Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભીને પિયર રિસામણેથી તેડવા જતા યુવાન પર હૂમલો:રાજકોટમાં મિત્રએ મિત્રને છરી મારી, 10% વ્યાજ ખંખેર્યા બાદ પણ યુવાનને વ્યાજખોરની ધાકધમકી

    9 hours ago

    રાજકોટમાં રિસામણે ગયેલા ભાભીને તેડવાં ગયેલા યુવાન પર હૂમલો થયો હતો. થોરાળામાં રહેતો પ્રકાશ પરમાર ખીજડીયા ગામમાં રિસામણે ગયેલા ભાભીને તેડવા માટે ગયા હતા ત્યારે ભાઈના સસરા સહિતાનાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં છરીનો ઘા માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, પ્રકાશ ભલાભાઈ પરમાર (ઉં.વ. 22, રહે.થોરળા, રાજકોટ) 24 માર્ચના રાત્રે 8 વાગ્યાની આસપાસ પોતે ખીજડીયા ગામમાં હેમંતભાઈ મોહનભાઈ રાઠોડના ઘરે હતો ત્યારે સામેવાળા હેમંતભાઈ, બળવંતભાઈ સહિતનાએ ઝઘડો કરી છરી વડે માર મારતા પીઠના ભાગે ઇજાઓ થઈ હતી. પ્રકાશે જણાવ્યું કે, તે આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તેના ભાઈ નીતિનભાઈના પત્ની જાનકીબેન રિસામણે તેના માવતર ખીજડીયા ગામે હતા. ગઇકાલે તેડી જવાનો ફોન આવતા નિતીનભાઈ ત્યાં ગયા હતાં. તેમના સાસુ-સસરા હાજર ન હોવાથી સાંજે આવવાનું કહ્યું હતુ. દરમિયાન પ્રકાશે પણ અગાઉ ખીજડીયા પ્રસંગ વખતે ગેસનો બાટલો આપ્યો હોય તે પરત લેવાનો હોય એટલે પ્રકાશ પણ ત્યાં પહોંચ્યો હતો. પ્રકાશ ત્યાં પહોંચ્યો પછી નીતિનભાઈ પણ આવ્યા. આ દરમ્યાન બોલાચાલી થઈ હતી અને હુમલો કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રકાશનું નિવેદન લઈને કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અપશબ્દો બોલવા મામલે મિત્રે જ મિત્રને છરી મારી દીધી શહેરના ઓમનગર સર્કલ અને રાજદીપ સોસાયટીમાં મિત્રો વચ્ચે અગાઉ અપશબ્દ કહેવા બાબતે થયેલ બોલાચાલીમાં આનંદે દીક્ષિતને છરીના ઘા ઝીંક્યા હતા.મળતી માહિતી અનુસાર, દીક્ષિત જગદીશભાઈ ડીમલીયા (ઉં.વ.18, રહે. 40 ફૂટ રીંગ રોડ, ઓમનગર સર્કલ પાસે, રાજદીપ સોસાયટી) 24 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતે ઘર પાસે હતો ત્યારે સામેવાળા આનંદે ઝઘડો કરીને છરી વડે માર મારતા ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પરિવારે જણાવ્યું કે, પિતા સેન્ટીંગ કામ કરે છે. આનંદ અને દીક્ષિત બંને મિત્રો હતા અગાઉ અપશબ્દો બોલવા અંગે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ પછી ગઈકાલે રાત્રે દીક્ષિત ઘર પાસે બેઠો હતો ત્યારે આનંદ આવ્યો હતો અને મને અગાઉ કેમ ગાળો આપતો હતો તેમ કહીને ઝઘડાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે બોલાચાલી થતાં આનંદે પોતાના પાસે રહેલી છરી કાઢીને દીક્ષિતને મારી દીધી હતી. બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને થતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી. માતાની કેન્સરની બીમારી માટે વ્યાજે લીધેલા નાણા ચૂકવ્યા બાદ પણ યુવાનને ધમકી રાજકોટ શહેર પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ માટે જન સંપર્ક સભા કર્યા બાદ માત્ર એક વ્યાજખોર સામે ગૂનો નોંધાયો છે. માતાને કેન્સરની બીમારીના કારણે મજૂરી કામ કરતા પુત્રએ વ્યાજે રૂ.1 લાખ લીધા હતા. તેના બદલામાં રૂ.2.40 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોર શબ્બીર મશીયા પરેશાન કરતો હોવાથી તેની સામે ભક્તિનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાયો છે. શહેરના બાબરીયા મેઈન રોડ પર મોરારીનગરમાં રહેતાં દીપકભાઈ કાનજીભાઈ પેઢડીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શબ્બીર મશીયા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર શેરી નં.09 મા આવેલ ઇશ્વર વોચ ગ્લાસ નામના કારખાનામા મજુરી કરે છે.તેમની માતાને કેન્સરની બીમારીની સારવાર ચાલુ હોય જેથી 3 વર્ષ પહેલા તે પટેલનગર શેરી નં. 2 માં એચ.કે. મેટલ્સમા કામ કરતો હતો ત્યારે ત્યા સાથે કામ કરતા શબ્બીર મશીયાને મમ્મીની સારવાર માટે પૈસાની જરૂરીયાત છે તેમ વાત કરતા મીત્ર વ્યાજનુ કરે છે. હુ તેની પાસેથી પૈસા લઈ આપુ તેમ વાત કરી હતી. જે બાદ બીજા દીવસે શબ્બીરે રૂ. 1 લાખ રોકડા આપી કહ્યુ હતુ કે, તેણે આ પૈસા તેના મિત્ર પાસેથી લીધા છે અને આ પૈસાનુ દર મહીનાનુ 10 ટકા વ્યાજ મને આપવું પડશે. જે બાદથી દર મહીને એક લાખનુ 10 હજાર વ્યાજ ચુકવતો હતો. પરીસ્થીતી ખરાબ હોવા છતા આ શબ્બીર અવાર નવાર પરાણે વ્યાજના પૈસા માંગતા અને તેને બે વર્ષ સુધી માસીક રૂ. 10 હજાર લેખે કુલ રૂ.2.40 લાખ રોકડ તેમજ ગુગલ પે દ્વારા ચૂકવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ ખરાબ થઇ જતા વ્યાજ ચુકવી શકુ તેમ ન હોય જેથી વ્યાજ ચુકવવાનુ બંધ કરી દીધેલ હતુ. જેથી આરોપી અવાર નવાર વ્યાજ તથા મુડી મળી કુલ રૂ.3 લાખ ચુકવવા પડશે તેમ કહી ગાળો આપતો હતો. જે અંગે ગૂનો નોંધાતા ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. ઘર કંકાશથી કંટાળી યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, 2 દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી રાજકોટની ભાગોળે આવેલા વિરડા વાજડી ગામે ધરારનગરમાં રહેતા રાજેશભાઈ વાલજીભાઈ મકવાણા (ઉં.વ. 30)એ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સહિતના એ તપાસ હાથ ધરી હતી.પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજેશભાઈ પ્લમ્બિંગ કામ કરતા જતા. તેને સંતાનમાં બે દીકરી છે. ગઈકાલે તેઓએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 108ના ઈએમટીએ સ્થળ ઉપર જ રાજેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવમાં કારણ જાણવા માટે પ્રયત્ન કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, ઘર કંકાસ બાબતે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જે પછી રાજેશભાઈએ આ પગલું ભરી લીધું હતું. બે દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પૈસા ન આપતા યુવાનને ધોકા - પાઇપ માર્યા રામાપીર ચોકડી રૈયાધાર રાણીમા રૂડીમા ચોક પાસે રહેતો મુકેશ અંબાભાઈ જખાણીયા (ઉં.વ. 25) ઘર પાસે આવેલા શૌચાલયે ગયો હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ પૈસા માંગ્યા હતા. જે ન આપતાં ઝઘડો થયો હતો. બાદમાં ધોકા અને પાઇપ વડે માર મારતા માથે શરીરે ઈજા થઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.બીજા બનાવમાં મોનુ મુસ્તાકભાઈ ખાન (ઉં.વ.25) રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ ઉપરોક્ત સ્થળે સાઈબાબા સર્કલ પાસે હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસોએ કોઈ કારણોસર ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. તેને સિવિલમાં દાખલ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસી નેતા હિંમતસિંહ પટેલના દીકરાની દારૂ કેસમાં ધરપકડ:અગાઉ પોલીસે સમાધાન કરી છોડી મૂક્યો હતો, આરોપીઓ પાસેથી હેરિયર ગાડી પણ કબ્જે કરી
    Next Article
    Antibiotic Resistance Tied To Soil Dryness, New Study Shows

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment