગામી સમયમાં ચૂંટણી બહિષ્કાર" ધોમધખતા ઉનાળામાં બેઘર બનેલા પરિવારોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે. સ્થાનિક મહિલાઓ અને રહીશોએ જણાવ્યું છે કે, અહીં એક-એક ઘરમાં પાંચ-પાંચ પરિવારો ભેગા રહેતા હતા, તંત્રએ આ તમામ પરિવારોને રહેવા માટે તાત્કાલિક ઘરના બદલામાં ઘર આપવું જોઈએ. રહીશોએ નેતાઓ સામે રોષ ઠાલવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, "ચૂંટણી સમયે મોટા નેતાઓ આવીને વોટિંગ કરાવી લે છે અને પછી ગરીબોને રસ્તા પર સૂવા માટે મજબૂર કરે છે. જો અમને યોગ્ય રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ પણ ચૂંટણીમાં આ વસાહતના લોકો દ્વારા મતદાન કરવામાં આવશે નહીં."
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકામાં જન્મ-મરણ ID બંધ:ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને મલ્ટી આઈડી ફરી શરૂ કરવા પત્ર લખ્યો
    Next Article
    સાબરકાંઠામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી:વ્યસનમુક્તિ માટે મે માસમાં જનજાગૃતિ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment