Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દર 10માંથી એક વ્યકિત કિડની રોગનો શિકાર બની શકે':તબીબે કહ્યું- આ લોકો પર સૌથી વધુ ખતરો, બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

    10 hours ago

    કિડનીએ મનુષ્યના શરીરનું મહત્વનું અંગ માનવામાં આવે છે. લોહીને શુદ્ધ કરવાનું કામ કિડની કરે છે. શરીરમાં પાણી અને મિનરલ્સનું સંતુલન જાળવવાનું કામ કિડની કરે છે અને તેના જ કારણે હ્ર્દય અને નસોની સમસ્યા ઉદભવતી નથી તેમજ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવનના મંત્રને લોકોના જીવનમાં ઉતારવા માટે વર્લ્ડ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારત સહિત વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100થી વધુ દેશોમાં 12 માર્ચ, 2026ને ગુરૂવારના રોજ વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન “સ્વસ્થ કિડની સર્વ માટે” લોકોની સંભાળ, પૃથ્વીની સુરક્ષા” છે. દર 10માંથી એક વ્યકિતમાં જોવા મળે છે કિડનીની સમસ્યા- ડો. સંજય પંડ્યા છેલ્લા 36 વર્ષથી કિડનીના દર્દીઓને સારવાર આપતા રાજકોટના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં વધતું પ્રદૂષણ, ગરમી અને હવામાનમાં થતા ફેરફારો સીધી રીતે માનવ શરીર પર અસર કરે છે અને તેની અસર કિડનીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે કિડની પર વધારાનો દબાણ પડે છે. પરિણામે કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ વધતી જોવા મળે છે. હાલમાં સ્થિતિ એવી બની રહી છે કે લગભગ દર 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિને કિડની સંબંધિત સમસ્યા જોવા મળી રહી છે. આ આંકડો દર્શાવે છે કે લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. 'કિડની રોગનું વહેલું નિદાન અને સમયસર સારવાર મહત્વપૂર્ણ' કિડનીના રોગો ઘણીવાર શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો વગર પણ વિકસી શકે છે. તેથી વહેલા નિદાન અને સમયસર સારવાર ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કેટલાક લોકોમાં કિડનીના રોગો થવાનો જોખમ વધુ હોય છે. જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધારે પડતું વજન હોય અથવા લાંબા સમયથી પેઈન કિલર દવાઓનો ઉપયોગ કરતા હોય, તેઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ઉપરાંત જો કુટુંબમાં કોઈને કિડનીની તકલીફ રહી હોય તો તેવા લોકોમાં પણ જોખમ વધુ રહે છે. આવા તમામ લોકોએ નિયમિત રીતે કિડનીની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. કિડનીના રોગથી દૂર રહેવા આટલી બાબતોનું ધ્યાન રાખો કિડનીના રોગોથી બચવા માટે દૈનિક જીવનમાં કેટલીક સરળ બાબતો અપનાવવી જરૂરી છે. વધુ પડતું ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ કારણ કે તે શરીર પર નકારાત્મક અસર કરે છે. આ ઉપરાંત નિયમિત એક્સરસાઈઝ અને શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ સુધી વોકિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે. આ રીતે યોગ્ય જીવનશૈલી અપનાવી, સમયસર તપાસ કરાવી અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવીને દરેક વ્યક્તિ કિડનીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે. વર્લ્ડ કિડની ડેનો મુખ્ય સંદેશ પણ એ જ છે કે લોકોની કાળજી રાખવી અને પૃથ્વીનું સંરક્ષણ કરવું, જેથી આવતી પેઢીને પણ સ્વસ્થ જીવન મળી શકે. www.KidneyEducation.com પરથી ઘરબેઠા કિડની અંગેની માહિતી મેળવો રાજકોટના જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડ્યા દ્વારા 20 વર્ષ પહેલા તમારી કિડની બચાવો નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રાજકોટના ડો. સંજય પંડયા અને વિશ્વના 24 દેશોના 100થી વધુ કિડની નિષ્ણાતોના સહયોગથી તૈયાર થયેલ www.KidneyEducation.com વેબસાઈટ કિડનીના રોગોથી બચવા અને સારવાર અંગે સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં નિઃશુલ્ક આપે છે. આ વેબસાઈટ દ્વારા વિશ્વના કોઈપણ ખૂણેથી લોકો પોતાની માતૃભાષામાં કિડની અંગેની માહિતી મેળવી શકે છે.આ વિશ્વની એકમાત્ર એવી વેબસાઈટ છે જેમાં 200 પાનાનું “તમારી કિડની બચાવો” પુસ્તક 40 ભાષાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. આ વેબસાઈટને અત્યાર સુધી 10 કરોડથી વધુ મુલાકાતો અને 8 લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ મળ્યા છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના પેશન્ટને કિડની રોગ થવાનું વધુ જોખમ કિડનીના રોગો હવે વૈશ્વિક સ્તરે ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહ્યા છે. ત્યારે વર્ષ 2025માં WHO દ્વારા કિડની સ્વાસ્થ્ય અંગે પ્રથમવાર વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ કિડની સ્વાસ્થ્યને નોન-કમ્યુનિકેબલ ડિસીઝના વૈશ્વિક એજન્ડામાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જે આ સમસ્યાની ગંભીરતાને દર્શાવે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે અને દર 10માંથી એક વ્યકિતને કિડનીની બીમારી થવાનો ભય રહે છે. ડાયાબિટીસના દર 3માંથી એક અને બ્લડ પ્રેશરના દર 5માંથી એક દર્દીને કિડનીના રોગ થવાનું જોખમ રહેલું છે. કિડનીના રોગોને “સાયલન્ટ કિલર” કહેવાય છે કારણ કે લક્ષણો સામાન્ય રીતે ત્યારે દેખાય છે જ્યારે કિડની 80થી 90% સુધી બગડી જાય છે અને મોટા ભાગના દર્દીઓમાં રોગનો ખ્યાલ છેલ્લા તબક્કે આવે છે અને ઘણા દર્દીઓને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની જરૂર ઉભી થતી હોય છે. જો સમયસર લોહી અને પેશાબની સરળ તપાસ કરાવવામાં આવે તો કિડની રોગનું વહેલું નિદાન થઈ શકે છે અને ગંભીર સારવારથી બચી શકાય છે. કિડની રોગનું વહેલું નિદાન કરવા માટે બ્લડ પ્રેશર, લોહીમાં ક્રિએટિનિન અને પેશાબમાં પ્રોટીનની તપાસ ખૂબ મહત્વપૂર્ણ છે. લોહીના દબાણમાં વધારો, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રિએટિનિન વધવું ક્રોનિક કિડની રોગના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. આ સમાચાર પણ વાંચોઃ તમે પણ કિડનીની બીમારીથી પીડાવ છો?:16 દેશોના 37 વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી 'EAT લેન્સેટ' ડાયટ કિડનીને સ્વસ્થ રાખશે, જાણો કોણે ન ખાવું જોઈએ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અલગ-અલગ પ્રકારની ડાયટ ફોલો કરે છે. આમાંથી એક છે ‘EAT-Lancet ડાયટ’, જે માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ડાયટ ઘણી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, આ ડાયટ ક્રોનિક કિડની ડિઝીઝના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ભુજ ફાયર વિભાગને મળ્યું ₹ 7.10 કરોડનું ‘ઐરાવત’:27 મીટર લાંબી બુમ, ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ
    Next Article
    RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment