Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા 100 ફળદાર વૃક્ષોનું રોપણ:વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે જામનગરમાં કાર્યક્રમ

    10 hours ago

    જામનગરમાં વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, વિજ્ઞાન ગુર્જરી, ગ્રીન કોમ્યુનિટી અને નંદ વિદ્યા નિકેતનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 100 જેટલા ફળદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 27 એપ્રિલ, 2026ના રોજ સોમવારે સવારે સાત વાગ્યે નંદ વિદ્યા નિકેતન સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો છે.દર વર્ષે 22 એપ્રિલે વિશ્વભરમાં પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પૃથ્વીના સંસાધનોના જતન માટે માનવજાતને તેની ફરજો યાદ કરાવવા માટે મહત્વપૂર્ણ છે. પૃથ્વી આપણને શુદ્ધ હવા, પાણી અને ખોરાક પૂરો પાડે છે, પરંતુ વૃક્ષોનું કાપાણ, પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. આવા કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રિજીયોનલ ઓફિસર જી.બી.ભટ્ટ , નાયરા એનર્જી માંથી જય પંડ્યા, પર્યાવરણવિદ ખાસ હાજરી આપી ને બધાને પ્રોત્સાહિત કરેલા હતા. તેમજ જગદીશભાઈ પટેલ, અને પર્યાવરણ પ્રેમી મિત્રો, સ્વયંસેવકો તથા નંદ વિદ્યાનિકેતનના 200 ઇકો વોરિયર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 100 જેટલા ફ્રુટ ના જુદા જુદા રોપાઓનું વાવેતર કરેલું હતું, તેમજ તેની જાળવણી અને ઉછેર માટે પણ કાળજી રાખવામાં આવશે તેવી જવાબદારી નોંધ નિકેતન સ્કૂલ તરફથી લેવામાં આવેલી છે. હા તકે જામનગરના પ્રમુખ પાર્ક વિસ્તારમાં 4,000 જેટલા ફૂટમાં 73 વર્ષની ઉંમરના કેસુરભાઈ જીવા ડાંગર દ્વારા એકલા હાથે 80 થી 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે અને હાલ આ વિસ્તાર ખૂબ જ લીલો છમ અને હરિયાળુ કરી ને આ વિસ્તારના લોકોને પ્રેરણાદાય એવું કાર્ય કરેલ છે સાથે સાથે આ વૃક્ષોનું રોજે રોજ પાણી પીવડાવવાની સાથે સાથે તેમનું પૂજન પણ કરવામાં આવે છે શ્રી કેશુરભાઈ ની વૃક્ષોના માવજત અને જતનને ધ્યાનમાં રાખીને ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમને “વૃક્ષ તીર્થ “ એવોર્ડ થી મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ચૈતન્ય ટેબલ ટ્રસ્ટ તરફથી નંદ વિદ્યા નિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પંડ્યા નુ પણ “બેસ્ટ પ્રિન્સિપાલ” એવોર્ડ થી સન્માનિત કરીને તેમને મોમેન્ટો આપવામાં આવેલ હતા, તેમજ બેસ્ટ ટીચર નો એવોર્ડ પૂજા શ્રીવાસ્તવ જીને આપવામાં આવેલ હતો. આ તકે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના રિજીયોનલ ઓફિસર જી.બી.ભટ્ટ સાહેબે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટની વૃક્ષારોપણની આ પ્રવૃત્તિની સરહાના કરી હતી અને હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યા ને અભિનંદન પાઠવ્યા હતા. આ તો કે જય પંડ્યા એ પણ પર્યાવરણના કાર્યમાં તેમનું હંમેશા યોગદાન રહેશે તેવી ખાતરી આપી હતી. સ્ટેજ ઉપર નો કાર્યક્રમ પૂરો થયા બાદ બધા મહાનુભાવો અને ઈકો વોરિયર 200 વિદ્યાર્થીઓ ની ટીમ, ઇકો ક્લબ ના મેમ્બર્સ, ટીચર, પ્રિન્સિપાલ અને પર્યાવરણ પ્રેમી મિત્રો બધા નંદ વિદ્યાનિકેતન સ્કૂલની પાછળના મેદાનમાં 100 જેટલા ફળદાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટે પહોંચી ગયા હતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું જેમાં ગુજરાત રાજ્યના ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના રીજીયોનલ ઓફિસર જી બી ભટ્ટ તેમજ નાયરા કંપનીમાંથી આવેલા પર્યાવરણવિદ્ જય પંડ્યા અને ચૈતન્ય ટ્રસ્ટના હિતેશ પંડ્યા તેમજ જગદીશભાઈ પટેલ, કેશુરભાઈ ડાંગર, પૂજા શ્રીવાસ્તવ અને અન્ય પર્યાવરણ પ્રેમી મિત્રોના હસ્તે એક પછી એક એમ થોડા વૃક્ષોનું ખાડા હતા તેમા રોપા રાખીને માટી નાખીને પાણી નાખવામાં આવ્યું હતું, બાકીના 100 કરેલા ખાડામાં ઇકો ક્લબના 200 જેટલા વિદ્યાર્થીઓએ એક એક રોપા વાવીને વૃક્ષારોપણ બહુ સુંદર રીતે, ઉત્સાહજનક રીતે કરેલું હતું, આ તકે સ્ટાફ ટીચર પૂજા શ્રીવાસ્તવ દ્વારા ‘એક પેડ મા કે નામ” ના નારા પણ લગાવવામાં આવેલા હતા જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ પ્રેરણા આપી હતી કે એક પેડ આપણી મા ના નામનું હોવું જોઈએ. આમ વિશ્વ અર્થ દિવસની અર્થસભર ઉજવણી કરી આ કાર્યક્રમને વધુ અસરકારક બનાવવામાં આવ્યો હતો અને 100 જેટલા ફળદાર વૃક્ષ વાવીને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે આપણા આપણી માતા ધરતી માતાનું હંમેશાં રક્ષણ કરવું જોઈએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન ટ્રસ્ટના સંચાલકો હિતેશ પંડ્યા, બાલકૃષ્ણ સાબુ, જગદીશ પટેલ, કાજલ પંડ્યા, સ્ટાફ તેમજ વોલીયન્ટીયર મિત્રોએ જહેમત ઉઠાવી હતી. ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલમાં 5000 જેટલા વૃક્ષોનું સુંદર રીતે વાવેતર કરીને તેની જાળવણી કરવામાં આવી રહી છે, આગામી સમયમાં હજી વધુ ને વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન યોજાયું:ધારાસભ્ય રીટાબેન પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા થઈ
    Next Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપ જીત તરફ, સુરતમાં જશ્નનો માહોલ:બંગાળમાં પ્રચાર કરવા ગયેલા કાર્યકર્તામાં ભારે ઉત્સાહ, કમલમમાં સાંજે ઝાલમુરી સાથે ઉજવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment