Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જસાપર બાયપાસનો વિરોધ:100 વીઘા જમીન પ્રભાવિત થવાની ચિંતા વચ્ચે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    18 hours ago

    મોરબીના જસાપર ગામ પાસે પ્રસ્તાવિત બાયપાસના વિરોધમાં ખેડૂતોએ આજે રેલી યોજી હતી. ખેડૂતોએ પરશુરામ પોટરીથી કલેક્ટર કચેરી સુધી 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે કૂચ કરી, બાયપાસ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોના મતે, આ પ્રસ્તાવિત બાયપાસને કારણે આશરે 100 વીઘા ફળદ્રુપ જમીન સીધી અસરગ્રસ્ત થશે. આ ઉપરાંત, આસપાસનો 2,000 વીઘા જેટલો વિસ્તાર પણ વિવિધ રીતે પ્રભાવિત થવાની શક્યતા છે. રેલીમાં જસાપર ગામના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ યોજના રદ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે બાયપાસના નિર્માણથી તેમની ખેતી અને જીવનનિર્વાહ પર નકારાત્મક અસર પડશે, તેથી સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એવી એ તસવીરોની:પ્લેન ક્રેશ સાઈટના ભાસ્કર રિપોર્ટરે 12 મહિના સુધી બદલાતા દૃશ્યો કેદ કર્યા; એક સમયે મોતનું તાંડવ હતું, હવે જિંદગી પાટે ચડી
    Next Article
    અધિકમાસમાં સંતવાણી:માતાપિતા આધુનિક, સંતાનો સંસ્કારી બને, જનરેશન ગેપ મિટાવવા બંને પક્ષે પરિવર્તન જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment