Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:હનુમાનગઢ અને આદિત્યાણાના બગીચાની કેરીના 2 હજાર બોક્સ કાર્ગો મારફતે મોકલવામાં આવ્યા

    8 hours ago

    પોરબંદરના બરડા પંથકની કેસર કેરી હવે યુ.કેમાં પહોંચી છે.બરડા પંથકના હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામની કેસર કેરી યુ.કે મોકલવામાં આવી છે. અમદાવાદથી કાર્ગો મારફતે 2 હજાર બોકસ કેસર કેરી મોકલવામાં આવી છે. બરડા પંથકની કેસર કેરી યુ.કે માં વધુ ડિમાન્ડ રહેતી હોવાથી વેપારી દ્વારા મોકલવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં હજુ પણ વધુ કેરી મોકલવામાં આવશે.જોકે ગત વર્ષે પણ બરડા પંથકની કેરીના 3 કન્સાઇન્ટમેન્ટ મારફતે હજારો બોક્સ કેરી યુ.કે મોકલાઈ હતી. પોરબંદરના બરડા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ કેસર કેરીના બગીચાઓ આવેલા છે. ગીર પંથકની કેસર કેરીની સરખામણીમાં બરડા ડુંગરના પેટાળના ગામોમાં આવેલા કેસર કેરીના બગીચાની કેરી ખૂબ સારી હોવાનો માનવામાં આવે છે જેથી બરડા પંથકની કેસર કેરી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે હવે બરડા પંથકની કેસર કેરી છેલ્લા 2 વર્ષથી વિદેશમાં પણ પ્રખ્યાત બની છે પોરબંદરના યાર્ડમાં બરડા પંથકના બગીચાઓમાંથી કેસર કેરીની આવક થતા ની સાથે વિવિધ રાજ્યમાં મોક્લવામાં આવે છે ત્યારે પોરબંદરના રાણાવાવ પંથકના હનુમાનગઢ ગામે કેસર કેરીના બગીચો ધરાવતા ખેડૂતો અને ઇજારેદારો તેમજ વેપારીઓ દ્વારા કેસર કેરી વિદેશમાં મોકલવામાં આવી છે. હનુમાનગઢ અને આદિત્યાણા સહિતના ગામમાં આવેલા કેસર કેરીના બગીચાની કેસર કેરી યુકેના લેસ્ટર ખાતે એક્સપોર્ટ કરવામાં આવી છે આ બગીચા માટે 2 હજાર બોક્સ કેસર કેરીના કાર્ગો મારફતે યુકેના લેસ્ટર ખાતે મોકલવામાં આવી છે. ગત વર્ષે 3 કન્સાઇન્ટમેન્ટ મોકલાયા હતા પોરબંદરના બરડા પંથકમાં સારી ગુણવત્તાયુક્ત કેરીનું ઉત્પાદન થાય છે ત્યારે ગત વર્ષે પોરબંદરના સુદામા ફ્રુટના વેપારી નીતિનભાઈ દાસાણી દ્વારા પહેલ કરી પોરબંદરની કેરી યુ.કે એક્સપર્ટ કરવામાં આવી હતી ગત વર્ષે આ વેપારી દ્વારા અલગ અલગ 3 કન્સાઇન્ટમેન્ટ લેસ્ટર ખાતે એકસપોર્ટ કરવામાં આવ્યું છે. એક્ષપોર્ટ વધારવા પ્રોત્સાહન જરૂરી આ નાના પાયે એક્ષપોર્ટ થતી આ કેરીના નિકાસમાં સરકાર દ્વારા જો પ્રોત્સાહન આપવામાં આવે તો આ એક્ષપોર્ટ વધી શકે તેમ છે જેને લીધે દેશ અને રાજયની સાથોસાથ કેરીના બગીચા ધરાવતા ખેડૂતો વેપારી અને ઇજારેદારોને પણ પુરતા કેરીના ભાવ મળી શકે તેમ છે.ત્યારે સરકાર દ્વારા વધુ પ્રોત્સાહ વર્ધક નીતિઓ અપનાવી ખાસ આયોજન કરવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:પોરબંદરમાં ગરમી 2.8 ડિગ્રી વધી, આજે-કાલે યલો એલર્ટ
    Next Article
    ગામ ગામની વાત:શેરગઢ સીમના રસ્તા પણ આરસીસીથી મઢાયા,હવે આ ગામમાં અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment